SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું. પ૬ ૨ એકાંતવાદીઓનો અભિગમ છે: “મારું એ સાચું જ્યારે અનેકાંતવાદીઓનો અભિગમ છે: “સાચું એ મારું. આજ સ્યાદ્વાદમય જિનશાસનની બલિહારી છે, ક્યાંય પોતાનો અહંકાર કે હઠાગ્રહ નહીં. જે યથાર્થ બીના છે, તેનો એક માત્ર મધ્યસ્થપરિણામે સરળ સ્વીકાર. અષ્ટપ્રકરણની વૃત્તિમાં આગ્રહી કોણ ને અનાગ્રહી કોણ? એના સ્પષ્ટીકરણ વખતે પૂજય જિનેશ્વરસૂરિ મહારાજે બહુ સરસ મજાની વાત કહી છે: આગ્રહી માણસ, જ્યાં પોતાની બુદ્ધિ હોય છે ત્યાં યુક્તિઓ દોડાવે છે અને અનાગ્રી માણસ, જ્યાં યુક્તિ હોય ત્યાં બુદ્ધિનો વિનિવેશ કરે છે..” | એટલે જ તો વેદવિશારદ વિદ્વદર્ય શ્રીહરિભદ્ર બ્રાહ્મણ પણ, યુક્તિપૂર્ણ એવા પ્રભુવીરના વચનને સમર્પિત થઈ ગયા અને તેથી જ તેમના શબ્દસૂરમાં સંવેદનનું ઝરણું ફૂટ્યું કે, “મને પ્રભુવીર પર પક્ષપાત કે કપિલાદિ પર દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિપૂર્ણ હોય તેનો સ્વીકાર કરવો જોઈએ..” શું હશે, આ અનેકાંતમય જિનશાસનમાં? કે જેનાથી.. •પરમ તાર્કિકાગ્રણિ શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાને પણ આમાં જ તથ્ય દેખાયું. •પૂજ્ય મલવાદીસૂરિજી જેવા તર્કદિગ્ગજોને પણ આનું જ મૂલ્ય અંકાયું. હરિભદ્રસૂરિ-હેમચન્દ્રસૂરિ-યશોવિજયજી જેવા સેંકડો વિદ્વાનોને પણ આ જ સારભૂત છે - એવું છે છે લાગ્યું.. ( મને લાગે છે કે તમામ આસ્તિક ધર્મોની સાધ્ય-ઉદ્દેશ્ય અવસ્થા છે - મોક્ષ-મુક્તિ, વીતરાગતા, T રાગ-દ્વેષથી વિરહિત અવસ્થા, પરમસમભાવની પરાકાષ્ઠા.. પણ આ ઉદ્દેશ અને આ ઉદ્દેશને હાથવગું કરનાર ઉપાયસેવન એ બંને જેવું અનેકાંતમય જિનશાસનમાં જળવાઈ રહે છે, તેવું બીજે ક્યાંય જળવાતું નથી. પછી તે દર્શન - બૌદ્ધ, વૈદિક કે બીજું કે કોઈપણ હોય ! પ્રશ્ન પણ બીજા દર્શનમાં રહીને પણ કેટલાક આત્માઓ મોક્ષમાં ગયા છે, એવું તો શાસ્ત્રમાં પણ સંભળાય છે, એનું શું? ઉત્તરઃ તે આત્માઓ દ્રવ્યથી જ તે દર્શનમાં રહ્યા હોય છે, બાકી ભાવથી ( તે દર્શનની એકાંત માન્યતાઓને સ્વીકારવારૂપે) ત્યાં ભળેલા હોતા નથી. ભાવથી તો તેઓ અનેકાંતમય જિનશાસનને ? જ વરેલા હોય છે અને એટલે જ તેઓ વીતરાગ બની શકે છે.. १. आग्रही बत निनीषति युक्ति, तत्र यत्र मतिरस्य निविष्टा । ___ पक्षपातरहितस्य तु युक्तियत्र तत्र मतिरेति निवेशम् ।। ૨. “પક્ષપાતો ન મે વીરે, ન કેવો પિનાવિષI યુHિવનં યસ્થ, તી કાર્ય: પરિપ્ર: ti' ૩. અનન્તરસિદ્ધના ૧૫ ભેદોમાંથી એક ભેદ છે : અન્યલિંગસિદ્ધ છે. તેનો અર્થ એ કે, જૈનદ સિવાયના લિંગમાં રહીને પણ સિદ્ધ થનારા ભવ્યાત્માઓ.. ------- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy