________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४८२
–૭૮ समञ्जसत्वादिति । न च तयोराकारयोर्भेद एव, तथाप्रतीत्यभावात् तत्त्वत उभयायोगात् - વ્યારા .
.. ङ्गाद् विषयसाङ्कर्येण, सङ्करे च लोकविरोधापत्तेः एवमसमञ्जसत्वादिति । न चेत्यादि । न च तयोराकारयोः-चक्षुस्त्वग्ग्राह्ययोर्भेद एव-एकान्तेन । कुत इत्याह-तथा-भेदगर्भतया प्रतीत्यभावात् स्पर्शनादपि 'सोऽयं यो दृष्टः' इत्यवगमात् । तथा तत्त्वत उभयायोगात् त्वंदभ्युपगमेन । तथा चाह-तत्सत्त्वैकत्वक्षतेः, घटसत्त्वैकत्वक्षतेरित्यर्थः । तथा च-एवं च ......અનેકાંતરશ્મિ
.... આકાર પણ ન માની શકાય, કારણ કે બંનેનું જોડાણ માનવામાં તો તે આકારનું એકત્વ નહીં રહે...
કદાચ બંને સત્ત્વનો અભેદ માની તે આકારનું એકત્વ માની પણ લેશો, તો તો દોષ એ આવશે કે - રૂપ-સ્પર્શ બંને એક થવાથી — સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ સાથે રૂપનો પણ બોધ થવાથી, તે ઇન્દ્રિયને ચક્ષુરિન્દ્રિય માનવાની આપત્તિ આવશે અને એ જ રીતે ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપ સાથે સ્પર્શનો પણ બોધ થવાથી, તે ઇન્દ્રિયને સ્પર્શેન્દ્રિય માનવાની આપત્તિ આવશે - આ રીતે વિષયના સંકરથી (=મિશ્રણથી) તદ્વિષયક ઇન્દ્રિયોનો પણ સંકર થશે.
પ્રશ્નઃ તો ભલે ને સંકર થાય, વાંધો શું? ઉત્તરઃ અરે ! તો તેમાં લોકનો વિરોધ સ્પષ્ટ છે, માટે તેવું માનવું સમંજસ (યુક્તિયુક્ત) નથી...
બૌદ્ધઃ ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય રૂપસત્ત્વ + સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય સ્પર્શસત્ત્વ બંનેનો એકાંતે ભેદ માંની, તે બંનેના આકારનો ઘટસત્ત્વ સાથે અભેદ માની લઈએ, પછી તો વાંધો નહીં ને?
સ્યાદ્વાદીઃ પણ તેવું માની શકાય નહીં, કારણ કે પહેલી વાત તો એ છે કે ચક્ષુગ્રાહ્ય રૂપ અને સ્પર્શેન્દ્રિયગ્રાહ્ય સ્પર્શ બંનેનો એકાંતભેદ માનવો ઉચિત જ નથી, કારણ કે એકાંતે ભેદરૂપે તેઓની કદી પ્રતીતિ થતી નથી. જયારે વસ્તુનો સ્પર્શ થવાથી તો આવી પણ પ્રતીતિ થાય છે કે - આ તે જ પદાર્થ છે કે જે મારા વડે જોવાયો હતો” - આ પ્રતીતિથી તો એ જ સિદ્ધ થાય છે કે, ચક્ષુરિન્દ્રિયગ્રાહ્ય + સ્પર્શનેન્દ્રિયગ્રાહ્ય વિષયનો કથંચિત્ અભેદ છે...
બીજી વાત, ઘટસત્ત્વ તો તમે નિરંશ એકસ્વભાવી માનો છો, તો પછી તેમાં રૂપસત્ત્વ-સ્પર્શસત્ત્વરૂપ બે એકાંતભિન્ન આકારો શી રીતે ઘટે ? ન જ ઘટે...
જો રૂપસત્ત્વ, સ્પર્શસત્ત્વને એકાંતે ભિન્ન માનશો, અને પછી તેઓનો ઘટસત્ત્વ સાથે અભેદ માનશો, તો – ઘટસત્ત્વના પણ ભિન્ન આકારો થવાથી - તેના એકાંત એકત્વની હાનિ થશે.
ત્રીજી વાત, જો રૂપસત્ત્વ-સ્પર્શત્ત્વાદિ અનેક જુદા જુદા આકારોનો તે ઘટસત્ત્વ સાથે અભેદ માનશો, તો તો તે ઘટસત્ત્વને અનેકસ્વભાવી માનવાની આપત્તિ આવશે અને તેમાં તો તમારા
' ભેદ એટલા માટે માને છે કે જેથી વિષયસંકરથી ઇન્દ્રિયસંકરની આપત્તિ ન આવે, પણ એકાંત નહીં માની શકાય એ માટે ગ્રંથકારશ્રી આગળ સચોટ યુક્તિઓ આપશે...
૨. “
ત
તિ -પઢિ:
૨. ‘વૈવમેવાડુ' રૂતિ
-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org