________________
३९८
ધોર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता शक्नोति' इति । स ततो भवतीति तन्निश्चय इति चेत्, न, अतिप्रसङ्गात्, नीलादि पश्यतः क्वचिद् भिन्नजातीयविकल्पाभ्युपगमात्, तस्य च ततो भावात्, अन्यथा अहेतुक
આ ચીહ્યાં येनोच्यते-'यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति' इति नह्येतदतद्विषयत्वे चारु । स तत इत्यादि । सः-निश्चयस्ततः-वस्तुनो भवतीति कृत्वा तन्निश्चयः-वस्तुनिश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-न, अतिप्रसङ्गात् । एनमेवाह-नीलादि पश्यतः प्रबन्धेन क्वचित्अर्थान्तरावगमे भिन्नजातीयविकल्पाभ्युपगमात्-स्मार्त्तपीतादिविकल्पाभ्युपगमात्, तस्य चविकल्पस्य ततः-नीलादिदर्शनाद् भावात्, अन्यथा-एवमनभ्युपगमेऽहेतुकत्वापत्तेः तस्यातिપ્રસ૬ રૂતિ
અનેકાંતરશ્મિ . આમ, વિકલ્પ જયારે વસ્તુને વિષય જ ન બનાવતો હોય, ત્યારે “જે અંશમાં પાછળથી નિશ્ચય ઉત્પન્ન કરવા સમર્થ છે” – એવું શી રીતે કહી શકાય? કારણ કે જે અંશ, નિશ્ચયનો (વિકલ્પનો) વિષય જ નથી, તે અંશ વિશે નિશ્ચયની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ?
નિશ્ચયના પ્રથમ અર્થઘટનની દુષ્ટતા બૌદ્ધઃ ભલે તે નિશ્ચય વસ્તુને વિષય ન બનાવતા હોય, પણ તેની ઉત્પત્તિ વસ્તુથી થતી હોવાથી જ, તેને “વસ્તુનો નિશ્ચય' કહેવાય છે...
સ્યાદ્વાદી: અરે ! એ રીતે તો પીતવિકલ્પ પણ નીલદર્શનનો નિશ્ચાયક બનશે ! તે આ રીતે – તમારા ઉપરોક્ત કથનનો ફલિતાર્થ એ છે કે ન તેને નિશ્ચય ન બનાવે, પણ તેનાથી માત્ર ઉત્પન્ન થાય, તો પણ તે તેનો નિશ્ચાયક બની શકે - આ ફલિતાર્થ પ્રસ્તુતમાં શી રીતે ઘટે? તે વિચારીએ – ' નીલદર્શનનો નિશ્ચય નીલવિકલ્પથી જ થાય છે, પીતવિકલ્પથી નહીં, પણ જે વ્યક્તિ જ્યારે નીલને જોતો હોય, ત્યારે તે વ્યક્તિને, ભિન્તજાતીય વિકલ્પ–પીતવિકલ્પનું પણ સ્મરણ થવું સંભવિત છે એવું તમે માનો છો... હવે આ પીતવિકલ્પ કોનાથી થયો? તો કહેવું પડશે કે નીલદર્શનથી, કારણ કે નીલને જોવાથી જ પીતવિકલ્પ થયો છે - આમ જો નહીં માનો, તો નીલદર્શન સિવાય બીજો તો કોઈ હેતુ જ ન હોવાથી – પીતવિકલ્પ નિહેતુક બનવાની આપત્તિ આવશે.
પ્રશ્ન તો ભલે ને નિહેતુક બને?
ઉત્તરઃ અરે ! તો તો નિત્ય સત્ કે અસતુ માનવાનો પ્રસંગ આવશે... તેથી નીલદર્શનથી જ પીતવિકલ્પની ઉત્પત્તિ માનવી પડશે - આમ તેનાથી ઉત્પત્તિ થવાથી, તેને વિષય ન બનાવવા છતાં
* ગ્રંથકારશ્રીએ આપત્તિ એ આપી કે, વસ્તુનો નિશ્ચય જ શક્ય નથી, કારણ કે જે જેનો વિષય જ નથી, તેનો તેનાથી નિશ્ચય શી રીતે થઈ શકે ? પણ બૌદ્ધ, નિશ્ચયના અલગ-અલગ અર્થઘટન પ્રમાણે, વસ્તુને વિષય ન બનાવતા પણ વિકલ્પને, વસ્તુના નિશ્ચયરૂપે સાબિત કરે છે.
૨. “વે, પ્રાર્થ૦' રૂતિ -પઢિ:
ર. ૩૬૦તમમ્ પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org