SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા સ્વપજ્ઞ કે અન્યકક? ૬૯ છે (ક) પૂર્વની પંક્તિમાં હરિભદ્ર સુ.મ.નો પ્રયોગ ત્રીજા પુરુષમાં થયો છે.. આ પંક્તિમાં વૃત્તિકારે , પોતાના માટે પ્રથમ પુરુષ વાપર્યો છે... જો વૃત્તિકાર હરિભદ્રસૂ. મ. પોતે જ હોય, તો એક પંક્તિમાં છે પોતાના માટે ત્રી. પુ. વાપરીને તરત પછીની પંક્તિમાં પ્રથમ પુ. વાપરે, તે પણ વિચારણીય લાગે છે... આના પરથી પણ અનુમાન થાય કે વૃત્તિકાર હરિભદ્ર સૂ.મ. નથી. (ખ) વૃત્તિકારે પોતે ગ્રંથકારપણાને પામ્યા એમ જણાવ્યું છે. અનેકાંતજયપતાકા, હરિભદ્ર સૂ.મ.નો પ્રથમ ગ્રંથ નથી. તેઓ તો પૂર્વેથી જ ગ્રંથકાર છે જ. એટલે એવું જણાય છે કે વૃત્તિકારનો આ પ્રથમ ગ્રંથ હશે, જેથી તેઓ કહે છે કે અમે ગ્રંથકાર બન્યા. આ પણ વૃત્તિકાર હરિભદ્ર સૂ.મ.થી ભિન્ન હોવાનો નિર્દેશ કરે છે. વળી, મંદબુદ્ધિવાળાના પ્રભાવે ગ્રંથસર્જન થયું હોવાનું વૃત્તિકાર જણાવે છે... હરિભદ્રસૂ.મ.નો મૂળ ગ્રંથ, મંદબુદ્ધિવાળા માટે નથી, એ તો વાંચતા જ સમજાય તેવું છે... તીવ્રપ્રજ્ઞાવાળા જ એ ગ્રંથને સમજી શકે તેમ છે. મંદબુદ્ધિવાળા માટે વૃત્તિ રચાઈ છે, એટલે વૃત્તિકાર તેમનો ઉપકાર માની રહ્યા છે. આના પરથી પણ એ જણાય છે કે વૃત્તિકાર હરિભદ્ર સુ.મ.થી ભિન્ન હોવા જોઈએ. અને એક શક્યતા એ પણ છે કે, “વ્યાખ્યા પણ હરિભદ્રસૂરિકૃત છે' એવી ચાલી આવેલી માન્યતાના કારણે ‘ટીÀË......' આ શબ્દો, પાછળના સંપાદકોએ-લહિયાઓએ ઉમેરેલા હોય. અહીં એ નોંધવા લાયક છે કે વ્યાખ્યાકારશ્રી જુદા હોય તો પણ તેઓશ્રી પૂ. હરિભદ્રસૂ.મ.ના નિકટકાલીન જ હશે... કારણ કે પાના નં. ૪૭ પર વ્યાખ્યાકારશ્રી જણાવે છે કે – 'अर्थादुक्तोऽप्युपन्यस्तः, साम्प्रतकालीयग्रन्थकारशैल्या' એટલે કે પ્રમાણવાર્તિકની વાત અર્થથી જણાઈ જવા છતાં પણ, મૂળકાર (હરિભદ્ર સૂ.મ.), વર્તમાનકાલીન ગ્રંથકારોની શૈલીથી ફરી જણાવે છે... જો વ્યાખ્યાકારશ્રી દૂરવર્તી હોત, તો સામ્રતwતીય ના બદલે તાનીય એવો પ્રયોગ કરત.. અને તેનો અર્થ એ થાત કે, “મૂળકાર, તે કાળના (મૂળકાર વખતના કાળના) ગ્રંથકારોની શૈલીથી ફરી જણાવે છે ઈત્યાદિ. પણ એવું ન જણાવી ‘હમણાંના ગ્રંથકારોની શૈલીથી મૂળકાર જણાવે છે એવું કહ્યું છે, તેનાથી વ્યાખ્યાકારશ્રી પૂ. હરિભદ્ર સૂ.મ.ના નિકટકાલીન હોવા જોઈએ, એવું ફલિત થાય છે. અલબત્ત, . આ અંગે અંતિમ નિર્ણય કરવો મારા માટે અસંભવ છે. છતાં ઉપલબ્ધ પ્રમાણોનું અવલોકન કરતાં મને જે જણાયું, તે મેં જણાવ્યું છે. બહુશ્રુતો આના ઉપર વિચારે અને જણાવવા જેવું જણાવે, તેવી વિનંતી. જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તેનું અંત:કરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્... II મુ. ભવ્યસુંદરવિજયજી મ.સા. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy