SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૨૦) Y મોહનીયના ને વીર્યંતરાયના ક્ષયોપશમથી તપ થાય છે ને ક્ષાયોપથમિકભાવે થતો હોવાથી જ આ તપ કર્મનિર્જરાનું કારણ બને છે. કાયક્લેશરૂપ હોવા છતાં ય મનઃક્લેશનું નહીં, મનશુદ્ધિનું કારણ બને છે.. જૈનશાસનમાન્ય તપ... (૧) જ્ઞાન, સંવેગ અને શમથી યુક્ત છે.. (૨) ક્ષાયોપથમિકભાવજન્ય છે.. (૩) ક્લિષ્ટ કર્મોના ક્ષય માટે છે.. (૪) વિશિષ્ટ બોધ-જ્ઞાનનું કારણ છે. વિશિષ્ટતપ મિથ્યાત્વમોહનીય આદિ મોહનીયની પ્રકૃતિઓના લયોપશમની સાથે જ્ઞાનાવરણ કર્મના ક્ષય-ક્ષયોપશમનું પણ કારણ બને છે. દરેક તીર્થકર કેવળજ્ઞાન ' પામતી વખતે બાહ્ય પણ છઠ્ઠ વગેરે તપથી યુક્ત હોય છે. (૫) વિશિષ્ટ કર્મનિર્જરાદિ દ્વારા એ મોક્ષની નજીક લાવનારો બને છે...' (૬) દીનતા અને ઉત્સુકતાથી રહિત હોય છે.. (૭) તેથી જ શમભાવયુક્ત હોવાથી પારમાર્થિક સુખનો અનુભવ કરાવે છે.. (૮) જ્ઞાનયુક્ત હોવાથી જ એ સદ્ અનુષ્ઠાનના હેતુ તરીકે ગણાય છે.. (૯) આથી જ એ શુભ આત્મપરિણામરૂપ છે.. આમ આવી નવ વિશેષતાવાળો આતપ જૈનશાસનના તીર્થંકરાદિ મહાનુભાવોએ આરાધ્યો હોવાથી છે પણ આરાધવા યોગ્ય જ છે.. છે “નથી મળતું માટે તપ’ એમ નથી, પણ “મળેલાના રાગના ત્યાગ માટે તપ' એ ગણિત છે. છે. જૈનશાસન ઇન્દ્રિયોની હાનિ કરતાં ને મનને આર્તધ્યાનમાં લઈ જતા તપને માન્ય નથી રાખતું, એ છે સહુએ ધ્યાનમાં લેવાની વાત છે. દેહત્યાગ વખતના અંતિમ અનશન વખતે પણ એ વાત પર ખાસ છે છે ભાર મૂકાય છે કે, એ વખતે મન અસમાધિમાં રહેવું જોઈએ નહીં. સૂરિમંત્ર અંગેના ગ્રંથોમાં પણ કહ્યું છે કે તાપૂર્વકનો જાપ જ વિશિષ્ટ રીતે ફળદાયક બને છે. . છે હકીકતમાં તપદર્શન-જ્ઞાન-ચારિત્રની કોઈપણ આરાધનાને પાવરફુલ કર્મનિર્જરા માટે બનાવવા માટેનો પાવર પૂરે છે.. જ્ઞાનાચારાદિમાં થતા અતિચારોની શુદ્ધિ કરે છે. બાહ્ય તપ પણ આત્યંતર તપથી સંમિશ્રિત થવાથી ભાવવિશોધિનું કારણ બને છે. ભાવના અને , [ ધ્યાન માટે પણ અનશનાદિ તપ ઉપયોગી થાય છે.. તપ કર્મનિર્જરાનું કારણ બને છે, તે માટેના આપેલા છ હેતુઓ પણ ધ્યાનપાત્ર છે.. સમજણ અને સમતા પૂર્વકનો તપ નરકના જીવોની જેમ માત્ર કાયક્લેશ સહન કરવારૂપ નથી, એ બાબતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. વળી જૈનતપ ખૂબ વિશાળ સ્વરૂપવાળો છે. અહીં કાયાને કષ્ટ આપતો બાહ્ય તપ તો છે જ, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy