SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદનશૈલી... ૭૨ Se ♦ ક્યાંક બે-ચાર પંક્તિઓ ફરી પુનરાવર્તન પામતી દેખાઈ, તો ક્યાંક બે-ચાર પંક્તિઓ પૂર્વમુદ્રિતમાં હતી જ નહીં ને હસ્તપ્રત જોતાં મળી આવી એવું પણ બન્યું ! ♦ ક્યાંક ‘પટ’ એવો પાઠ હતો, જે માટીજન્યતા વગેરે પ્રસંગને અનુસારે અસંગત જણાતો હતો... પણ હસ્તપ્રતોમાં, ત્યાં ‘ઘટ’ એવો પાઠ મળી ગયો... આ રીતે અન્યમનસ્કતા વગેરેના કા૨ણે પૂર્વસંપાદકોની અનેક સ્ખલનાઓ હોય છે. • વ્યાખ્યાની જુદી જુદી પંક્તિઓ પર પૂ.આ. મુનિચંદ્રસૂરિ મ.સા.નું વિવરણ છે.. હવે પૂર્વમુદ્રણગત વિવરણને હસ્તપ્રતો સાથે મેળવતા, કેટલાક વિવરણો તો એવા નવીન પ્રાપ્ત થયા કે જેનું પૂર્વમુદ્રિત પુસ્તકમાં અસ્તિત્વ જ નહોતું.. • ક્યાંક વ્યાખ્યાની કઈ પંક્તિનું કયું વિવરણ છે - એ અંગે થાપ ખાઈ જવાથી, પૂર્વસંપાદક દ્વારા કોઈ જુદી જ પંક્તિના વિવરણ તરીકે તેનો ઉલ્લેખ કરાયો હતો અને તેથી જ પદાર્થ બેસાડવાની મથામણ થયા કરતી હતી... • ઘણીવાર બે અક્ષર વચ્ચેના વાસ્તવિક અક્ષરના ઠેકાણે બીજો કોઈ અક્ષર વંચાઈ જતા પણ અર્થફે૨ સર્જાઈ જાય છે. દા.ત. પૂર્વમુદ્રિતમાં ‘અતત્સમ્બન્ધ.' એવો પાઠ હતો, પણ તે ભૂલવાળો હતો અને તેથી જ અર્થ નહોતો બેસતો... પછી હસ્તપ્રત જોતા જણાયું કે, અહીં તો ‘ગત: સમ્બન્ધ.’ એવો પાઠ છે... • ક્યાંક હેતુવિભક્તિઓ બદલાઈ ગયેલી દેખાય, તો ક્યાંક સંદર્ભહીન કોઈક જુદા જ શબ્દો આવી ગયેલા દેખાયા. . . ક્યાંક તો વળી વચલા મહત્ત્વના શબ્દો જ ઊડી ગયેલા દેખાય. . (દા.ત. પૂર્વમુદ્રિતમાં ‘સમ્ભવસ્તવાજત્વાવિતિ। વત્વારિ (?) બોધત ફતર: (?) તસ્યાઁપત્તિ:' જ્યારે હસ્તપ્રતમાં .....‘સમ્ભવ: । ન ચાસમ્ભવસ્તવારત્નાવિત્તિ ત્વવિરોધ: તરસ્યાત્તિઃ' આવી બે-ચાર નહીં; પણ પૂષ્કળ બાબતો છે... ટૂંકમાં એટલું જ જણાવવું છે કે, પૂર્વસંપાદનનું બેઠેબેઠું નવું સંપાદન કરતા પહેલા કે સીંધેસીધો અનુવાદ ઉતારી દેતા પહેલા, (૧) ગ્રંથની પંક્તિઓ ૫૨ પુન્ન વિચા૨, (૨) પૂર્વાપર સંદર્ભથી અર્થસંગતિ, (૩) અશુદ્ધ જણાતા પાઠોનું હસ્તપ્રતો દ્વારા શુદ્ધીકરણ, (૪) અર્થનો ચોક્કસ નિર્ણય....એ બધું અત્યંત અત્યંત આવશ્યક છે... નહીં તો સૂત્ર, ઉત્સૂત્ર બની જતા વાર ન લાગે ને તેનાથી જે ઉન્માર્ગ પ્રર્વતે તેને રોકનાર કોઈ ન રહે... ન એટલે સંપાદક-અનુવાદકો આ બાબતને ગંભીરપણે વિચારે ને અવશ્ય આચરણમાં મૂકે એવી વિનમ્ર વિજ્ઞપ્તિ... પૂર્વસંપાદકે, -પાઇ, જી-પાટ, ૧-પા, ધ-પાઇ, ટુ-પાઠ અને ચ-પાઠ આમ લગભગ ૬ સંજ્ઞાઓ આપીને પાઠ-પાઠાંતરોની ટીપ્પણીઓ મૂકી હતી, તેનો પણ અમે પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ કર્યો છે. વિદ્વાનો અર્થભેદ જણાતા તે પાઠાંતરોને પણ ઉપયોગમાં લઈ શકે... અને અર્થશુદ્ધિ-અર્થનિર્ણય માટે અમે, તે તે સ્થળે ૧૮-૨૦જેટલી હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે અને તેના શુદ્ધ પાઠોનો ને પૂર્વમુદ્રિતના અશુદ્ધ પાઠોનો નિર્દેશ પણ તે તે સ્થળે કર્યો છે જ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy