________________
४२८
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तदन्यतरापरनिमित्तत्वे तदितरत्र तन्निमित्तत्वानाश्वासात्, विशेषहेत्वभावात्, अनित्यस्यापि
लौकिकमेतत् । एवं च सति तदन्यतरापरनिमित्तत्वे तयोः-समारोप-निश्चययोरन्यतरस्यसमारोपस्य अपरनिमित्तत्वेऽभ्युपगम्यमाने तदितरत्र अपि निश्चये तन्निमित्तत्वानाश्वासात्अधिकृतवस्तुनिमित्तत्वानाश्वासात् । इह तावदनित्यादिप्रतिपत्तिर्वस्तुनिमित्तेति भवतो मतम्, इहापि अनाश्वासः, तत्तुल्ययोगक्षेमाया नित्यादिनिश्चयोपलब्धेः अतन्निमित्तत्वाभ्युपगमादिति भावः । अनाश्वासश्च विशेषहेत्वभावाद् द्वयोरपि तथा तदर्शनानन्तरभावित्वेन । नित्यस्य सत्ता एव असम्भविनी, क्रमयोगपद्याभ्यामर्थक्रियायोगादिति । विशेषहेतुनिराचिकीर्षयाऽऽह-अनित्य
અનેકાંતરશ્મિ .... નિશ્ચય-સમારોપ થતો હોવાથી પરંપરાએ તો તે પણ વસ્તુનિમિત્તક છે જ...
અથવા કોઈના વચન વિના પણ વસ્તુ વિશે, લોકમાં નિત્યવિકલ્પ પણ થાય છે અને અનિત્યવિકલ્પ પણ થાય છે એ લોકસિદ્ધ છે, જેમકે આકાશાદિમાં નિત્યવિકલ્પ ઘટાદિમાં અનિયત્વવિકલ્પ - આમ બંનેનો પૂર્વાપરભાવ તુલ્ય હોવાથી, તેને આશ્રયીને પણ બંનેનો ભેદ ના માની શકાય..
ભેદ માટે વસ્તુની અનિમિત્તતા પણ અસિદ્ધ બૌદ્ધઃ કપિલ વગેરેનાં વચનથી જે નિત્યવાદિનો નિશ્ચય (=સમારોપ) થાય છે, તે તો વસ્તુનિમિત્તક નથી, જ્યારે અનિત્યસ્વાદિનો નિશ્ચય તો વસ્તુનિમિત્તક છે, તેથી તો બંનેનો ભેદ થશે જ ને ?
સ્યાદ્વાદી : ના, કારણ કે નિત્યત્વાદિનો નિશ્ચય પણ વસ્તુને આશ્રયીને જ થાય છે... બૌદ્ધઃ પણ વસ્તુ તો તેવી છે જ નહીં, તો પછી તેને આશ્રયીને તે શી રીતે કહી શકાય?
સ્યાદ્વાદીઃ કારણ કે કપિલાદિના તે તે વચનો વસ્તુને આશ્રયીને જ પ્રવર્તે છે અને તે જ વચનોથી નિત્યત્વ વગેરેનો નિશ્ચય થાય છે - આમ સમારોપ પણ વસ્તુનિમિત્તક જ છે.
છતાં પણ, સમારોપ-નિશ્ચયમાં જો સમારોપને વસ્તુનિમિત્તક નહીં માનો – બીજા કોઈ વાસના વગેરેનાં નિમિત્તે માનશો – તો “અનિત્યવાદિનો નિશ્ચય વસ્તુનિમિત્તક છે” એ મતમાં પણ વિશ્વાસ નહીં રહે, કારણ કે (૧) અનુભવરૂપ ઉપાદાનકારણનું હોવું, (૨) વસ્તુના અભાવમાં જ ઉત્પત્તિ થવી, (૩) પૂર્વાપરભાવ હોવો... એ બધું તો નિશ્ચય-સમારોપ બંનેમાં તુલ્ય છે, તો પછી નિશ્ચયમાં એવી શું વિશેષતા છે, કે જેથી તેને જ વસ્તુનિમિત્તક માનવાનું ? ફલતઃ “અનિત્યાદિનો નિશ્ચય વસ્તુનિમિત્તક છે' - એ મતમાં પણ વિશ્વાસ નહીં રહે.
- બૌદ્ધઃ નિત્યની તો સત્તા જ અસંભવિત છે, કારણ કે ક્રમરૂપે કે યુગપરૂપે નિત્યમાં તો અર્થક્રિયા
_71. ઉપરનિમિત્તત્વે ત . વીસના પ્રવોઘનિમિત્તત્વે વસ્તુનિમિત્તત્વે રૂત્વર્થઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org