SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ ટીપ્પણો પરિશિષ્ટ - ૧ (પૃ. ૧૨૭, ૫. ૨૬) આ પદાર્થ ઉપલક રીતે વિચારતાં અસંગત ભાસે – (૧) સત્ત્વ-અસત્ત્વમાં જે તુલ્યાંશ છેઃબંનેમાં સમાન રીતે રહેનાર વસ્તુત્વપરિણામ છે, એ જ દ્રવ્ય છે – આવું ગ્રંથકારનું કહેવું છે.. પ્રશ્ન એ થાય કે, વસ્તુત્વપરિણામ ધર્મ કે ધર્મી? આગળ સ્વયં જ ચેતનત્વ વગેરેને ધર્મ કહેવાના છે, તો પછી તેની જેમ વસ્તુત્વ પણ ધર્મ જ કહેવાય ને? (૨) વળી જો તુલ્યાંશને દ્રવ્ય કહો, તો તમામ ઘડામાં રહેલ ઘટવરૂપ તુલ્યાંશને પણ દ્રવ્ય=ધર્મી માનવાની આપત્તિ આવે ! આ પ્રશ્નોના સમાધાન માટે + સ્પષ્ટતા માટે આમ વિચારી શકાય કે – સ વસ્તુ' આમાં સત્ત્વ-અસત્ત્વ એ ધર્મ છે અને સ્વાભાવિક છે કે ધર્મી તરીકે વસ્તુ મળે.. પણ પ્રસ્તુતમાં ગ્રંથકારે ક્વચિત્ વસ્તુત્વ + વસ્તુ વચ્ચે અભેદની વિવક્ષાથી વાત કરી છે.. ક્વચિત ભેદની વિવક્ષાથી વાત કરી છે.. “વસ્તુ” એ સદસદ્ બંનેને ઉદ્દેશીને તુલ્ય રીતે કહેવાય છે, તેથી વસ્તુ એ દ્રવ્યરૂપ છે તેમ સાબિત થાય.. દ્રવ્યરૂપે=ધર્મી તરીકે તો વસ્તુ જ લેવી જોઈએ. વસ્તુત્વ એ વસ્તુથી અભિન્ન હોવાથી તેને પણ દ્રવ્ય તરીકે કહેવામાં આવે છે. ફલિતાર્થ એ કે, વસ્તુ એ ધર્મી બની શકે અને સત્ત્વ-અસત્ત્વ એના ધર્મ તરીકે સાબિત થાય.. જેમ વસ્તુ ધર્મી છે, તેમ તેની સાથે સંલગ્ન વસ્તુત્વપરિણામ પણ ધર્મી કહી શકાય, કારણ કે પરિણામ અને પરિણામવાળાનો કથંચિ અભેદ છે.. બસ, આ જ વિવક્ષાને સામે રાખીને અહીં વસ્તુત્વપરિણામને ધર્મી તરીકે કહ્યો.. (પૃ. ૧૨૯, પૃ. ૨૫) સત્ત્વ/અસત્ત્વ જેવી રીતે વસ્તુથી અભિન્ન છે, તેવી જ રીતે ચેતનત્વાદિ પણ વસ્તુથી અભિન્ન હોવાથી, ચેતન સત્ત્વાસસ્વરૂપ થવાથી તે બંને વચ્ચે ધર્મ-ધર્મીભાવ ન ઘટી શકે... (પૃ. ૧૩૫, ૫. ૧૮) તેવાસદાર્થ ... વિવાહ્ય' એ પંક્તિનો ભાવાર્થ : પૂર્વપક્ષ ઘટસંવેદન તે ઘટસંવેદનભિન્ન એવા પટાદિસંવેદનની ભિન્નતાથી વિશિષ્ટ છે. આનો અર્થ એ જ થાય કે ઘટસંવેદનમાં પટનો અનુભવ નથી થતો.. મતલબ કે ઘટમાં માત્ર ઘટ જ અનુભવાય એટલે જ ઘટસંવેદન ઘટસંવેદનભિન્નસંવેદનાન્તરવિવિક્ત કહેવાય... ઘટમાં માત્ર ઘટ જ અનુભવાય ઘટસંવેદન અસહાય હોય.. ફલિતાર્થ એ થયો કે, અસહાય એવું ઘટસંવેદન તેને જ તમે સંવેદનાન્તરવિવિક્ત કહો છો.. આમાં નવું શું થયું? ઘટસંવેદનનું અસહાયત્વ હોવું જ તેનું તદ વિવિક્તત્વ છે, એ કંઈ જુદી વસ્તુ નથી કે જેના દ્વારા તમે સિદ્ધ કરવા માંગો છો તે સત્તાસત્ત્વોભાયાત્મકતા સિદ્ધ થઈ જાય.. ઉત્તરપક્ષઃ (શે વા...) અસહાયત્વને તદન્યવિવિક્તત્વરૂપ માનો.. કોણ કહે છે તમને કે જુદું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy