________________
અધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४५२ अकारणस्य चाविषयत्वात्, अन्यथाऽभ्युपगमविरोधात् । (१३८) एतेन स्वसंविदितत्वं प्रत्याख्यातम् ॥
વ્યારા ... अविषयत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाऽभ्युपगमविरोधात् । विरोधश्च “नाकारणं विषयः" इति वचनप्रामाण्यात्, तदेवं नोभयं विषय इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन स्वसंविदितत्वं प्रत्याख्यातम्, प्रत्यक्षस्येति प्रक्रमः ॥
અનેકાંતરશ્મિ જ બૌદ્ધઃ તો (૧) અર્થ, અને (૨) નિર્વિકલ્પપ્રત્યક્ષ – બંનેને પ્રત્યક્ષનો વિષય માની લઈએ
...........
કતિરાશ્મિ
તો ?
સ્યાદ્વાદી પણ તે બંનેને ત્યારે જ વિષય માની શકાય, કે જ્યારે વિષયનું તેમાં લક્ષણ ઘટતું
હોય....
બૌદ્ધઃ બંનેમાં વિષયનું લક્ષણ ઘટે જ છે ને?
સ્યાદાદીઃ ના, અર્થમાં ઘટે છે, પણ નિર્વિકલ્પપ્રત્યક્ષમાં ઘટતું નથી, કારણ કે તે પ્રત્યક્ષનું જે કારણ હોય, તે જ પ્રત્યક્ષનો વિષય બને - આ લક્ષણ તો માત્ર અર્થમાં જ ઘટે છે, અને તેનું કારણ એ કે અર્થ જ પ્રત્યક્ષનું કારણ છે. જ્યારે નિર્વિકલ્પ તો પ્રત્યક્ષનું કારણ ન હોવાથી, તે પ્રત્યક્ષનો વિષય પણ ન જ બની શકે...
બૌદ્ધઃ કારણ ન હોવા છતાં પણ તેને પ્રત્યક્ષનો વિષય માની લઈએ તો?
સ્યાદ્વાદીઃ તો તો તમારો જે સિદ્ધાંત છે કે – “કારણ વિના વિષય ન બને” - તેનો વિરોધ થશે, તેથી પ્રત્યક્ષના વિષય તરીકે ઉભયને (=પદાર્થ + પ્રત્યક્ષને) માની શકાય નહીં...
સાર: નિર્વિકલ્પપ્રત્યક્ષ કે પ્રત્યક્ષનો વિષય જ ન હોવાથી તે વિશે પ્રત્યક્ષને પ્રમાણ માનવું બિલકુલ ન્યાયસંગત નથી.
નિર્વિકલ્પપ્રત્યક્ષનાં સ્વસંવેદનનો નિરાસ - (૧૩૮) ઉપરોક્ત કથનથી બૌદ્ધો જે કહે છે કે - “નિર્વિકલ્પ પ્રત્યક્ષ કે પોતે જ પોતાનું સંવેદન કરે છે” - તેનો પણ નિરાસ થાય છે, કારણ કે બૌદ્ધમતે નિર્વિકલ્પપ્રત્યક્ષનો વિષય માત્ર કારણભૂત અર્થ જ છે, પોતે નહીં... હવે પોતે જ્યારે વિષય જ નથી, ત્યારે પોતા દ્વારા પોતાનું સંવેદન શી રીતે થઈ શકે ? ફલતઃ બૌદ્ધની માન્યતા પ્રમાણે નિર્વિકલ્પની સ્વસંવિદિતતા પણ ઘટતી નથી... અહો પોતાની માન્યતાઓથી જ પોતાના સિદ્ધાંતનો બાધ આવે છે, બૌદ્ધમતે કેવી અસમંજસતા !! છતાં પણ પોતાના કદાગ્રહની નિબિડ ગ્રંથી !!
જો નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા પોતાનું સંવેદન માની લેશો, તો પણ તેમાં કયા દોષો આવે? તે ગ્રંથકારશ્રી બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org