SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ એક વીર પુરુપ (૪૨) ગઈ. ને પરમહંસ ત્યાં જ મૃત્યુ પામી ગયો અને કાયમ માટે અલવિદા થઈ ગયો! * કોપશમન * શિષ્યોના મૃત્યુથી વ્યથિત થયેલા આ. હરિભદ્રસૂરિ, સુરપાલ રાજાની સભામાં આવ્યા.. પરમહંસને આશ્રય આપવા બદલ ધન્યવાદ આપ્યા.. ને બૌદ્ધો જોડે વાદ કરી એમને હરાવી નાંખ્યા.. આ. જિનભદ્રસૂરિને સમાચાર મળ્યા કે બંને શિષ્યોના વધથી અત્યંત આઘાત પામેલા આચાર્ય હરિભદ્રસૂરિ, બૌદ્ધોને મંત્રબળથી ખેંચી તેલની કડાઈમાં નાંખી ખતમ કરવા તૈયાર થયા છે. ત્યારે એમના ઉગ્ર કોપને શાંત કરવા, આચાર્ય જિનભદ્રસૂરિએ બે મુનિઓને મોકલ્યા.. મુનિઓએ આવીને કહ્યું કે - ગુરુમહારાજે આ ત્રણ ગાથા લખી મોકલી છે, તેનું ચિંતન કરો. અને વેરના વિપાકના કટુફળોને ધ્યાનમાં લો.. - આ. હરિભદ્રસૂરિ, ઉનસેન માસમાં...' એ ગાથા વિચારવા લાગ્યા. લોટના કુકડાની હત્યાથી ભવપરંપરાનું સર્જન - એ બધું વિચારી ચોંકી ઉઠ્યા! ગુરુમહારાજ પાસે આવી તેમના પગમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.. પ્રાયશ્ચિત્ત માંગ્યું. ગુરુમહારાજે યોગ્ય પ્રાયશ્ચિત્ત આપ્યું. આચાર્ય હરિભદ્રસૂરિજી, બંને શિષ્યોના અકાળે કાળધર્મથી ભારે ખિન્ન રહ્યા કરતા હતા.. જ્યારે પોતાનો વંશ-વારસો-પટ્ટપરંપરા ચલાવે તેવું કોઈ જ ન રહ્યું, ત્યારે, અંબિકાદેવીએ એમને સ્વસ્થ કર્યા. “શિષ્ય પરંપરા તમારા ભાગ્યમાં નથી. તમારા રચેલા ગ્રંથો જ તમને અમર બનાવશે” વગેરે કહી શાંત કર્યા.. * ગ્રંથરચના * આચાર્ય હરિભદ્રસૂરિએ હવે ગ્રંથરચના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમણે ૧૪00 ગ્રંથો રચ્યાના અનેક ઉલ્લેખો મળે છે. ૧૪૪૦ અને ૧૪૪૪ ગ્રંથો રચ્યાના ઉલ્લેખો પણ મળે છે. * લલ્લિગની ભક્તિ કે આ. હરિભદ્રસૂરિના શિષ્યોનો સંસારી પિતરાઈનામે લલ્લિગ હતો.. એ આ. હરિભદ્રસૂરિનો પરમભક્ત હતો.. આ. હરિભદ્રસૂરિ ગોચરી વાપરવા બેસે ત્યારે લલ્લિગ શ્રાવક શંખ વગાડતો હતો. અને જે કોઈ યાચકો આવે તેઓને જમાડતો હતો.. જો કે આ કાર્ય ગુરુભક્તિથી પ્રેરાઈ લલ્લિગ સ્વયં સ્કૂરણાથી કરતો, છતાં કેટલાક લોકોએ આ. હરિભદ્રસૂરિ ચૈત્યવાસી હોવાનો આરોપ મૂક્યો હતો.. વિ.સં. ૧૦૮૦માં રચાયેલી અષ્ટકપ્રકરણની ટીકામાં આ. જિનેશ્વરસૂરિએ અને દાનાત્રિશિકામાં મહો. યશોવિજયજી મહારાજે આ આરોપ ખોટો હોવાનું જણાવી “હરિભદ્રસૂરિ ૧. પં. કલ્યાણવિજયગણીએ ગ્રંથકારપરિચયમાં (ધર્મસંગ્રહણી પૃ. ૧૦) નવાંગીટીકાકાર અભયદેવસૂરિ મ.સા. વગેરે ગ્રંથકારોએ ૧૪00 ગ્રંથરચના કર્યાના સંદર્ભો આપ્યા છે. ૧૪૪૪ ગ્રંથરચના કર્યાના ત્રણ સંદર્ભો હા. ૧૨માં) અને ૧૪૪૦ ગ્રંથરચના કર્યાનો એક સંદર્ભ (પૃ. ૧૧માં) આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy