SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુપ (૪૧) થઈ ગયા ! * રાત્રે વિદ્યાર્થીઓ ઉંઘતા હતા. તેઓને ગભરાવી દેવા પાણીના ઘડા ઠાલવી દીધા.. ગભરાઈને બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ઇષ્ટદેવતાનું સ્મરણ કરવા લાગ્યા.. ત્યારે હંસ-પરમહંસે જિનેશ્વર ભગવાનને યાદ કર્યા. આવા બે-ચાર પ્રસંગથી તે બે ‘જૈન’ તરીકે ખુલ્લા પડી ગયા.. હવે ભાગી છુટવું જોઈએ એવું લાગતાં હંસ-પરમહંસ ઉપરના માળેથી ત્યાં પડેલા છત્રો લઈને કુદી પડ્યા અને ભાગવા લાગ્યા.. ભાગી રહેલા હંસ-પરમહંસની પાછળ બૌદ્ધના સુભટોએ પીછો કર્યો.. હંસે પરમહંસને કહ્યું કે હું શત્રુઓને રોકું છું. તું આ ખંડનની કાપલીઓ વગેરે લઈને ભાગી જા. ગુરુમહારાજને મારા તરફથી મિચ્છામિ દુક્કડમ્ કહેજે. મેં જે એમની ઇચ્છાને અવગણી, તેનો રંજ છે. અહીં નજીકમાં સુરપાલ રાજા છે. તું એનો આશ્રય લેજે. હવે એકલો પડેલો હંસ, બૌદ્ધસુભટોના હાથે મરાયો. ૫૨મહંસે સુરપાલનો આશ્રય લીધો. બૌદ્ધ આચાર્ય કહે છે : આ આપણા શાસ્ત્રોનું રહસ્ય ચોરીને ભાગ્યો છે. તે લખાણની કાપલિઓ પાછી મેળવો.. સુરપાલ રાજાએ શરણાગત પરમહંસને સોંપવા ના પાડી દીધી અને વાદનું આયોજન કરવા સૂચન કર્યું. બૌદ્ધો કહે છે ઃ આ પરમહંસે અમારા બુદ્ધભગવાનની આકૃતિ ઉપર પગ મૂક્યો છે, માટે અમારે એનું મોઢું પણ જોવું નથી. પડદાપાછળ રહી વાદ શરૂ થયો. વાદ લાંબો ચાલ્યો ત્યારે પરમહંસે તેનો અંત લાવવાનો ઉપાય શાસનદેવી શ્રીઅંબિકાને પૂછ્યો. અંબિકાએ કહ્યું : બૌદ્ધોની તારાદેવી પડદાપાછળ રહી ઘડાના મોઢે વાદ કરે છે.. બીજે દિવસે પરમહંસે, પડદો હટાવી ઘડો ફોડી નાંખ્યો. . વાદ કરવો હોય તો સામે આવો એવો પડકાર ફેંક્યો.. પરમહંસનો વિજય થઈ ગયો ! ત્યારપછી તે, ગુરુમહારાજ આ. ભગ. હરિભદ્રસૂરિના ચરણોમાં ચિત્તોડ પહોંચ્યો વીતેલી કથા કહેતાં-કહેતાં એ ચોધાર આંસુએ રડી પડ્યો.. હંસનું મૃત્યુ.. એણે કહેલ મિચ્છામિ દુક્કડમ્.. બૌદ્ધોની ક્રુરતા.. ગુરુની ઇચ્છાની અવગણના અને તેનું ફળ . . આ બધું બોલતાં-બોલતાં તો એની છાતી રુંધાઈ ૧. વિમાનમાંથી છત્રી લઈને કુદવાની પદ્ધતિ આજે ચાલુ છે.. ૨. ચતુર્વિંશતિપ્રબંધ મુજબ સૂતેલા પરમહંસનું માથું ચિત્તોડમાં આવી બૌદ્ધસુભટો કાપીને લઈ ગયા. ધડ જોઈને આ. હિરભદ્રસૂરિને ઘણો આઘાત લાગ્યો. પુરાતનપ્રબંધસંગ્રહ (પૃ. ૧૦૫) મુજબ પરમહંસનો વાદમાં પરાજય થયો. બૌદ્ધોએ વધ કર્યો. લોહીથી ખરડાયેલ રજોહરણ દેવી દ્વારા ચિત્તોડની પૌષધશાળામાં મૂકાયો, એ જોતાં આ. હરિભદ્રસૂરિને આધાત લાગ્યો.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy