________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
-> अन्यतरविज्ञानस्य अविषयत्वप्रसङ्गात्, दृष्टेष्टविरोधात्, (७०) भिन्नसंस्थानबुद्ध्यसिद्धेः, तत्त्वतः अणुसमुदायाविशेषतस्तदयोगात् अस्याश्चानुभवसिद्धत्वात्, (७१) प्रतिक्षेपा
ન ચ
... भिरन्यथादर्शनात्, समुदायत्वेन दर्शनादित्यर्थः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमेऽन्यतरविज्ञानस्य-योगिविज्ञानस्यायोगिविज्ञानस्य वा अविषयत्वप्रसङ्गात् तदालम्बनस्वभावाभावेन । न चायं न्याय्यः प्रसङ्ग इत्याह-दृष्टेष्टविरोधात् । अयोगिज्ञानाविषयत्वे दृष्टविरोधः, योगिज्ञानाविषयत्वे चाभ्युपगमविरोध इति भावः । दोषान्तरमाह-भिन्नसंस्थानबुद्ध्यसिद्धेः, अणुसमुदायाविशेषेण घटशरावादिबुद्ध्यसिद्धरित्यर्थः । अमुमेवार्थं स्पष्टयन्नाह-तत्त्वतः-परमार्थेन अणुसमुदायाविशेषतः कारणात् तदयोगात्-भिन्नसंस्थानायोगेन
અનેકાંતરશ્મિ . કારણ કે યોગીઓને પ્રત્યેકરૂપે દેખાતા જ પરમાણુઓ અયોગીને સમુદાયરૂપે દેખાય છે – આમ પ્રત્યેક + સમુદાયરૂપે દેખાવું એ જ તો અનેકસ્વભાવતાનું લક્ષણ છે.
પ્રશ્ન : પણ અનેકસ્વભાવતાનાં નિરાકરણ માટે, તેઓને માત્ર (૧) સમુદાયરૂપ, કે (૨) પ્રત્યેકરૂપ માની લઈએ તો ?
ઉત્તર ઃ તો તો યોગી કે અયોગી બેમાંથી એકનું જ્ઞાન નિર્વિષયક માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - (૧) જો માત્ર સમુદાયરૂપ માનશો, તો – પ્રત્યેકરૂપતાનું ત્યાં અસ્તિત્વ જ ન રહેવાથી – પ્રત્યેકરૂપે થતું યોગીનું જ્ઞાન નિર્વિષયક થશે, અને (૨) જો માત્ર પ્રત્યેકરૂપ માનશો, તો - સમુદાયરૂપતાનું ત્યાં અસ્તિત્વ જ ન રહેવાથી - સમુદાયરૂપે થતું આપણા જેવા અયોગીનું જ્ઞાન નિર્વિષયક થશે, કારણ કે તે જ્ઞાનનાં આલંબનભૂત-વિષયભૂત પદાર્થ નથી.
પ્રશ્ન: પણ બેમાંથી એક જ્ઞાન નિર્વિષયક થઈ જાય તો વાંધો શું ?
ઉત્તર : શું કહો છો તમે ? એ રીતે તો દષ્ટ-ઇષ્ટનો વિરોધ થશે, કારણ કે (૧) જો અયોગીનું જ્ઞાન નિર્વિષયક માનશો, તો આપણા જેવાને અનુભવસિદ્ધ દષ્ટનો અપલાપ થશે, અને (૨) જો યોગીનું જ્ઞાન નિર્વિષયક માનશો, તો તમે જે સ્વીકારો છો કે “યોગીજ્ઞાન સર્વદા સત્ય જ હોય” - તે ઇષ્ટ-અભ્યાગમનો અપલાપ થશે... તેથી સમુદાયને અલગ જ ભાવરૂપ માનવો જોઈએ, પરમાણુરૂપ નહીં...
" - સમુદાયને પરમાણુરૂપ માનવામાં અનુભવનો અપલાપ :
(૭૦) વળી, સમુદાયને જો પરમાણુરૂપ માનશો, તો - પરમાણુના સમુદાયરૂપે ઘટ-પટાદિ બધા જ પદાર્થ સમાન હોવાથી - જુદા જુદા સંસ્થાન (આકાર) વગેરે રૂપે ઘટ-પટાદિની બુદ્ધિ જ નહીં થઈ શકે, કારણ કે (૧) ઘટ પણ અણુસમુદાયરૂપ, (૨) પટ પણ અણુસમુદાયરૂપ... એમ કટ-મઠાદિ બધા જ અણુસમુદાયરૂપે અવિશેષ રહેવાથી, ઘટ-પટાદિમાં કોઈ ફેર જ નહીં રહે અને તેથી તો ભિન્ન
૨. “વવાવાભાવેન' રૂતિ -પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org