________________
अनेकान्तजयपताका
(તૃતીયઃ बोधवताऽनुच्चारणात्, प्रष्ट्रा व्यभिचार इति चेत्, न, तस्यापि प्रश्नाभिलापसम्पृक्त
शब्दान्तरत्वात् । अन्तर्जल्पाकारबोधशब्दमधिकृत्य तस्यापि-प्रयोगे उच्चार्यमाणस्य शब्दस्य शब्दान्तरत्वात् । शब्दान्तरस्य तद्बलेनैव-अन्तर्जल्पाकारबोधशब्दसामर्थ्येनैव प्रवृत्तेः । कुत एतदेवमित्याह-तदसम्पृक्तबोधवता-शब्दासम्पृक्तबोधवता, अविकल्पबोधवतेत्यर्थः, भाणकेनेति प्रक्रमः । किमित्याह-अनुच्चारणात् कारणात् प्रष्ट्रा-पुरुषेण व्यभिचारः, स हि तदसम्पृक्तबोधवान् तत् पृच्छन् समुच्चारयति, अन्यथा प्रश्नायोगः तज्ज्ञानादेव । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापि-प्रेष्टुः प्रश्नाभिलापसम्पृक्तबोधवत्त्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमेऽविकल्पबोधवतः प्रश्नाभावात् । तस्मात् किञ्चिज्जानन्
- અનેકાંતરશ્મિ જ થાય તેવો અનુભવ નથી થતો, પણ (અભ્યાસના કારણે) જેવો પદાર્થ દેખાય કે અંતસ્તલ પર (ભીતરમાં) શબ્દસંયુક્ત બોધ જ થાય છે, તેવો અનુભવ થાય છે અને તે જ સ્મૃતિરૂપ છે... અને ઉચ્ચારાતા શબ્દો (ઘટ-પટાદિ) તે બોધશબ્દથી જુદા છે... (એટલે, ઉચ્ચારાતા શબ્દોને અંતર્જલ્પાકારબોધશબ્દની અપેક્ષા છે, પણ સ્મૃતિની અપેક્ષા નંથી...)
ભાવાર્થઃ બહાર પ્રયોગરૂપે ઉચ્ચારણ કરાતા “ઘટ-પટ વગેરે પણ એક પ્રકારના શબ્દ જ છે, પણ તેઓ બોધરૂપ શબ્દાકારથી જુદા છે. તેઓની પ્રવૃત્તિ પણ, અંતર્જલ્પાકારરૂપ (ભીતરમાં શબ્દાકારે થતાં) બોધથી જ શક્ય છે, અર્થાતુ અંદર જો તેવું શબ્દાકારે સંવેદન થાય, તો જ બહાર “ઘટ-પટ’ વગેરે શબ્દોનો અભિલાપ થઈ શકે. બાકી જો (તસંસ્કૃ#=) શબ્દાકારથી સંયુક્તરૂપે અંદર બોધ ન થયો હોય – નિર્વિકલ્પબોધ અવગ્રહમાત્રરૂપ હોય – તો તે વ્યક્તિ તે શબ્દનું ઉચ્ચારણ જ ન કરી શકે.
(૬૨) પ્રશ્ન પણ તમારી વાત પ્રશ્નકર્તામાં વ્યભિચરિત છે, કારણ કે એક વાત નક્કી છે કે “તે વાતનું જ્ઞાન નથી, માટે જ તે પ્રશ્ન કરે છે, બાકી જ્ઞાન હોત તો પ્રશ્ન જ ન કરત” ફલત અંતર્જલ્પાકાર સંવેદન ન હોવા છતાં પણ, તેના દ્વારા શબ્દનું ઉચ્ચારણ થતું સ્પષ્ટ દેખાય છે, તો પછી “તાદશ સંવેદનથી જ શબ્દોચ્ચાર થાય” – એવું શી રીતે કહી શકાય ?
ઉત્તર: એવો વ્યભિચાર નથી, કારણ કે પ્રશ્ન કરનારને પણ પ્રશ્નના શબ્દોથી જ પ્રશ્ન કરવાનો છે, તેના શબ્દોથી) સંસૃષ્ટરૂપે તો બોધ હોય જ છે. બાકી જો તે શબ્દનું જોડાણ જ ન હોત, તો - તે વ્યક્તિ અવિકલ્પ બોધવાળો હોવાથી - તેના દ્વારા પ્રશ્ન જ ન થઈ શકત.
બૌદ્ધપૂર્વપક્ષની સંપૂર્ણ ઈમારત “સ્મૃતિની અપેક્ષા રૂપ પાયા પર બની હતી, પણ ગ્રંથકારશ્રીએ સ્મૃતિ વિના પણ સશબ્દ સંવેદનની સિદ્ધિ કરવા દ્વારા, તે પાયા પર જ પ્રથમ પ્રહાર કર્યો... ફલતઃ “સંપૂર્ણ જગત અંધ બનવા' સુધીની ઈમારત ધરાશાયી થઈ ! કઈ રીતે થઈ ? તે ગ્રંથકારશ્રી હવે આગળ બતાવશે.
१. 'शब्दस्य शब्दान्तरत्वात्' इति पाठो पूर्वमुद्रिते नास्ति, अत्र तु D-प्रतानुसारेण विन्यस्तः । २. 'तदज्ञानादेव' રૂતિ પૂર્વમુદ્રિત પ4િ:, મત્ર તુ -પાઠ: રૂ. ‘છુઃ પ્રફના' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org