SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) (૨) એકાંતે માત્ર વિશેષ પરિણામ જ માનીએ, તો, સુવર્ણદ્રવ્યને લઈને વીંટી-બુટ્ટી-બ્રેસલેટ વગેરેનો જે સમાન આય-વ્યયરૂપ વ્યવહાર થાય છે, તે અનુપપન્ન થશે.. આ તો બે ઉદાહરણમાત્ર છે. બાકી તો જગતનો એક પણ વ્યવહાર અનેકાંત વિના ન જ ઘટે.. એટલે જ તો તાર્કિકશિરોમણી પ. પૂ. આ. ભ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજાનો ઉદ્ગારે “જેના વિના જગતના વ્યવહારોનો સર્વથા નિર્વાહ ન થાય, તે જગતના એકમાત્ર ગુરુસમાન અનેકાંતવાદને નમસ્કાર થાઓ..” અનેકાંતમાહાત્મવિશિકામાં પણ એ જ વાત જણાવી છે કે, જેના વિના લોકોનો વ્યવહાર ન જ ઘટે, તે અનેકાંતરૂપી તેજને નિરંતર નતમસ્તક વંદન ! પ. પૂ. સૂરિપુરંદર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ, આ અનેકાંતને ખૂબ જ સચોટ તર્કોથી પ્રામાણિકરૂપે પુરવાર કર્યો છે. તેના અધ્યયન-અધ્યાપન દ્વારા સમ્યક્ત નિર્મલ બનાવીએ, જિનવચન પરની શ્રદ્ધા દઢ બનાવીએ, પરંપરાએ પરમપદને પામીએ એ જ શુભાભિલાષા.. આ અધિકારમાં કયા પદાર્થો મહત્ત્વપૂર્ણ છે? તેનો ઉલ્લેખ અમે “રસાસ્વાદ' નામના એક સ્વતંત્ર નિબંધમાં કર્યો છે, જિજ્ઞાસુઓને ત્યાંથી જોવાની ભલામણ.. ગુરુભગવંત - સંશોધક - સહવર્તી - સહાયકોની કૃપાથી, આ અધિકાર પરનું ગુજરાતી વિવેચન તૈયાર થયું છે.. અજ્ઞાનતાવશાત્ મારાથી જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તેની સાર્વહૃદયે ક્ષમાયાચના.. વિવેચક ત્રઃ પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિનેન્દ્રગુણ-રમિ૨નસૂરિચરણલવ મુનિ ચશરત્નવિજય “ને વિUI નો વવહારો સબૂદી નિબૂદ I तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥' सम्मतितर्कप्रकरणम् । * "विना यं लोकानामपि न घटते संव्यवहतिः, समर्था नैवार्थानधिगमयितुं शब्दरचना । वितण्डा चण्डाली स्पृशति च विवादव्यसनिनं, नमस्तस्मै कस्मैचिदनिशमनेकान्तमहसे ॥४॥" Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy