SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ fધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता -> विशेषादिति तदेकत्वपरिणामनिबन्धन एवायम् । तेषामेवैकानेकात्मकत्वाद् भेदाभेदभावात् तथास्वभावत्वात् विरोधानुपपत्तेः प्रतीतिसिद्धत्वात् बाधाभावादिति । तथाऽननुभवेऽपि तत्कल्पने-सदादिभिन्नावयविकल्पनेऽतिप्रसङ्गात् । अतिप्रसङ्गश्च तदन्तरापत्तेः-तत्रैवावयव्यन्तरापत्तेः । आपत्तिश्च निराकरणायोगात् तदन्तरस्य । अयोगश्च अननुभवाविशेषाद् द्वयोरपीति, इति-एवं तदेकत्वपरिणामनिबन्धन एवायम्, प्रक्रमात् सन्मृद्द्रव्याकारैकत्वपरिणामनिबन्धन एवायम्, एकोऽयमिति व्यवसायः । तेषामेव-सदादीनामेकानेकात्मकत्वात् । एतच्च भेदाभेदभावात् । अयं च तथास्वभावत्वात् । तथास्वभावत्वे - અનેકાંતરશ્મિ - સ્યાદ્વાદી: ‘ોડવું એવા નિશ્ચયથી સદાદિથી એકાંતભિન્નરૂપે વસ્તુનો પ્રતિભાસ થતો નથી, કારણ કે તે નિશ્ચય સદાદિથી ભિન્નરૂપ વસ્તુનો પ્રતિભાસ કરાવતો હોય એવો કદી અનુભવ થતો નથી... (આશયઃ “ોડવું' એવો નિશ્ચય છે, તેમાં ‘યમ્' એવી પ્રતીતિનો વિષય, તે, સદાદિ પ્રતીતિનો વિષય જ છે એવો જ અનુભવ થાય છે, બંનેના વિષય જુદા નથી...) વૈશેષિક અનુભવ ભલે ન થતો હોય, છતાં પણ સદાદિથી ભિન્ન તરીકે તે અવયવીને માની લઈએ તો? સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ એ આવશે કે, ઘટને ઠેકાણે પટ માનવાની આપત્તિ આવશે અને એ આપત્તિનું નિરાકરણ થઈ શકશે જ નહીં, કારણ કે જો તમે કહેશો કે - “પટનો ત્યાં અનુભવ જ થતો નથી, તો પછી ત્યાં પટને શી રીતે માની શકાય?” - તો અમે પણ કહીશું કે - “સદાદિથી ભિન્નરૂપે ઘટનો અનુભવ જ થતો નથી, તો પછી સદાદિથી ભિન્ન તરીકે ઘટને પણ શી રીતે મનાય ? - આમ, અનુભવ ન થવાની વાત તો બંને બાજુ સમાન છે. તેથી, સત્ત્વ-મૃત્વ-દ્રવ્યસ્વરૂપ આકારોના એકત્વપરિણામને કારણે જ “ોડવું' એવો નિશ્ચય માનવો જોઈએ. જુઓ, છોડ્યું આ પ્રતીતિ વિયં સંત, એ રીતે સમજવી, જે સત્ત્વાદિના એકત્વપરિણામરૂપ (૧ સંખ્યાના પરિણામરૂપ) છે. જેમ ઘટ એક છે તેમ સત્ત્વ એક છે, મૃદુ એક છે... વિગેરે.. પ્રશ્ન : પણ સત્ત્વ તો આકાશમાં પણ છે... આમ ત્યાં એક સત્ત્વ જ ક્યાં છે ? એટલે એકત્વપ્રતીતિ (સત્ત્વવિષયક નહીં, પણ) ઘટવિષયક જ હોય... ઉત્તર : એવું નથી, તે બધા સત્ત્વાદિ એકાનેક છે - જુદા જુદા આધારની અપેક્ષાએ અનેક, સ્વજાતિની અપેક્ષાએ એક... અને તેનું કારણ, તેનો આધાર સાથે મેદાભેદ છે અને તેમાં તેનો તથાસ્વભાવ એ જ કારણ છે, તેમાં કોઈ વિરોધ નથી, કારણ કે તે સ્વભાવ પ્રતીતિસિદ્ધ છે, તર્કથી અબાધિત છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy