________________
३९२
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
-~> को दोष इति चेत्, नासौ न प्रत्यक्षेऽपि कथमनिश्चायकं तत् ? वस्तुमात्रप्रतिभासनादिति चेत्, अवस्तुप्रतिभासी तर्हि निश्चयः । न, तत्रैव दृढः प्रत्यय इति चेत्, कथं तदाकार
વ્યરહ્યા છે
. स्वविषयपरिच्छेद एव । इति चेत्, एतदाशङ्क्याह-नायं-यथोदिताध्यवसायः तदाकारोत्पत्तिव्यतिरेकेण-स्वालम्बनाकारोत्पत्तिव्यतिरेकेण । अस्त्वेवं-भवतु स्वालम्बनाकारोत्पत्तिरेव निश्चयः ततः को दोषः ? इति चेत्, एतदाशङ्क्याह-नासौ-स्वालम्बनाकारोत्पत्तिः न प्रत्यक्षेऽपि । किं तर्हि ? अस्त्येव । अतः कथमनिश्चायकं तत्-प्रत्यक्षम् ? भवदभिप्रेतनिश्चयलक्षणोपपत्तेनिश्चायकमेवेत्यर्थः । वस्तुमात्रप्रतिभासनात् अनिश्चायकं तत् । इति चेत्, एतदाशङ्क्याह-अवस्तुप्रतिभासी तर्हि निश्चयः ततोऽनिश्चय इति गर्भः । न अवस्तुप्रतिभासी, किन्तु तत्रैव-वस्तुनि दृढः प्रत्ययः-निश्चयः । इति चेत्, एतदाशङ्क्याह-कथं तदाकारशून्यः
અનેકાંતરશ્મિ બૌદ્ધઃ નિશ્ચય એટલે પોતાના વિષયનો અધ્યવસાય=પોતાના વિષયનો બોધ.
સ્યાદ્વાદીઃ તે જ્ઞાન દ્વારા પોતાના વિષયનો બોધ ત્યારે જ માની શકાય, કે જ્યારે તે જ્ઞાનમાં પોતાના વિષયનો આકાર ઉત્પન્ન થતો હોય, બાકી તો તે જ્ઞાન દ્વારા તે વસ્તુનો બોધ સંભવિત જ નથી.
બૌદ્ધ તો આમ માનીશું કે – જે જ્ઞાનમાં, પોતાના વિષયના આકારની ઉત્પત્તિ થતી હોય, તે જ્ઞાન “નિશ્ચય' કહેવાય... હવે તો દોષ નહીં ને?
સ્યાદ્વાદીઃ નિશ્ચયનું જો આવું જ લક્ષણ હોય, તો નિર્વિકલ્પપ્રત્યક્ષ પણ નિશ્ચાયક કેમ ન બને ? કારણ કે નિર્વિકલ્પ પ્રત્યક્ષમાં પણ પોતાના વિષયના આકારની ઉત્પત્તિ તો થાય જ છે ને ?
બૌદ્ધઃ નિર્વિકલ્પ પ્રત્યક્ષ તો માત્ર વસ્તુનો પ્રતિભાસ કરે છે, તેમાં તેના આકારની ઉત્પત્તિ થતી નથી. માટે તે નિશ્ચયાત્મક ન બને...
સ્યાદ્વાદી : તો પછી તમે એમ માન્યું કે, નિશ્ચય અવસ્તુનો પ્રતિભાસ કરે છે... (પ્રત્યક્ષ વસ્તુપ્રતિભાસી છે, છતાં નિશ્ચયાત્મક નથી તેનો આ ફલિતાર્થ નીકળે... બાકી જો નિશ્ચય પણ વસ્તુપ્રતિભાસી હોત તો પ્રત્યક્ષને નિશ્ચયરૂપ કેમ ન મનાય?) એટલે તમે નિશ્ચયને વસ્તુ-અપ્રતિભાસી માનો, તો જ તમે પ્રત્યક્ષને અનિશ્ચયાત્મક કહી શકો...
બૌદ્ધ: ના, નિશ્ચય તો વસ્તુનો જ પ્રતિભાસ કરે છે, પણ અમારા કહેવાનો આશય એ છે કે, વસ્તુનો માત્ર પ્રતિભાસ થાય તેને જ નિશ્ચય ન કહેવાય, પણ વસ્તુનો જે “દઢપ્રત્યય થાય તેને નિશ્ચય કહેવાય છે. (નિશ્ચય એ નિર્વિકલ્પમાં જ દઢપ્રત્યયરૂપ છે, નિર્વિકલ્પરૂપ નથી.)
સ્યાદ્વાદીઃ જે નિર્વિકલ્પમાં વસ્તાકાર નથી તેમાં વસ્તુવિષયક દઢતા શી રીતે આવે? (એટલે નિર્વિકલ્પથી ભિન્ન જે દઢપ્રત્યય તમે નિશ્ચયરૂપ સિદ્ધ કરવા જઈ રહ્યા છો, તેનું ખંડન થાય છે. તેનું ખંડન થવાથી જ નિર્વિકલ્પ નિશ્ચયરૂપ સિદ્ધ થઈ જાય..)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org