SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ બજે મધુર બંસરી (૫૧), ૯ વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિજીની પરમ કૃપાથી મુનિચન્દ્ર મુનિ પણ મહાન વાદી બન્યા. એ 2 તેમણે સાંભર (અજમેર પાસે) ના રાજા અર્ણોરાજની સભામાં શૈવવાદીને હરાવ્યો અને દિગંબરવાદી ( ગુણચન્દ્રની સાથે રાજગચ્છીય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના થયેલા વાદમાં તેઓશ્રીએ આ. શ્રીધર્મઘોષ 1 - સૂરિજીને સહાય કરી હતી અને દિગંબરવાદીને હરાવ્યો હતો. આમ તેમને અનેક વાદોમાં વિજય મેળવીને શાસનની વિજયપતાકા ફરકાવી હતી. મુનિચન્દ્ર મુનિની આવી અદ્ભુત યોગ્યતા જોઈ આચાર્યશ્રી નેમિચન્દ્રએ તેમને આચાર્યપદવીથી ( અલંકૃત કર્યા. (વિ.સં. ૧૧૨૯ થી ૧૧૩૯ ની વચ્ચેના ગાળામાં) આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીએ પોતાના ગુરુભાઈઓ, આનંદમુનિ, દેવપ્રભ મુનિ, માનદેવ મુનિને ) આચાર્યપદવી આપી હતી તથા શિષ્યોમાં અજિતપ્રભ દેવ (વાદી દેવસૂરિજી) રત્નસિંહ, વગેરેને ( જ આચાર્યપદથી અલંકૃત કર્યા હતા. . * પૂનમિયો ગચ્છ * વિ.સ. ૧૧૪૯માં એક શ્રાવક, વાદી આચાર્યશ્રી ચન્દ્રપ્રભ જેવા મોટા આચાર્ય બિરાજમાન હોવા ( છતાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આથી ગુસ્સે ભરાયેલા આચાર્યશ્રી ચન્દ્રપ્રભે, સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવી શકે, પૂનમના દિવસે પાણી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો પૂનમિયો ગચ્છ'. ) ચલાવ્યો. ત્યારે આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીએ “આવસ્મય સત્તરી બનાવી સંઘને સન્માર્ગદર્શન કરાવ્યું, ( જ આ વાતનો ઉલ્લેખ કરતાં તેમના પ્રશિષ્ય આચાર્યશ્રી મુનિભદ્ર (સ. ૧૪૧૦) શાન્તિનાથ મહાકાવ્યમાં જે કહ્યું છે. સમ્પ પ્રકટીકર મનવા વો ગીવમૈત્રી શ્રીન I” આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી ખંભાતથી નાગોર સુધીના પ્રદેશમાં વિચર્યા હતાં. તેમના પરિવારમાં 1 - ૫૦૦ સાધુઓ તથા અનેક સાધ્વીજી ભગવંતો હતા. વિ.સં. ૧૧૭૮ ક.વ. ૫ પાટણ મુકામે તેઓ લગભગ ૧૦૦વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા ત્યારે તેમના શિષ્ય વાદિદેવસૂરિજી આબુ પાસે અંબિકા દેવીની સૂચનાથી આઠ દિવસ અગાઉ હાજર થઈ ( ગયા હતા. ગુરુવિરહથી હતપ્રભ બનેલા ચોધાર આંસુએ રડતા આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ તે વખતે ) ગુરુવિરહવિલાપ, મુણિચંદસૂરિશુઈ વગેરે ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણ ભાવ વ્યક્ત કરતા ગ્રન્થો રચ્યા ( હતા. આ આચાર્યશ્રી વાદિદેવસૂરિજીએ દિગંબરવાદી કુમુદચન્દ્ર સહિત અનેક વાદીઓને જીતીને ગુરુનું છે નામ ઊજળું કર્યું હતું, અને શાસનનું ગૌરવ વધાર્યું હતું. T વિ.સં. ૧૧૭૬માં “પિંડ વિસોહીની “સુબોધા' નામની ટીકામાં આચાર્યશ્રી યશોદેવસૂરિજીએ આ - આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીને “શ્રુત હેમનિકષ' કહ્યા છે એટલે કે તે યુગમાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજી ) - - -- -- --- - - - -- -- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy