SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદનશૈલી... ૭૧ ૦ W 0 = P m (૩) સામાન્ય-વિશેષ અનેકાંતવાદ ૪ જિ (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય અનેકાંતવાદ ૫ ૪િ (૫) બાહ્યાર્થસિદ્ધિ અધિકાર (૬) અનેકાંતવાદમાં જ મોક્ષ # પ્રસ્તુત પ્રકાશનમાં સંપાદિત કરેલ મૂળગ્રંથ-વ્યાખ્યા વગેરે માટે, પં. હીરાલાલ કાપડીયા દ્વારા પૂર્વસંપાદિત મૂળ-વ્યાખ્યા વગેરેનો જ મૂળ આધાર રાખેલ છે અને પૂર્વસંપાદન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે થયું હતું. પણ ત્યારે ઉપલબ્ધ સામગ્રી ઓછી હોવા વગેરેના કારણે ઘણા સ્થળે મહત્ત્વની અશુદ્ધિઓ રહી ગઈ હતી.. એટલે અમે લગભગ ૨૦ જેટલી હસ્તપ્રતોના આધારે, ગ્રંથ-વ્યાખ્યા-વિવરણના જે જે સ્થળે અશુદ્ધિ જણાઈ, ત્યાં બધે શુદ્ધ પાઠોની ગવેષણા કરી. નહીં નહીં તો ૩૦૦ ઉપરાંત અશુદ્ધિઓનું પરિમાર્જન થયું હશે... અને પછી મળેલા શુદ્ધ પાઠોને જ અહીં મુખ્ય તરીકે રાખેલા છે.. ઉ પૂર્વમુદ્રિતમાં કેટલાક શુદ્ધપાઠો ફૂટનોટમાં મૂક્યા હતા, પણ અમે તે બધાને મુખ્ય તરીકે રાખીને પૂર્વમુદ્રિત પાઠને ફૂટનોટમાં મૂકેલ છે.. * સંપાદન-અનુવાદાદિ પૂર્વે હસ્તપ્રતો દ્વારા શુદ્ધીકરણની અત્યંત આવશ્યકતા * સંસ્કૃતમાં, એક માત્રા કે વિરામચિન્હની નાનકડી ભૂલો પણ અર્થનું અનર્થ સર્જી દે છે... “અનેકાંતજયપતાકા' ગ્રંથનું સંપાદન-અનુવાદ કરતી વખતે અનેક અનુભવો થયા કે “હસ્તપ્રત વિના તે તે અશુદ્ધ પંક્તિઓ દ્વારા ગ્રંથનો રહસ્યાર્થ કોઈ જુદી જ દિશામાં ફેરવાઈ જાત...' •એક ઠેકાણે પૂર્વમુદ્રિતમાં ‘આક્ષેપત:' એવો પાઠ હતો, તેનો પ્રસંગથી અર્થ એવો નીકળતો હતો કે “આક્ષેપથી વ્યક્તિ પ્રવૃત્તિ કરે' પણ આમાં સમસ્યા એ સર્જાય કે “આક્ષેપથી પ્રવૃત્તિ એટલે શું ? હસ્તપ્રતો જોઈ.. ત્યારે પકડાયું કે ‘ગક્ષેપતઃ' એવો પાઠ છે, પછી અર્થ બેસી ગયો કે ‘તરત જ વિલંબ વિના વ્યક્તિ પ્રવૃત્તિ કરે..” હવે અહીં હસ્તપ્રત વિના માત્ર કલ્પનાથી અર્થ બેસાડવા પ્રયત્ન કર્યો હોત, તો પંક્તિનું તાત્પર્ય કોઈક જુદી જ દિશામાં ફેંકાઈ જાત... • હસ્તપ્રતમાં ક્યાંક અવગ્રહ ન હોવાથી ને ભૂલથી સંધિચ્છદ થઈ જતા પણ અર્થનો અનર્થ સર્જાઈ જાય છે. દા.ત. પૂર્વમુદ્રિતમાં ‘સ માન' એવી પંક્તિ હતી, પણ પૂર્વાપર સંદર્ભથી એ પંક્તિ ખોટી જણાતી હતી. હસ્તપ્રત જોતાં જણાયું કે, ત્યાં “સવાડમાવે' એમ લખવું જોઈએ... વિરામચિહ્ન શબ્દોની આગળ-પાછળ થઈ જતાં, પૂર્વપક્ષની પંક્તિ ઉત્તરપક્ષમાં જતી રહેતાં કે ઉત્તરપક્ષની પંક્તિ પૂર્વપક્ષમાં આવી જતાં, તે તે પદાર્થો બેસાડવાની વિષમ સમસ્યાઓ સર્જાઈ જાય ! આવું પણ પૂર્વમુદ્રિતમાં અનેકવાર અનુભવાયું... કલાકો સુધી એ પંક્તિ પર વિચાર કરવા 5) છતાં પણ ન બેસતાં, એક વિરામચિહ્ન બદલી દેવા માત્રથી ક્ષણવારમાં સુંદરતમ અર્થ બેસી ગયો... - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy