SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું... ૬૦ વ્યાખ્યાની કેટલીક ક્લિષ્ટ પંક્તિઓ ૫૨ સ૨ળ-સુગમ-સુંદર વિવરણનું નિર્માણ કર્યું.. જેનું નામ છે ‘અનેકાંતજયપતાકા-ઉદ્યોતદીપિકા’ અને એનાથી અનન્ય ઉપકાર કર્યો છે, એ મહાપુરુષે ! ૧. TM વ્યાખ્યા-વિવરણના પદાર્થોને સાથે લઈને અનેકાંતજયપતાકાના હાર્દને, ગુજરાતી ભાષામાં સરળ શબ્દદેહ આપીને સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન એટલે ગુજરાતી ભાવાનુવાદનું નિર્માણ ! જેનું નામ છે ‘અનેકાંતરશ્મિ' ! અર્થાત્ અનેકાંતજયપતાકાના પદાર્થો વિશે પ્રકાશ પાથરવા રશ્મિસમી (=કિરણસમી) બનનારી ગુર્જરવૃત્તિ... * ગ્રંથની રૂપરેખા * ગ્રંથના મુખ્ય પાંચ વિષયો છે : (૧) સદસદ્ અનેકાંતવાદ . . (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ... (૩) સામાન્ય-વિશેષ અનેકાંતવાદ.. (૪) અભિલાપ્ય-અનભિલાપ્ય અનેકાંતવાદ.. (૫) અનેકાંતવાદમાં જ મોક્ષ.. પ્રસ્તુત ગ્રંથ, ૬ અધિકારમાં વિભાજિત છે.. તેમાં પહેલા અધિકારમાં ઉપરોક્ત પાંચે વિષયોનો પૂર્વપક્ષ મૂક્યો છે અને પછી ઉત્ત૨૫ક્ષગ્રંથ શરૂ કરી પહેલા વિષયનું તલસ્પર્શી નિરૂપણ કર્યું છે.. બીજા, ત્રીજા અને ચોથા અધિકા૨માં અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા વિષયનું સુવિશદ વર્ણન છે.. વચ્ચે પાંચમા અધિકારમાં પ્રસંગોપાત્ બાહ્યાર્થસિદ્ધિનું સુવિસ્તૃત આલેખન છે.. અને છેલ્લે છઠ્ઠા અધિકારમાં પાંચમા વિષયનું સુસ્પષ્ટ નિરૂપણ છે.. પ્રસ્તુત પ્રકાશનના પાંચ ભાગ છે, તેમાં પહેલા ભાગમાં બે અધિકાર ને બાકીના ભાગોમાં એકેક અધિકાર.. એમ કુલ ૫ ભાગમાં ૬ અધિકારનું વિભાજન કર્યું છે.. rTM પ્રસ્તુત ગ્રંથની શૈલી જ ખૂબ જ અર્થગંભીર છે, થોડા જ શબ્દોમાં વિપુલ પદાર્થોનો રસથાળ ભર્યોછે.. ૪ એક હેતુને સિદ્ધ કરવા બીજો હેતુ.. બીજા હેતુને સિદ્ધ કરવા પાછો ત્રીજો હેતુ. . આ રીતે હેતુશૃંખલા દ્વારા પદાર્થોનું તર્કપૂર્ણ સ્પષ્ટીકરણ... ≈ લૌકિક ન્યાયો ને દાખલાઓ દ્વારા પદાર્થને સમજાવવાના સુરમ્ય ઉપાયનો આદર... જ ગદ્ય ગ્રંથમાં પણ કેટલાક વિષયોને શ્લોકરૂપે ગૂંથીને ગદ્ય-પદ્યનો સુભગ સમન્વય.. ૧. ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું જીવન કવન, ૫.પૂ. વિદ્વર્ય આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજે આલેખ્યું છે (‘એક વીર પુરુષ’ લેખ) અને વિવરણકારશ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજાનું જીવનકવન પ.પૂ. પં.પ્ર. વિદ્વન્દ્વર્ય શ્રી મુક્તિચન્દ્ર-મુનિચન્દ્ર મહારાજે આલેખ્યું છે (‘બજે મધુર બંસરી' લેખ) તે જિજ્ઞાસુઓને જોઈ લેવા ભલામણ.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy