SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું. ૫૮ છું ત્યારે પિતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે, “શરીર તો એનું એકદમ મજબૂત દેખાય છેને ખાવા-પીવાનું પણ માંગ્યા કરતા બમણું અપાય છે, તે છતાં, તમે તેને નબળો કેમ કહો છો? એ જ સમજાતું નથી... 5 વાત, એકાંત-અનેકાંતવાદની છે ! પિતા એકાંતવાદી હતા, તેમને દિકરામાં રહેલી તંદુરસ્તી જ દેખાતી હતી ને એટલે જ તેઓ શિક્ષકના અભિપ્રાયને સમજવામાં થાપ ખાઈ જતા હતા. પણ માતા હતી, અનેકાંતવાદી ! તેણે પછી પતિને સમજાવ્યું કે, “શરીરની અપેક્ષાએ તંદુરસ્ત પણ દીકરો ભણવાની અપેક્ષાએ તો નાદુરસ્ત જ કહેવાય...” આ છે અનેકાંતવાદની અનેક અપેક્ષાઓ સમજવાની અને એ મુજબ વ્યવહારોના નિર્વાહ કરવાની ! આગવી કળા! આવા અવ્વલ અનેકાંતના ચરણોમાં મસ્તક ઝુક્યા વિના ન રહે.. ખરેખર સાદ્વાદ-અનેકાંતવાદના આવા બે-ચાર ગુણો નહીં, પણ અનંત-અનંત ગુણો છે.. જય | હો, આવા અનંત -અનંત ગુણમય જિનશાસનનો ! તેનાં બેજોડ માહાભ્યનું વર્ણન કરવા તો બૃહસ્પતિ | આ પણ અસમર્થ છે.. પણ આશ્ચર્ય એ સર્જાયું કે, એકાંતવાદી-નિન્દવો-કુતીર્થિકોને એ અનંતગુણસંપન્ન અનેકાંત પણ { ખારો ને દોષગ્રસિત લાગે છે ! પણ તેમાં દોષ કોનો? અનેકાંતવાદનો? ના, ના. હરગિઝ નહીં.. દોષ ? છે તો તેઓમાં જ રહેલી કુમાન્યતા અને એકાંત પક્કડનો છે ! જ તેજસ્વી પણ સૂર્ય ઘુવડને અણગમતો લાગે, તેમાં દોષ કોનો? સૂર્યનો? ના, ઘુવડમાં પડેલા છે. આ તિમિર-અનુરાગરૂપ તામસી દોષનો જ! IS સફેદરંગી શંખ પણ કમળાના દર્દીને પીળો દેખાય, તો તેમાં દોષ કોનો? શંખનો? નહીં, કે નહીં. એ તો એ દર્દીમાં જ રહેલા પાળીયા નામના વિપર્યયદર્શક રોગનો! જ કીમતી સોનું પણ મુરખને પીત્તડ લાગે, તો તેમાં દોષ કોનો? સોનાનો? ના, ના. દોષતો એ ? તે વ્યક્તિમાં જ રહેલી અસમજનો છે.. ' વાત આ છે - એકાંતવાદીઓમાં ખોટી પક્કડ, હઠાગ્રહ, તીવ્ર અભિનિવેશ, દુબુદ્ધિ વગેરે રહ્યા છે ! અને એટલે જ તેઓને અનેકાંત પણ અશુદ્ધ ભાસે છે.. બાકી હકીકતમાં તો અનેકાંત સો ટચના સોના જેવો સત્ય અને તર્કશુદ્ધ છે. તેમાં કલંકનો અંશમાત્ર પણ અવકાશ નથી.. કષ-છેદ-તાપ એ ત્રણે પરીક્ષાથી તે ઉત્તીર્ણ છે. આવી ઉચ્ચતમ ક્વોલિટી વિશ્વના છે બીજા કોઈપણ ધર્મોમાં ન મળે.. એટલે જ તો પૂર્વના મહાપુરુષોની એ માંગણી હતી કે, “ભવોભવ તુજ છે શાસન મળો..” ખરેખર અનેકાંતમય જિનશાસન મળ્યા પછી, પરમાનંદમાં પરોવાઈ ગયેલું મન પ્રભુ વીરવચન પર ફિદા ફિદા થયા વિના ન રહે! એના એકેક ગુણો વિચારતા હૈયું અહોભાવથી છલકાઈ ઉઠે અને એક સંવેદના સહજ સર થઈ પડે કે – હે વીતરાગ પ્રભુ! જો આપશ્રીનું વચન પણ આવું અવ્વલ હોય, --STD 3 - - - - - - - - - - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy