SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું. પ૭ છું બાકી તો જયાં એકાંત, ત્યાં કોઈ એક અંશની જ પક્કડ રહે ને બીજા અંશને સમજવા પૂરતો પણ છે. સમભાવન રહે! તો પ્રશાંતવાહિતાનેવીતરાગતાની વાતો ક્યાં રહેવાની? ખરેખર એકાંતવાદીઓની 6 જે દુર્દશા છે, તે ભયાવહ અને ઐહિક-પારલૌકિક દુઃખોની શૃંખલાને વધારી નાંખનારી છે. | # જે લોકો તે તે ધર્મ-નિયમ-સિદ્ધાંત-અવસ્થા વગેરેને દેશ-કાળ-પુરુષાદિને અનુરૂપ ન સમજી એકાંતે પકડી લે છે ને સર્વત્ર તેનું અસ્તિત્વ સાબિત કરવા મથામણ કરે છે, તેમની હાલત પેલા ચમન' જેવી થાય છે.. ચમન નામનો એક સુકલકડી માણસ, કસરત દ્વારા શરીરને ખડતલ બનાવવા અખાડામાં ગયો.. અખાડાનો માસ્ટર ૫૦ કીલો વજનની લોખંડની પ્લેટો લઈ કસરત કરી રહ્યો હતો.. એ માસ્ટરે ચમનને કહ્યું : “તમે આ અડધો કિલો વજનની પ્લેટ લઈ કસરત કરો.' પેલા ચમનિયાએ રોષે ભરાઈને કહ્યું: ‘તમે આ ૫૦ કીલોવાળી લો છો, ને મને આવી હલકી લેવાની કહો છો.. નહીં, હું પણ ૫૦ કીલોવાળી પ્લેટ જ લઈશ.' લીધી, ને પેચુટી ખસી ગઈ... પ્લેટ પગ પર પડી, પગ ભાંગી ગયો. હોસ્પીટલમાં દાખલ કર્યો. બે મહીને ઘરે આવ્યો. મિત્ર મળવા આવ્યો, પૂછયું: ‘તમે બે મહિના પહેલા કસરત ચાલુ કરવાના હતા.. એનું શું થયું? કેટલા દિવસ ગયા?” એણે કહ્યું: “એક દિવસ અખાડામાં.. બાકીના દિવસ હોસ્પિટલમાં...' તાત્પર્ય આ છે – “૫૦ કીલોવાળી પ્લેટથી શરીર પુષ્ટ થાય' એ વાત સાચી; પણ કોને લઈને? છે જે વરસોથી કસરત કરતો હોય, જેના હાથ-પગ-સાંધા મજબૂત થઈ ગયા હોય, તેને લઈને.. પણ છે M પેલો ચમનિયો બધે એ વાત સત્ય ઠેરવવા, પોતા વિશે પણ એ જ વાત લાગુ પાડવા ગયો ! થયું શું? 6 છે એ જ કે શરીર પુષ્ટને બદલે ભ્રષ્ટ થઈ ગયું! એટલે કોઈપણ બીના કઈ પરિસ્થિતિ-આદિને અનુરૂપ છે તે ખાસ સમજવું પડે અને એ સમજ અનેકાંતની ગરજ સારે છે.. અનેકાંતમાં, તે તે ધર્મો દેશાદિ-પરિસ્થિતિને અનુસાર, કોઈપણ રીતે બાધ ન આવે એ રીતે સમન્વિત કરાય છે. આ જ અનેકાંતમય જિનશાસનકમળનું ભવ્યભ્રમરઆકર્ષક સુરમ્ય મકરંદ છે.. અને એટલે જ તો મહોપાધ્યાયજી મહારાજે આ અનેકાંતમય શાસન પર નતમસ્તક થઈને ઉચ્ચાર કર્યો હતો કે - “એક વચન ઝાલીને છાંડે, બીજાં લૌકિકનીતિ. સકલ વચન નિજ ઠામે જોડે, એ લોકોત્તરનીતિ.” (૩૫૦ ગાથાનું સ્તવન ૮/૬) - I એકાંતવાદમાં માત્ર કોઈ એક અંશને જ પકડી લેવાય છે ને તેથી જગતમાં બીજા અંશને લઈને જે વ્યવહારો પ્રવર્તે છે, તેને સમજવા ને ઉકેલવા અનેક સમસ્યાઓ શિરોભાર કરવી પડે છે.. માતા-પિતાનો એકનો એક દીકરો! શરીરથી અત્યંત તંદુરસ્ત...પણ ભણવા-ગણવામાં સાવ જ નબળો ! | શિક્ષકે ફરિયાદ કરતા કહ્યું: ‘તમારો દીકરો બહુ જ નબળો છે...” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy