SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું... ૫૯ તો પરમ સામ્યની પરાકાષ્ઠા રૂપ આપશ્રીનું સ્વરૂપ તો કેવું બેજોડ હશે...!'' ધન્ય ધન્ય પ્રભુવીરનું શાસન... ધન્ય ધન્ય પ્રભુવીર...! વાસ્તવમાં પ્રભુ અને પ્રભુનું અનેકાંતમય વચન મળ્યા પછી, દુઃખનું અંશમાત્ર પણ અસ્તિત્વ રહે જ નહીં. . સર્વાંશે સુખમાત્રની જ લાગણી અનુભવાયા કરે અને સુકૃતોના સર્જનની જે શૃંખલા સર્જાય તે પણ સીમાતીત હોય છે.. એટલે જ તો મહોપાધ્યાયજી મહારાજનો સંગીતમય હૃદયસૂર હતો કે - ‘ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો ગુણનીલો જેણે તુજ નયન દીઠો.. દુઃખ ટળ્યા, સુખ મળ્યા, સ્વામી તુજ નીરખતાં સુકૃત સંચય હુઓ, પાપ નીઠો....... અરે ! અનેકાંતનો એક અમૃત ઘૂંટડો પીધા પછી, પેલા મિથ્યાત્વીઓના કડવા ઝેર લીમડાનું આકર્ષણ કોને રહે ? આકંઠ ખીર પીધેલા બાળકને શું કડવા કરીયાતાનું આકર્ષણ રહી શકે ? ન જ રહે... આ જ વાતનું આલેખન માર્ગશુદ્ધિ નામના ગ્રંથમાં કર્યું છે - “ખરેખર સ્યાદ્વાદના આસ્વાદમાં ૫૨ જીવોને, બીજાના મતો વિરસ લાગે છે.. શું આંબાની કળીને ભજનારો મોર, લીમડ઼ાના ઝાડ પર આનંદ અનુભવી શકે ?’’ આપણા જીવનમાં પણ અનેકાંતનું અમૃત અવતરી જાય, તો એકાંતવાદના કોલાહલો, કલહકષાયના કંકાસો, કોર્ટ-કેસની કારમી કળતરો..... એ બધું ક્યાંથી રહે ? આ અનેકાંતને વાગોળવાનો ને તેના પરિશીલનનો એક સુરમ્ય ઉપાય રજુ કર્યો છે, પૂજ્ય તર્કમતંગજ શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ ! rTM ‘અનેકાંતજયપતાકા’ એનું અત્ત્વર્થ નામ ! જેણે અનેકાંતનો વિજયધ્વજ વિશ્વમાં ચોમેર ફરકતો કરીને જિનશાસનનો જયજયકાર ફેલાવ્યો છે.. જ પ્રસ્તુત ગ્રંથના હાઈ-રહસ્ય અને ઐદંપર્યને સમજવા, કોઈક અજ્ઞાત પૂર્વમહર્ષિએ એક સુરમ્ય વ્યાખ્યાનું સર્જન કર્યું. જેનું નામ છે ‘ભાવાર્થમાત્રવેદની' ! મૂળગ્રંથના પ્રતીકોને લઈને તેના રહસ્યોને ઉઘાડવા કુંચિકાનું કામ કરે છે આ ! ૪ વ્યાખ્યા પણ એટલી જ ક્લિષ્ટ.. તેની કેટલીક પંક્તિ બેસાડવા તો લોહી-પાણી એક કરવા પડે ! પણ આ સમસ્યાનું સુપેરું સમાધાન આપવા, પરમપૂજ્ય પ્રસિદ્ધટિપ્પણકાર મુનિચન્દ્રસૂરિમહારાજે Jain Education International १. "स्याद्वादास्वादपराः, प्रतियन्ति हि परमतानि विरसानि । नहि माकन्दमुकुलभुग्, नन्दति पिचुमन्दतरुषु पिकः ॥" - श्लो. ३ ૨. આ વ્યાખ્યા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે જ બનાવી છે, અર્થાત્ સ્વોપજ્ઞ છે, એવું અત્યાર સુધીના વિદ્વાનો વડે મનાતું આવ્યું છે. પણ ગ્રંથનું સંપાદન-અનુવાદ-સંશોધન કરતાં, કેટલાક સંદર્ભો ને તર્કોથી અમને જણાઈ રહ્યું છે કે, આ વ્યાખ્યાના રચયિતા કોઈ જુદા જ પૂર્વમહર્ષિ હોવા જોઈએ.. આ વાતને રજુ કરતો લેખ : ‘વ્યાખ્યા સ્વોપજ્ઞ કે અન્યકર્તૃક' એ વિદ્વાનો વાંચે એવી વિનમ્ર વિજ્ઞપ્તિ.. અમને જે જણાયું, તે અમે જણાવ્યું છે.. તેનો નિર્ણય, ગીતાર્થ-બહુશ્રુત-માત્સર્યરહિત જીવો કરે.. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy