SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બજે મધુર બંસરી (૫૦) આચાર્યશ્રીએ સામું જોયું. અપરિચિત ચહેરો જોઈ વિચારમાં પડી ગયા : કોણ છે આ બાલમુનિ? જે જે હોય તે પાઠ સાંભળવા તો દો. આચાર્યશ્રીએ કહ્યું: “તમે પણ પાઠ સંભળાવી શકો છો.” અને.. તરત જ બાલમુનિએ દસેય દિવસનો પાઠ કડકડાટ સંભળાવી દીધો. અને આચાર્યશ્રીએ જે કઠિન પ્રશ્નો પૂછડ્યા તેના પણ ઉત્તરો આપી દીધા. બાલમુનિની પ્રચંડ પ્રતિભા જોઈ આચાર્યશ્રી ચકિત થઈ ગયા. પૂછ્યું: “મુનિવર ! તમે કોણ છો? ( કયા ગચ્છના છો? તમારા ગુરુ કોણ છે? પાઠમાં ક્યારથી આવો છો? પૂજયશ્રી ! મારું નામ છે : મુનિચન્દ્ર. મારા ગુરુજીનું નામ છેઃ આચાર્યશ્રી યશોભદ્રસૂરિજી. મારા આ | ગચ્છનું નામ છે વડગચ્છ. હું દસ દિવસથી પાઠમાં આવું છું. આપને પૂછ્યા વિના જ પાઠમાં બેસી ગયો છે તો ક્ષમા કરશો.' “બાલ મુનિવર...! તમારા જેવાને હું પાઠ નઆપું તો કોને આપું? મને પૂછ્યા વિના તમે પાઠમાં , બેસી ગયા છતાં મને આનંદ થયો છે. આમેય હું મારું જ્ઞાન આપવા કોઈ પાત્રને શોધી જ રહ્યો હતો ત્યાં । અચાનક જ તમે આવી ચઢ્યા. પણ મુનિવર ! તમે પુસ્તક ક્યાંથી મેળવ્યું? મારી પાસે પુસ્તક છે જ નહિ.” પુસ્તક વિના જ બધું યાદ રાખ્યું?” આપની કૃપા...” બાલ મુનિશ્રીની આવી પ્રચંડ મેઘા અને નમ્રતાપૂર્ણ વ્યક્તિત્વ જોઈ આચાર્યશ્રી તો રાજીરેડ થઈ ઈ ગયા. તેઓ તરત જ પાટ ઉપરથી નીચે ઊતરી તેમને ભેટી પડ્યા અને કહ્યું: “મહાત્મન્ ! તમે તો ધૂળમાં 1 ઢંકાયેલા રત્ન છો. તમારા જેવા મેઘાવી વિદ્યાર્થીને પ્રાપ્ત કરીને હું પણ ધન્ય બન્યો છું. હવે તમે અહીં જ છે રહો. મારે તમને ભણાવવા છે. મારું જ્ઞાન તમને આપીને મારે નિર્ભર થવું છે.' | ‘પૂજયવર...” અહીં અમારા માટે ઊતરવાની ખૂબ જ તકલીફ છે. આ તો માત્ર ચૈત્યપરિપાટી માટે જ આવ્યા છીએ. આપ જાણો જ છો કે અમે સંવેગી સાધુ છીએ. અમારા માટે ઊતરવાનો તો ઈનિષેધ છે.” મુનિવર...! તમારી વાત સાચી છે. પણ એ અંગે હવે ચિંતા કરશો નહિ હું બધી વ્યવસ્થા કરાવી ? આપીશ. તમે તમારા ગુરુજીને આ વાત જણાવશો.” આચાર્યશ્રીની આવી કૃપા જોઈ બાલમુનિએ પોતાના ગુરુજીને વાત કરી. તેઓ પણ ત્યાં રહેવાના « સમ્મત થયા. આચાર્યશ્રી શાન્તિસૂરિજીએ તેમને ટંકશાળની પાછળ શેઠ દોહડિના મકાનમાં ઊતરવાની વ્યવસ્થા કરી આપી. અને દરરોજ તેઓ પોતાનો ખાસ સમય કાઢીને બાલમુનિને ભણાવવા લાગ્યા. જોતજોતામાં ન « તેઓ છયે દર્શનના પારગામી બની ગયા. બસ, ત્યારથી પાટણમાં સંવેગી સાધુઓને ઊતરવાની સુલભતા થવા લાગી. પોતાનો જ્ઞાન-વારસો આપીને જાણે સંતુષ્ટ થયેલા આચાર્યશ્રી શાન્તિસૂરિજી ત્યાર પછી થોડા જ ( « સમયમાં કાળધર્મ પામ્યા. (વિ.સં. ૧૦૯૬) - - - - - - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy