________________
(૪)
(૨) એકાંતે માત્ર વિશેષ પરિણામ જ માનીએ, તો, સુવર્ણદ્રવ્યને લઈને વીંટી-બુટ્ટી-બ્રેસલેટ વગેરેનો જે સમાન આય-વ્યયરૂપ વ્યવહાર થાય છે, તે અનુપપન્ન થશે..
આ તો બે ઉદાહરણમાત્ર છે. બાકી તો જગતનો એક પણ વ્યવહાર અનેકાંત વિના ન જ ઘટે.. એટલે જ તો તાર્કિકશિરોમણી પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનો ઉદ્ગારે
“જેના વિના જગતના વ્યવહારોનો સર્વથા નિર્વાહ ન થાય, તે જગતના એકમાત્ર ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર થાઓ..”
અનેકાંતમાહાત્મવિશિકામાં પણ એ જ વાત જણાવી છે કે, જેના વિના લોકોનો વ્યવહાર ન જ ઘટે, તે અનેકાંતરૂપી તેજને નિરંતર નતમસ્તક વંદન !
પ. પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ, આ અનેકાંતને ખૂબ જ સચોટ તર્કોથી પ્રામાણિકરૂપે પુરવાર કર્યો છે. તેના અધ્યયન-અધ્યાપન દ્વારા સમ્યક્ત નિર્મલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવીએ, પરંપરાએ પરમપદને પામીએ એ જ શુભાભિલાષા..
આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ..
ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તેની સાર્વહૃદયે ક્ષમાયાચના..
વિવેચક ત્રઃ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિનેન્દ્રગુણ-રમિ૨નસૂરિચરણલવ
મુનિ ચશરત્નવિજય
“ને વિUI નો વવહારો સબૂદી નિબૂદ I
तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥' सम्मतितर्कप्रकरणम् । * "विना यं लोकानामपि न घटते संव्यवहतिः, समर्था नैवार्थानधिगमयितुं शब्दरचना ।
वितण्डा चण्डाली स्पृशति च विवादव्यसनिनं, नमस्तस्मै कस्मैचिदनिशमनेकान्तमहसे ॥४॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org