SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ४९३ अनेकान्तजयपताका (તૃતીય बुद्धानां सर्वज्ञत्वादिति, अन्यथा तत्तत्त्वायोगात्-तेषां सर्वज्ञत्वायोगात् । एकसन्तानेत्यादि । एकसन्तानापेक्षया च गृहीतग्राहिज्ञानासम्भव एव तस्यार्थस्य च क्षणिकत्वात् सर्वेषां-ज्ञानानां सर्वदा-सर्वकालम् अगृहीतग्रहणाद् द्वयोरपि क्षणिकत्वेनेति, यद्वा तदभावे भावादभिधानमात्रं ग्रहणमित्यगृहीतग्रहणमिति ॥ - અનેકાંતરશ્મિ -. પ્રશ્ન : શું બુદ્ધો વડે સર્વ વસ્તુઓ સદા ગ્રહણ થયેલી છે ? ઉત્તરઃ હા, કારણ કે તેઓ સર્વજ્ઞ છે, અર્થાત્ ત્રણે કાળગત સર્વ વસ્તુઓને સર્વ પર્યાયો સાથે જાણનારા છે... હવે જો સર્વ વસ્તુઓનું સદા ગ્રહણ ન માનો, તો તેમની સર્વજ્ઞતા જ નહીં ઘટે.... આમ, દરેક પદાર્થ સર્વજ્ઞ વડે ગૃહીત હોવાથી, બધા જ્ઞાનો ગૃહીતગ્રાહી જ સાબિત થશે... એવું કોઈ અગૃહીતગ્રાહી જ્ઞાન સંભવિત જ નથી, કે જેનો તમે પ્રમાણ તરીકે ઉલ્લેખ કરી શકો... બૌદ્ધઃ બીજા દ્વારા ભલે તે પદાર્થ ગૃહીત હોય, પણ પોતા દ્વારા જો તે અગૃહીત-અપૂર્વ હોય, તો તો તેને ગ્રહણ કરનાર જ્ઞાન અગૃહીતગ્રાહી બની જ શકે ને ! અને પછી તો તેને પ્રમાણ માની શકાય ને ! સ્યાદ્વાદી : અરે ! આ રીતે એકસંતાનની (=એકવ્યક્તિની) અપેક્ષાએ તો બધા જ્ઞાન અગૃહીતગ્રાહી જ સાબિત થશે, ગૃહીતગ્રાહી કોઈ જ્ઞાન રહે જ નહીં, કારણ કે તમારા મતે તો જ્ઞાન અને અર્થ બંને ક્ષણિક છે. એટલે પ્રથમક્ષણીય જ્ઞાન દ્વારા ગૃહીત અર્થ તો બીજી ક્ષણે રહેતો નથી, તેથી દ્વિતીયક્ષણીય જ્ઞાન તો અગૃહીત અર્થનું જ ગ્રહણ કરે, પ્રથમક્ષણીય જ્ઞાનથી ગૃહીત અર્થનું નહીં... એમ દરેક જ્ઞાન અગૃહીતગ્રાહી જ હોવાથી, ગૃહીતગ્રાહી જ્ઞાન અસંભવિત જ બને. અથવા તો, પ્રથમક્ષણે પદાર્થ અને દ્વિતીય ક્ષણે તજ્જન્ય જ્ઞાન. - આમ શેયવસ્તુના નાશ થયા બાદ જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એટલે જ્ઞાન વખતે તો વસ્તુનું અસ્તિત્વ જ ન હોવાથી, કોઈપણ જ્ઞાન ગૃહીતગ્રાહીરૂપે સંભવિત નથી. તેથી અગૃહીતગ્રહણ તો માત્ર બોલવા પૂરતું જ છે... આશય એ કે, કોઈ જ્ઞાન ગૃહીતગ્રાહી હોય અને તેનો વ્યરચ્છેદ કરી અગૃહીતગ્રાહી જ્ઞાનનો પ્રમાણ તરીકે ઉલ્લેખ કરવાનો હોય, તો અગૃહીતગ્રાહીતાનું કથન કરવું સંગત છે. પણ ગૃહીતગ્રાહી જયારે કોઈ જ્ઞાન જ નથી - બધા જ્ઞાન અગૃહીતગ્રાહી જ છે - ત્યારે ગૃહીતગ્રાહી કહીને તમે નવું શું વિધાન કર્યું? (અર્થાત્ તેવું બોલવું વ્યર્થ છે...) સારઃ તેથી ગૃહીતગ્રાહી હોવા માત્રથી જ્ઞાન અપ્રમાણ બને એવું નથી. ફલતઃ ગૃહીતગ્રાહી હોવા છતાં પણ વિકલ્પજ્ઞાનને અપ્રમાણ માની શકાય નહીં. 96. तदभावे भावादभिधानमात्र ग्रहणमित्यगृहीतग्रहणमितीति । तस्य विषयस्याभावे-विनाशे भावात्-उत्पादात् ज्ञानस्य किमित्याह-अभिधानमात्रम्-अभिधानमेव केवलं । किमित्याह-ग्रहणमिति । एतत् ૨. ‘ક્ષયાગવગૃહીત' રૂતિ -પતિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy