SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ३५५ < ( તૃતીયઃ सञ्चयात्मकत्वेन अणूनां चाप्रतिभासनादित्यादेः, बाह्यार्लम्बनवादिनैकानेकस्वभावमेतदङ्गीकर्तव्यमितिं योगः । तथाऽणूनां चाप्रतिभासनादिति सिद्धमेव । न ह्यणव: पृथग्जनविज्ञाने प्रतिभासन्ते, तत्समूहः प्रतिभासत इत्येतन्निरासायाह- समूहस्य, प्रक्रमादणुसमूहस्य, अद्रव्यसत्त्वात्अँपरमार्थसत्त्वात् । तद्व्यतिरिक्तोऽद्रव्यसंस्त एव तु सन्त इति एतद्व्यपोहायाह -तेषामेव अणूनां तत्त्वे-समूहत्वे तद्वत्-अणुवत् अनुपलम्भात् । तथाहि - अणव एव समूहस्ते चादृश्या * અનેકાંતરશ્મિ .. अनेकान्तजयपताका શક્ય બને... આશય એ છે કે, બૌદ્ધમતે સ્વલક્ષણને નિરંશ માનવું સંભવિત જ નથી, કારણ કે (૧) જે ઘટાદિનો પ્રતિભાસ થાય છે, તેને તો તમે સ્વલક્ષણ માનતાં નથી, અને (૨) જે ૫૨માણુઓને તેઓ સ્વલક્ષણ કહે છે, તેઓને તો કદી પ્રતિભાસ જ થતો નથી. આવી આફતમાં બૌદ્ધને એવું જ માનવું પડશે, કે તે પરમાણુઓ એકાનેકસ્વભાવી છે, અર્થાત્ એક જ પરમાણુ (૧) પ્રત્યેક અવસથામાં અદૃશ્યસ્વભાવી, અને (૨) સમુદાય અવસ્થામાં દશ્યસ્વભાવી... આમ, સ્વલક્ષણને એકાનેકસ્વભાવી તો માનવું જ પડશે, નહીંતર જ્ઞાનની બાહ્યાલંબનતા જ અઘટિત બંનશે. (આ પ્રમાણે અનૂનાં પાત્ર... એ પંક્તિનો, આગળ આવનારી અનેશ્ર્વમાવમેતવર્ણીર્તવ્યમ્... એ પંક્તિ સાથે અન્વય કરવો... વચ્ચે આ જ પ્રસંગને અનુરૂપ બધી વાતો થશે...) * બૌદ્ધમતે વિષયપ્રતિભાસ જ અસંગત ઠરશે બૌદ્ધ : આપણા જેવા છદ્મસ્થ પ્રમાતાને, પરમાણુઓનો ભલે પ્રતિભાસ ન થતો હોય, પણ તેના સમૂહનો પ્રતિભાસ તો થાય જ છે ને ? તો પછી બાહ્યાલંબનતા કેમ ન ઘટે ? સ્યાદ્વાદી : પણ પરમાણુઓના સમૂહને તો તમે અપરમાર્થસ=અસત્ માનો છો, અર્થાત્ તેને વાસ્તવિક માનતા નથી, તો પછી તેને આશ્રયીને બાહ્યાલંબનતા શી રીતે ઘટાવી શકાય ? બૌદ્ધ ઃ પરમાણુઓથી અતિરિક્ત સમૂહને જ અમે અવાસ્તવિક માનીએ છીએ, બાકી પરમાણુઓ તો છે જ, તે જ તેનો સમૂહ છે. (અર્થાત્ નૈયાયિકની જેમ જુદો અવયવી નથી માનતાં, બાકી પરમાણુનો ઢગલો તો છે જ...) સ્યાદ્વાદી : પણ એ રીતે, જો દેખાતી વસ્તુઓને પરમાણુઓના સમૂહરૂપ માનશો, તો – પરમાણુ અદશ્ય હોવાથી – પરમાણુની જેમ તેનો સમુદાય પણ અદશ્ય જ રહેશે, કારણ કે તેમાં તે પરમાણુઓ જ સમુદાયરૂપ છે. * પણ આવું માની લે, તો સ્વલક્ષણ અનેકસ્વભાવી સિદ્ધ થતાં તેને નિરંશ નહીં માની શકાય, પણ નિરંશ તો માનવું છે જ, માટે બૌદ્ધ અનેકસ્વભાવને દૂર કરવા જાતજાતના વિકલ્પો કરે છે, જેનું ગ્રંથકારશ્રી સચોટ આપત્તિઓ આપવા દ્વારા નિરાકરણ કરશે. ૬. ‘લમ્બનત્વાનિા॰' કૃતિ -પાઇ: । ૨. પ્રેક્ષ્યતાં રૂ૧-૨૬૦તમે પૃઃ । ३. ' इत्येवं निरासायाह' इति ङપાઠ: I ૪. ‘અપરપરમાર્થ’ કૃતિ ૩-પાન: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy