SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અને કાંતઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૯). આ પર્યાયોને વધુ ને વધુ નિર્મળ બનાવતી જાય છે ને શુભ અધ્યવસાયો - શુભભાવોમાં જોડતા-એકાગ્રય તન્મય બનાવતી જાય છે. આપણને અનુપ્રેક્ષાસ્વાધ્યાય તરફ લઈ જાય છે ને અનેકાંતમય સર્વજ્ઞશાસન , 'પ્રત્યે અહો ! અહો ! ભાવોના ઉછાળા પ્રગટાવતી જાય છે.. “પ્રભુ! તુજ શાસન અતિ ભલું !'નો નાદ 'રોમે રોમે ગુંજવા માંડે એ માટે આ ગ્રંથની પંક્તિઓ ખૂબ ઉપયોગી થશે.. • આપણને ૨૪ કેરેટનો-સો ટચનો ધર્મ મળ્યાનો એવો આનંદ ઊભો કરાવશે કે બાહ્યબીજું-ત્રીજું ઓછું-અણગમતું નજરમાં ય નહીં આવે! કરોડ રૂપિયાની કમાણીના આનંદ વખતે “શાકમાં મીઠું ઓછું " છે' એવી ફરિયાદ કરવાનું મન કોને થાય? | મન નવરું પડે ને અશુભ ભાવોમાં તણાઈ જાય એવી પરિસ્થિતિ જો ઊભી થવા દેવી ન હોય, તો મનને સ્વાધ્યાયમાં પરોવી દેવું જોઈએ. સ્વાધ્યાય નામનો તપ જ એવો છે કે જીવને કલાકો-દિવસોકે મહિનાઓ ને વર્ષો સુધી સતત શુભભાવોમાં જ રમતો રાખે. માટે જ “સ્વાધ્યાય જેવો તપ નથી એમ છે કહેવાય છે.. છે આ સ્વાધ્યાયમાં પણ અનેકાંતવાદની સિદ્ધિ કરતો આ તાર્કિક અને તાત્ત્વિક ગ્રંથ એટલા માટે છે છે શિરમોર ગણાય કે એ સમ્યક્તની શુદ્ધિ માટે ફટકડીનું કામ કરે છે. ધર્મધ્યાન માટેનો માર્ગ બને છે..? જે આપણને તત્ત્વબોધ કરાવી બાલ-મધ્યમની ભૂમિકાથી ઉપર પંડિતની ભૂમિકા પર લઈ જાય છે.. જ વેદ્યસંવેદ્યપદનો સાક્ષાત્કાર કરાવે છે. વિષયપ્રતિભાસાત્મક બોધથી ઉપર ઉઠાવી આત્મસંવેદન કે તે તત્ત્વપરિણતિમત્ બોધના અધિકારી બનાવે છે.. શ્રુતજ્ઞાનના માર્ગે ચિંતાજ્ઞાન દ્વારા ભાવનાજ્ઞાન પર . | લાવી જિનાજ્ઞાના ઐદંપર્યાર્થ સુધી પહોંચાડે છે. છે. એમાં પણ છઠ્ઠા અધિકારમાં તપ અને ધ્યાનની જે ચર્ચા છે, તે તો ખૂબ જ ઉપયોગી છે, ને પ્રચાર | કરવા યોગ્ય છે. છે # કેટલાક નિશ્ચયાભાસ નામના આકર્ષક દીવાના પતંગિયા બનેલાઓ તપને માત્ર કષ્ટરૂપ માને છે. છે ને શરીરના શોષણરૂપ માને છે. શરીરને સૂકવવાથી કોઈ ધર્મ થતો નથી એમ માને છે.. છે. તેમના મતે અશાતાવેદનીય, દૌભંગ્યાદિ અને ભોગાંતરાયાદિ અશુભ કર્મોના ઉદયથી તપ થાય છે જ છે. એટલે કે તપ ઔદયિકભાવ છે અને ઔદયિકભાવ આત્મશુદ્ધિનું કે કર્મનિર્જરાનું કારણ બને છે ' નહીં. તેથી જ એમના મતે તપ એ આત્મપીડનરૂપ છે અને એટલે જ એકપ્રકારે એ સ્વહિંસારૂપ છે, તે આ કેમકે હિંસાના ત્રણ પ્રકાર છેઃ (૧) દુઃખોત્પાદન, (૨) પર્યાયનાશ, અને (૩) માનસિકસંતાપ.. TSP બીજા કેટલાક તપનું સ્વરૂપ શું? તપ પાછળનો આશયો શો? તપની પદ્ધતિ શું? વગેરે કશું ' જાણ્યા વિના જેને ટીકા કરનારાઓ માત્ર લાંઘણ ગણે એ રીતે તપ કરે રાખે છે. - આ બંને પક્ષને આહતદર્શનમાન્ય તપ કેટલો બધો મહાન છે, ને કેવો વિશિષ્ટ છે, એનો બોધ 'અહીંની ચર્ચા જાણવાથી મળી શકે છે. પહેલો જ ધડાકો છે, કે તપ ઔદયિકભાવથી નથી કરાતો, ક્ષાયોપથમિકભાવથી કરાય છે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy