________________
४७५ अनेकान्तजयपताका
(તૃતીયઃ सर्वेषां सदा भावात्, अन्यथा तदनुपपत्तेः चित्रास्तरणवदेकदैव किं नार्थविशेषप्रतिपत्ति
વ્યારા જ दीर्घत्वात् तत्त्वदर्शनेन, दीर्घत्वं च कालसौक्ष्म्यादितीन्द्रियद्वारेणैव तथाऽर्थविशेषप्रतिपत्तिरिति क्रिया । आह-वस्तुनोऽनेकस्वभावत्वाद् भवन्नीत्या सर्वेषां-स्वभावानां सदा भावात् त्वन्नीत्यैव, अन्यथा तस्य वस्तुनः तदनुपपत्तेः-अनेकस्वभावत्वानुपपत्तेः । किमित्याहचित्रास्तरणवदिति निदर्शनम्, एकदैव-एकस्मिन्नेव काले किं नार्थविशेषप्रतिपत्तिः
- અનેકાંતરશ્મિ છે બૌદ્ધ: વીજળીનું સ્થળ જવા દો, પણ તે સિવાય ઘટાદિના શીધ્રપ્રત્યક્ષમાં તો સીધો ઘટનો જ બોધ થાય છે ને? ત્યાં ક્યાં સત્ત્વ-શેયતાદિ સમાનધર્મોનો બોધ થાય છે?
સ્યાદ્વાદીઃ અરે ! આંખના ખોલવા માત્રથી જે ઘટજ્ઞાન થાય છે, તે લોકવ્યવહારમાં “શીઘાવગમ' તરીકે ગણાય છે, પણ નૈૠયિકદષ્ટિએ તો ત્યાં પણ અસંખ્યસમયરૂપ દીર્ઘકાળ વીતી જાય છે અને તે કાળ અતિસૂક્ષ્મ હોવાથી સ્પષ્ટપણે અનુભવાતો નથી...
તેથી એટલા દીર્ઘકાળ દરમ્યાન ઘટજ્ઞાનમાં પણ પહેલા તો માત્ર સત્ત્વનો જ બોધ થાય ને ત્યારબાદ જ ક્રમશ: ઘટવિશેષની પ્રતિપત્તિ થાય છે...
સાર ઃ ઇન્દ્રિય દ્વારા સામાન્યધર્મના ગ્રહણપૂર્વક જ અર્થવિશેષની પ્રતિપત્તિ થાય છે... માટે અવગ્રહરૂપ નિર્વિકલ્પમાં પહેલા તો માત્ર સત્ત્વનો જ બોધ થવાથી, તેમાં અસાધારણ વસ્તુનો પ્રતિભાસ અસંગત જ રહે.
- પૂર્વપક્ષીકૃત દોષાપાદનનો નિરાસ : (૧૫૩) પૂર્વપક્ષ: તમારા મતે વસ્તુ તો અનેકસ્વભાવી છે અને તે બધા સ્વભાવ તમારા મતે સદા વિદ્યમાન છે, બાકી જો બધા સ્વભાવ વિદ્યમાન ન માનવામાં આવે, તો તે વસ્તુની અનેકસ્વભાવતા જ નહીં ઘટે, કારણ કે અનેક રંગવાળા ગાલીચા વગેરેને ‘ચિત્રા” ત્યારે જ કહી શકાય, કે જયારે તેમાં જુદા જુદા રંગોનું અસ્તિત્વ હોય, તેમ વસ્તુને પણ અનેકસ્વભાવી ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેમાં જુદા જુદા સ્વભાવનું અસ્તિત્વ હોય - આમ વસ્તુનું સંનિધાન, પાછળની જેમ જ્યારે પ્રથમ ઇન્દ્રિયસંનિકર્ષ વખતે અવિશેષપણે વિદ્યમાન હોય, તો ત્યારે જ અર્થવિશેષની પ્રતિપત્તિ કેમ ન થઈ જય? કે જેથી અન્વય-વ્યતિરેકવાળા ધર્મોનું સ્વરૂપપર્યાલોચનાદિ કૅલ્પવું પડે...
સ્યાદ્વાદી : તેમાં ગ્રહણ કરનાર વ્યક્તિના ક્ષયોપશમનો અભાવ જ કારણ છે, અર્થાત્ તેને
એ અહીં પણ દષ્ટાંતની સંગતિ વિચારવી કે, ચિત્રપટ જોતાં દરેક રંગોનું જ્ઞાન એક સાથે થાય છે, તેમ વસ્તુનો સંબંધ થતાં જ દરેક ધર્મનું જ્ઞાન કેમ ન થાય ?
પૂર્વપક્ષીને એ કહેવું છે કે નિર્વિકલ્પ દ્વારા બૌદ્ધમતે ભલે અસાધારણ વસ્તુનો નિશ્ચય ન થાય, પણ તમારા મતે તો થશે જ ને, તો પછી કેમ માનતાં નથી?
૨. ‘તત્ત્વર્ણિમૈન' ત -પ4િ: . ૨. ‘વ' રૂતિ પાડો નાસ્તિ
પ્રતી 1 રૂ. ‘તર્થવિશેષo' રૂતિ ટુપd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org