SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુપ (૩૯) © દીધો: वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्नभोजनम् । न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति षाड्वलः ॥" અર્થઃ તમારું હૃષ્ટપુષ્ટ શરીર જ તમે કરેલા મિષ્ટાન્નનું ભોજન સૂચવે છે. પોલાણમાં આગ હોય, તો ઝાડ કદી લીલુંછમ થાય જ નહીં. એક વખત પં. હરિભદ્ર, સાધ્વીજીના ઉપાશ્રય પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એમના કાને શબ્દો પડ્યા: "चक्कीदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव दु चक्की केसी य चक्की य॥" આવશ્યકનિયુક્તિની, અવસર્પિણીમાં થનારા ચક્રવર્તી, વાસુદેવ વગેરેના ક્રમને સૂચવનારી આ ગાથાનો અર્થ પંડિત હરિભદ્રને ન આવડે એ સ્વાભાવિક હતું. પંડિતને નિયમ હતો કે - “જો મને ન આવડતું હોય એવું કોઈને આવડતું હોય તો તેમના શિષ્ય થઈ જવું..'પંડિતે યાકિનમહત્તરા સાધ્વીજીને અર્થ પૂછ્યો.. સાધ્વીજી પંડિતને આ. જિનદત્તસૂરિજી (કેટલાક મતે આ. જિનભસૂરિજી) પાસે લઈ ગયા.. ગાથાનો અર્થ જાણીને પંડિત હરિભદ્રને પરિપૂર્ણ સંતોષ થયો.. પછી નિયમપાલન માટે આચાર્ય 1 ભગવંતને શિષ્ય બનાવવા વિનંતી કરી.. આચાર્યશ્રીએ તેની પ્રતિજ્ઞા સાંભળીને કહ્યું કે – “તું ! યાકિનીમહત્તરાનો ધર્મપુત્ર થા આચાર્યશ્રીએ હરિભદ્રની જિજ્ઞાસાના ઉત્તરમાં ધર્મનું સ્વરૂપ કહ્યું અને જણાવ્યું કે - “સકામવૃત્તિવાળાને ધર્મનું ફળ દેવલોક અને નિષ્કામવૃત્તિવાળાને ધર્મનું ફળ ભવવિરહથી ઉદ્ભવતું મોક્ષસુખ મળે છે.” ત્યારે પંડિત હરિભદ્ર બોલ્યા કે મારે તો માત્ર ભવવિરહવાળું ફળ જ જોઈએ છે.. આચાર્યશ્રીએ કહ્યું કે - તો તો તારે સંસારત્યાગ કરી સર્વવિરતિ સ્વીકારવી જોઈએ.. અને ત્યારે જ પંડિત હરિભદ્ર બની ગયો મુનિ હરિભદ્ર! “ભવવિરહ’ શબ્દ મુનિ હરિભદ્રને અત્યંત પ્રિય હતો. તેઓ વાસક્ષેપ નાંખતા તમને ભવવિરહ થાઓ” એવો આશીર્વાદ આપતા હતા. તેઓશ્રીના અનેક ગ્રંથોના અંતે વિરહ' અથવા “ભવવિરહ શબ્દનો ઉલ્લેખ મળે છે.. “ભવવિરહ એ તો આ. હરિભદ્રસૂરિજીનું ઉપનામ બની ગયું હતું. મુનિ હરિભદ્રનાં આચાર્યપદવી ક્યારે થઈ એની કોઈ વિગત મળતી નથી. પણ એમના ઘણા ૧. બોધ પામ્યા પછી જિનેશ્વર ભગવંતના દર્શન કરતાં એમણે શ્લોકને આ પ્રમાણે સુધાર્યો હતો ? “વપુરવ તવાઈ મવિન્! વીતરી તામ્ ” '૨. આ ઘટના કહાવલીમાં આવે છે. ચતુર્વિશતિપ્રબંધમાં થોડો ફરક છે.. 29/ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy