________________
३७१ अनेकान्तजयपताका
(તૃતીય: 'पुरुषेच्छातोऽर्थानां स्वभावापरावृत्तेरित्यादि यावदशब्दसंयोजनमेवार्थं पश्यति दर्शनात्' इत्येततन्निविषयमेव, अत्र ह्यनेकस्वभावतापत्त्या वस्तुनो नैरात्म्यमिति परं दूषणम् । एतच्चैकानेकस्वभावतयाऽस्य तत्त्वतोऽदूषणमेव, अन्यथा तदसत्त्वप्रसङ्गादित्युक्तप्रायम् । अतो विरोधिशब्दवाच्यत्वेऽपि तत् तत्स्वभावतया तथोपलब्धेर्न कश्चिद् दोषः ॥.
વ્યાધ્યા . एवं च पुरुषेच्छातोऽर्थानां स्वभावापरावृत्तेरित्यादि पूर्वपक्षवचनं यावदशब्दसंयोजनमेवार्थं पश्यति दर्शनादित्येतन्निविषयमेव । कुत इत्याह-अत्रेत्यादि । अत्र यस्मात्-अनेकस्वभावतापत्त्या वस्तुनो नैरात्म्यमिति परं दूषणमुक्तम् । एतच्च दूषणमेकानेकस्वभावतया अस्यवस्तुनः तत्त्वतोऽदूषणमेव, अन्यथा-एवमनभ्युपगमे तदसत्त्वप्रसङ्गात्-वस्तुनोऽसत्त्वप्रसङ्गादित्युक्तप्रायं-प्रायेणोक्तम्, अतो विरोधिशब्दवाच्यत्वेऽपि सति, वस्तुन इति प्रक्रमः,
- અનેકાંતરશ્મિ .... વખતે સ્મૃતિ પૂર્વે સંકેત જોઈશે (એક સંકેતથી અનેકધા સ્મૃતિ નહીં થાય...) અને તે થતો ન હોવાથી વ્યવહારાભાવ થશે...)
આ રીતે, સંકેતની અપેક્ષા ન હોવાથી સિદ્ધ થાય છે કે, ચક્ષુ-રૂપની જેમ, શબ્દ-અર્થનો પણ સ્વાભાવિક સંબંધ છે જ...
- નિસ્વભાવતાનો દોષ પણ નિર્વિષયક (૭૮) તથા તમે “પુરુષની ઇચ્છાથી સ્વભાવ બદલાઈ જાય એવું નથી.” - ત્યારથી માંડીને જે કહ્યું હતું કે - એક જ પદાર્થ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી માનીએ તો? તો તો એક જ વસ્તુમાં અનેકસ્વભાવનું આપાદાન થતાં વસ્તુ નિઃસ્વભાવ બની જશે. તેથી એમ જ માનવું જોઈએ, કે દરેક વ્યક્તિ શબ્દસંયોજન વિના જ પદાર્થને જુએ છે...” - તે બધું કથન નિર્વિષયક છે, અર્થાત્ વિવક્ષિત અર્થથી શૂન્ય છે.
બૌદ્ધ : શું અમારું યુક્તિશઃ નિરૂપણ પણ નિર્વિષયક ?!
સ્યાદ્વાદી : હા, કારણ કે તે નિરૂપણમાં મુખ્ય તો તમારે એ દૂષણ આપવું છે કે - અનેક સ્વભાવનું આપાદાન થતાં વસ્તુ નિઃસ્વભાવ બની જશે - તે દૂષણ વાસ્તવમાં તો દૂષણરૂપ છે જ નહીં, કારણ કે દરેક વસ્તુઓ ખરેખર તો અનેકસ્વભાવી જ છે.
બૌદ્ધ : શું એક જ વસ્તુ અનેકસ્વભાવી ?!
સ્યાદ્વાદી : હા, અનેકસ્વભાવી !! અમે પ્રાયઃ કરીને બધું કહી જ દીધું છે કે, અનેકસ્વભાવી નહીં માનવામાં તે વસ્તુનાં અસત્ત્વનો પ્રસંગ આવશે. તેથી એક જ વસ્તુ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી - એમ જુદા જુદા સ્વભાવે વિરોધી શબ્દથી વાચ્ય હોવામાં કોઈ દોષ નથી.
૨. સમવત્સોવીન્તાં રપ-ર૬-ર૧૭તમાન પૃષ્ઠના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org