________________
३४७ अनेकान्तजयपताका
(તૃતીય भेदतस्ततस्ततस्तत्र तत्राविलम्बितादिप्रतीतिभावात्, अविगानेन तथा व्यवहारसिद्धेः, अस्य चान्यथाऽयोगात्, निमित्तानुपपत्तेः ॥
વ્યારા .. 'आदि'शब्दात् क्षेत्रकालादिग्रहः, तत्तद्रव्याद्यपेक्षत इति तत्तद्रव्याद्यपेक्षः, तत्तद्र्व्याद्यपेक्षश्चासौ क्षयोपशमभेदश्च भेदः-विशेष इति विग्रहस्तस्मात् । ततस्ततः, प्रक्रमाच्छब्दात् नीरोदकादेः, तत्र तत्र-उदकादौ वस्तुनि अविलम्बितादिप्रतीतिभावात् अविलम्बिता-अव्यवहिता, यथा नीरशब्दाद् दाक्षिणात्यस्योदकार्थे तत्प्रतीतिः, विलम्बिता तु तस्यैव अन्यदेशमागतस्य अन्यथासमयग्रहणे उदकशब्दात् तत्रेति इयमादिशब्देन गृह्यते । अन्या च चित्रा सत्येतरादिरूपेति । प्रतीतिभावश्च अविगानेन तथा-अविलम्बितादित्वेन व्यवहारसिद्धेः कारणात् अस्य
- અનેકાંતરશ્મિ છે પ્રશ્નઃ “પ્રાયઃ કરીને કહેવાની શી જરૂર?
ઉત્તર અનભિલાપ્ય પદાર્થના વ્યવચ્છેદ માટે... અર્થાત્ અનભિલાપ્ય (અવાચ્ય) પદાર્થ કોઈ પણ શબ્દથી વાચ્ય નથી એવું બતાવવા માટે તેમ કહ્યું.
પ્રશ્નઃ વસ્તુ સર્વશદ્વાચ્યતાસ્વભાવવાળી છે એવું શી રીતે જણાય?
ઉત્તર : કારણ કે ઉદકાદિ વસ્તુ વિશે, દ્રવ્યાદિને આશ્રયીને થતા ક્ષયોપશમભેદ, તે તે શબ્દથી અવિલંબિતાદિ પ્રતીતિ થાય છે.
ભાવાર્થ એક જ ઉદકરૂપ વસ્તુ નીર, ઉદક, જળ વગેરે સર્વ શબ્દથી વાચ્ય બને છે. તે આ રીતે -
જેમકે દક્ષિણપ્રદેશના વ્યક્તિને “નીર' શબ્દથી પાણીની પ્રતીતિ તરત થાય છે. હવે તે વ્યક્તિ અન્ય દેશમાં આવી હોય અને (અન્યથાસમયપ્રણે) પાણીને “ઉદક પણ કહેવાય છે એવું એને ખબર પડે પછી પણ “ઉદક' સાંભળતા તરત પાણીની પ્રતીતિ નથી થતી, પણ વિલંબ થાય છે, કારણ કે નીર' એટલે પાણી એવું ઘણાં અભ્યાસથી આત્મસાત્ થયું છે, પણ “ઉદક એટલે પાણી એ એટલું આત્મસાત્ થયું નથી...
વળી, કોઈને તેવા ક્ષયોપશમથી સત્યપ્રતીતિ પણ થાય તો કોઈને અસત્યપ્રતીતિ પણ થાય (જેમ કે કોઈને મમરીચિકામાં જળ દેખાય, તો કોઈને રેતીરૂપ યથાવસ્થિત વસ્તુ દેખાય...)
આ રીતે જુદી જુદી પ્રતીતિ ક્ષયોપશમભેદથી થાય છે અને ક્ષયોપશમ દ્રવ્યાદિ સાપેક્ષ છે.
(દા.ત. (૧) ક્ષયોપશમ, દ્રવ્યસાપેક્ષ છે – એક જ વ્યક્તિને ઘટને જોઈને “આ ઘટ છે' એવો ક્ષયોપશમ થાય, પટને જોઈને ન થાય... (૨) ક્ષેત્ર સાપેક્ષ – અમુક ક્ષેત્રમાં અમુક શબ્દથી અમુક વસ્તુનું જ્ઞાન થાય, બીજા ક્ષેત્રમાં એ જ શબ્દથી બીજી વસ્તુનું જ્ઞાન થાય... તેમ કાળસાપેક્ષ વગેરે પણ ઘટાવવા.)
૨. પૂર્વમુદ્રિતે તુ “અદે' ત પાઠક, અત્ર તુ D-પ્રતાનુસારેગ શુદ્ધિઃ કૃતા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org