SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (તૃતીયઃ स्यान्यथाग्रहणायोगात्, तत्सावधिकत्वात् न निरवधिकं ग्रहणं तद् ग्रहणमिति भावनीयम् ॥ (८५) मलसामर्थ्यात् तदग्रहणम्, तदग्रहणमेव सर्वथैकत्वात्, अन्यथाऽस्य - વ્યારણ્ય - इति समासः । कुत इत्याह-तस्येत्यादि । तस्य-अधिकृतस्वभावस्य । किविशिष्टस्येत्याहतज्जननस्वतत्त्वस्य-अपरावसायजननस्वभावत्वस्य, अन्यथा-तदपरावसायग्रहणमन्तरेण ग्रहणायोगात् । अयोगश्च तत्सावधिकत्वात् तत्-अपरावसायजननस्वभावो ह्यसाविति तत्सावधिकः । यदि नामैवं ततः किमित्याह-न निरवधिकं ग्रहणं तत्-अपरावसायजननस्वभावविकलं ग्रहणं तद्ग्रहणम्, तदपरावसायजननस्वभावग्रहणमिति भावनीयमेतत् ।। पराभिप्रायमाह-मलसामर्थ्याद् हेतोः तदग्रहणं-अपरावसायाख्यावध्यग्रहणम् । एतदाशङ्क्याह-तदग्रहणमेव तस्य-अधिकृतस्वभावस्याग्रहणमेव । कुत इत्याह-सर्वथैकत्वात्, एक - અનેકાંતરશ્મિ અનેકાંતવાદી જુઓ - ઘટનો સ્વભાવ (૧) ચૈત્રજ્ઞાનજનનરૂપ પણ છે, અને (૨) મૈત્રજ્ઞાનજનનરૂપ પણ છે... તેથી, ચૈત્ર જ્યારે ઘટસ્વભાવનો બોધ કરશે, ત્યારે તે સ્વભાવ અંતર્ગત મૈત્રજ્ઞાનજનનતાનો પણ બોધ થશે... પણ તે જનનતાનો બોધ પણ પાછો ત્યારે જ થઈ શકે, કે જ્યારે મૈત્રજ્ઞાનનો પણ બોધ થતો હોય, કારણ કે તેના બોધ વિના તજ્જનનતાનો બોધ અસંભવિત છે... ફલતઃ મૈત્રજ્ઞાનના બોધની આપત્તિ આવશે જ... એકાંતવાદીઃ મૈત્રજ્ઞાનજનનતાના બોધ માટે, મૈત્રજ્ઞાનનો બોધ કરવાની જરૂર શું? અનેકાંતવાદીઃ કારણ કે એવો નિયમ છે કે – “બે સાપેક્ષ પદાર્થનું જ્ઞાન, એકબીજાના જ્ઞાન વિના અસંભવિત છે, જેમ આંગળીઓની હ્રસ્વ-દીર્ઘતાનું જ્ઞાન...” - આ નિયમ પ્રમાણે, સાપેક્ષ પદાર્થના બોધની સાથે જ તે વસ્તુનું ગ્રહણ શક્ય છે... પ્રસ્તુતમાં, ઘટનો સ્વભાવ “જનક છે અને મૈત્રનું જ્ઞાન “જન્ય' છે – આમ, જન્યજનકવિધયા બંને સાપેક્ષ હોવાથી, નિરવધિક (=સાપેક્ષ પદાર્થનાં ગ્રહણ વિના) ગ્રહણ તો શક્ય જ નથી, અર્થાત્ ઘટનો “આ મૈત્રજ્ઞાનજનનસ્વભાવી છે એવો બોધ ત્યારે જ થઈ શકે, કે જયારે મૈત્રજ્ઞાનનો પણ બોધ થાય, અન્યથા નહીં. સારાંશ : તેથી ચૈત્ર જયારે ઘટને જાણશે, ત્યારે તે ઘટસ્વભાવ અંતર્ગત મૈત્રજ્ઞાનજનનતાનો પણ બોધ થશે અને તેનો બોધ થતાં તત્સાપેક્ષતયા મૈત્રજ્ઞાનનો પણ બોધ થશે જ... - એકાંતવાદીને કમપિ છુટકારો અસંભવિત છે : (૮૫) એકાંતવાદી એવા કોઈ મલના ( દોષના) સામર્થ્યથી, એવું માની લઈએ કે ચૈત્ર જ્યારે વસ્તુસ્વભાવનું ગ્રહણ કરે, ત્યારે મૈત્રજ્ઞાનજનનતાનો અવશ્ય બોધ થશે, પણ તે જેને સાપેક્ષ છે તે મૈત્રજ્ઞાનનો બોધ નહીં થાય. અનેકાંતવાદી: પણ એ રીતે, મૈત્રજ્ઞાનરૂપ સાપેક્ષ પદાર્થનો બોધ નહીં માનો, તો વસ્તુસ્વભાવનું ગ્રહણ જ નહીં થઈ શકે, કારણ કે એ સ્વભાવ સર્વથા એક છે, તેથી જો મૈત્રજ્ઞાનનું ગ્રહણ નહીં થાય, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy