________________
३८५
( તૃતીયઃ
ज्ञानभावः, एकत्र कत्स्र्योपयोगित्वेन तत्तज्जननस्वभावत्वात्, अपरस्यापि तद्भावापत्ते
<–
अनेकान्तजयपताका
.
*બાબા
स्वभावतया तथानियतस्य वस्तुनः अविकलो य आत्मा तद्ग्राहकज्ञानोत्पाद: ततः कथम् ? नैवेत्यर्थः । कथं नेत्याह - एकत्रेत्यादि । एकत्र - ऋषभादिज्ञाने कात्स्र्योपयोगित्वेन हेतुना तत्तज्जननस्वभावत्वात् - अधिकृतवस्तुन ऋषभादिज्ञानजननस्वभावत्वात्, नान्यथा ततस्तथा तदुत्पाद इति भावनीयम् । यदि नामैवं ततः किमित्याह - अपरस्यापि - वर्द्धमानादिज्ञानस्य तद्भावापत्तेः-ऋषभादिज्ञानापत्तेः । कथमित्याह - हेत्वविशेषादिति । ऋषभादिज्ञानजननस्वभावं
* અનેકાંતરશ્મિ
જ છે. અર્થાત્, વસ્તુનો એક અંશ એક કેવલીજ્ઞાનનું જનન કરે, બીજો અંશ બીજા કેવલીજ્ઞાનનું જનન કરે એવું નથી. સંપૂર્ણવસ્તુ જ દરેક કેવલીજ્ઞાનનું જનન કરે છે... આમ, દરેક કેવલીજ્ઞાનમાં સંપૂર્ણ વસ્તુ જ હેતુ બનતી હોવાથી, કારણના અભેદથી કાર્ય-અભેદ થાય, તેથી દરેક કેવલીના જ્ઞાનનો અભેદ થઈ જાય... પણ તેવું તો છે નહીં (વર્ધમાનસ્વામી-ઋષભસ્વામી બંનેનું જ્ઞાન એક તો નથી જ...) એટલે વસ્તુરૂપ કારણમાત્રથી અનંતકેવલીઓને તેનું જ્ઞાન માની શકાય નહીં...
(આ પદાર્થ સ્પષ્ટ થયો. હવે ગ્રંથમાં (૧) અવિકલ, અને (૨) તથાભાવનિયત એ બે પદ છે. તેનો આ સંદર્ભમાં અર્થ વિચારીએ -
(૧) અવિકલ : જો વિકલજ્ઞાન દરેક કેવલીને માનવાનું હોય તો તે શક્ય બની શકે (જે રીતે છદ્મસ્થને થાય છે તેમ) કારણ કે તેમાં વસ્તુ સંપૂર્ણ રીતે વ્યાકૃત નથી થતી, પણ એકસ્વભાવેન થાય છે. અનેકસ્વભાવેન નહીં... પણ કેવલીને તેવું વિકલજ્ઞાન માની શકાતું નથી... (છદ્મસ્થજ્ઞાનનું જનન કરવામાં વસ્તુની એકસ્વભાવતા જ કાર્ય કરે છે...)
-
(૨) તથાનિયત : ઉ૫૨ કહ્યું તેમ, એક સ્વભાવેન એક કેવલીજ્ઞાન, બીજા સ્વભાવેન બીજું... એમ હોય તો શક્ય બની શકે, પણ આખી વસ્તુ અનેકસ્વભાવવાળી છે અને એ જ રૂપે કેવલીશાન વિશે નિયત છે તો તેવી વસ્તુથી અનંત કેવલીઓનાં જ્ઞાનનું જનન ન થઈ શકે, નહીં તો કારણના અભેદથી બધા કેવલીઓનું જ્ઞાન અભિન્ન થઈ જવાની આપત્તિ આવે. વ્યાખ્યામાં મૂકેલ સ્વમાવત્વજ્ઞાનો અર્થ - જેમ એકસ્વભાવ એક વિશે નિયત હોય તો તેનાથી બીજું કાર્ય ન થાય તો તેના જેવી આ અનેકસ્વભાવતા પણ એકકેવલીજ્ઞાન વિશે જ નિયત થતાં - તે પણ એકસ્વભાવ જેવી જ બનતાં – તેના દ્વારા બીજા અનંત કેવલીઓનાં જ્ઞાન ન થઈ શકે... આવો અર્થ અમને લાગે છે. પૂર્વમુદ્રિતમાં સ્વભાવત્વવિત્ત્પાત્ એવો પાઠ છે. તે પણ આ રીતે વિચારી શકાય કે, વસ્તુ અનેક સ્વભાવે નિયત છે. કોઈપણ વસ્તુ નિયત કરીએ, ત્યારે કોઈકનો વ્યવચ્છેદ થાય. જેનો વ્યવચ્છેદ થાય તે નિયતનો વિકલ્પ હોય છે. (જો નિયત ન હોય તો એ વિકલ્પ સમજવો) અહીં એકસ્વભાવત્વના વિકલ્પથી અનેકસ્વભાવ નિયત કર્યો, અર્થાત્ એકસ્વભાવત્વનો વ્યવચ્છેદ કરી અનેકસ્વભાવરૂપે વસ્તુને જ્ઞાન વિશે નિયત કરી, તો આવી વસ્તુથી અનંત જ્ઞાન શી રીતે થાય ?... આમ, બંને પાઠને અનુસારે . ‘જાěડપિ યોશિત્વપિ તત્તખ્ખનન॰' કૃતિ -પાત: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org