SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુષ (૪૦) ગ્રંથોના અંતે ‘હરિભદ્રસૂરિ એવો ઉલ્લેખ મળે છે.. આવશ્યકસૂત્રની શિષ્યહિતા ટીકાના અંતે "कृतिः सिताम्बरचार्यजिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्यजिनदत्तशिष्यस्य धर्मतो जाइणीमहत्तरासुनोरल्पमतेराचार्यहरिभद्रस्य" ઉપદેશપદના અંતે“રિમારિખ મવવિરદં રૂછમાળખ I૬૦૩૧” પ્રજ્ઞાપના સૂત્રની પ્રદેશવ્યાખ્યાની પુષ્મિકામાં"आचार्यजिनभटस्य हि सुसाधुजनसेवितस्य शिष्येण" આ પ્રમાણે આ. હરિભદ્રસૂરિએ આપેલી વિગત મુજબ તેઓ વિદ્યાધરકુલ-વિદ્યાધરગચ્છ કે વિદ્યાધરીશાખામાં થયા હોવાનું જણાય છે. જિનદત્ત, જિનભટ (કે જિનભ૬) વગેરે એમના ગુરુ કે વડિલ આચાર્ય જણાય છે.. તેઓશ્રીએ યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે તો અનેક ગ્રંથોમાં ઉલ્લેખ કર્યો છે. * શિષ્યવિરહ-વૃત્તાંત * કહાવલી પ્રમાણે આ. હરિભદ્રસૂરિજીના બે સંસારી ભાણેજો જિનભદ્ર અને વીરભદ્ર એમના 1 શિષ્ય થયેલા.. ચિત્તોડમાં બૌદ્ધોના હાથે આ બંને શિષ્યોની હત્યા થઈ જવાથી આ. હરિભદ્રસૂરિજીને સખત આઘાત લાગ્યો.. યાવતુ અનશન કરવા તૈયાર થઈ ગયા! પણ ગુરુ મ.સા.ના સમજાવટથી ગ્રંથોને જ શિષ્ય માની શાસ્ત્રરચનામાં પ્રવૃત્ત થયા.. 'પ્રભાવકચરિત્રમાં આ પ્રસંગ આ રીતે મળે છે. ભાણેજોના નામ હંસ-પરમહંસ હતા. ઘરના કંકાસથી કંટાળીને તેઓએ દીક્ષા લઈ લીધી.. વિશેષ અભ્યાસ માટે બૌદ્ધોના નગરમાં જવાનો આગ્રહ કર્યો. આચાર્ય હરિભદ્રસૂરિજીની ઇચ્છા ન હોવા છતાં તેઓએ રજા આપી.. અભ્યાસ દરમિયાન જૈનમતનું જે ખંડન આવતું તેનો પ્રતિકાર તેઓ એક કાપલિકામાં લખતા. આવો એક કાગળનો ટુકડો પવનના ઝાપટાથી ઉડી ગયો.. તે બૌદ્ધોના હાથમાં પકડાયો ને કોઈક જૈન ગુપ્ત રીતે ભણે છે, એ ખ્યાલ આવી ગયો.. આ જે હોય તેને ખુલ્લા પાડવા પડ્યુંત્ર રચાયું.. 3 ચાલવાના રસ્તામાં તેઓએ જિનમૂર્તિનું ચિત્ર દોર્યું.. એના ઉપર પગ મૂકીને જ જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. ચિત્રમાં થોડા ફેરફારો કરી જિનમાંથી તેને બુદ્ધ બનાવી તેના પરથી પસાર ૧. ચતુર્વિશતિબંધ અને પુરાતનબંધસંગ્રહમાં પણ આ જ પ્રસંગ થોડા ફેરફાર સાથે મળે છે.. કહાવલીમાં શિષ્યોના (ભાણેજના) નામ જિનભદ્ અને વીરભદ્ર છે.. ૨. ચતુર્વિશતિપ્રબંધ મુજબ કંઠે ત્રણ રેખા કરી હતી. પુરાતન પ્રબંધસંગ્રહમાં પૃ. ૧૦૫માં અહીંથી ૧ બ્રહ્મસૂત્ર બતાવ્યાનું લખ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy