SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ વિશેષ ટીપ્પણો માનો. પણ એ અસહાયત્વ કેવલ ઘટસંવેદનમાં જ કેમ? ઘટ-પટ ઉભયસંવેદનમાં કેમ નહીં? આ બાબતનો ખુલાસો તો તમારે કરવો જ પડશે અને કહેવું જ પડશે કે સહાયાભાવ નામનું ભેદક તત્ત્વ કેવળ ઘટસંવેદનમાં જ છે, ઘટ-પટ ઉભયસંવેદનમાં નહીં.. આ સહાયાભાવરૂપ ભેદક જો સંવેદનમાં માનો, તો વસ્તુમાં તમે સત્ત્વ-અસત્ત્વ ઉભય ધર્મ માની જ લીધા, કારણ કે સહાયાભાવ એ અસત્ત્વ જ છે ને ? અને બીજી વાત ‘યં ધટ:, પટાદ્રિ’ આ રીતે ઘટભિન્નપટવૈવિજ્યનું જ્ઞાન થાય જ છે.. માટે જ્ઞાન તદન્યવિવિક્ત છે તેવું જણાઈ જ જાય છે.. આખી દુનિયામાં સુપ્રસિદ્ધ આ બાબત વિવાદનો વિષય નથી. ' (પૃ. ૧૪૪, ૫. ૨૧) સ્પષ્ટતા - અભાવાંશ કોઈ અર્થક્રિયા નથી કરતો, પરંતુ પોતાના જ્ઞાનને તો ઉત્પન્ન કરે જ છે.. વસ્તુમાં અસત્ત્વ રહેલ છે અને તે “વસ્તુ અસદ્ છે આવા વિકલ્પને=જ્ઞાનને પેદા કરે છે જ.. એટલે કોઈ આપત્તિ આવતી નથી. ' (પૃ. ૧૬૫, ૫. ૨૧) જો સમવાયને કારણ ન માની ધર્મ-ધર્મીને જ કારણ માની લેવામાં આવે તો ‘તંતુપુ પર:' એવી આધારાધેયભાવને જણાવનારી પ્રતીતિ કેમ થાય? “તન્તવ: પટશ' આવી પ્રતીતિ જ થઈ જાય ને? પણ બંને પ્રતીતિ વિલક્ષણ છે, એટલે માનવું પડે કે “તન્તવ: ટઃ' એ પ્રતીતિમાં જે કારણસામગ્રી છે, તેના કરતાં કંઈક જુદું કારણ ‘તતુપુ પર:' આવી પ્રતીતિની કારણસામગ્રીમાં છે અને તે કારણ એ જ “સમવાય” છે.. (પૃ. ૧૭૭, ૫. ૧૧) મતલબ કે માટીનો અનાદિકાળથી એક જ સ્વભાવ છે કે – તે તે સમયે તે તે સહકારીના સંનિધાનમાં તે તે ચોક્કસ પ્રકારે કાર્યને ઉત્પન્ન કરવું. આ સ્વભાવમાં કદાપિ ફેરફાર થતો નથી.. (પૃ. ૧૮૧, પૃ. ૨૪) પૂર્વપક્ષે એમ કહ્યું કે – એક દાહ્ય વસ્તુના દહન પછી પણ વસ્તુનો દહનસ્વભાવ ચાલ્યો જતો નથી, હાજર જ હોય છે, કારણ કે બીજી દાહ્ય વસ્તુને તે ભવિષ્યમાં બાળે છે જ.. જો દહનસ્વભાવ ચાલ્યો ગયો એમ માનો, તો નવી વસ્તુને બાળી ન શકે.. તથા અદહનસ્વભાવ પણ હાજર જ હોય છે. અન્યથા દગ્ધને પણ બાળવા લાગે. વસ્તુ દહન-અદહનરૂપ એક જ સ્વભાવવાળી અનાદિકાળથી છે.. ઉત્તરપક્ષ એમ જણાવે છે કે – દહન-અદહનસ્વભાવ નિયત માનવા જોઈએ. મતલબ કે તૃણને બાળવાનો સ્વભાવ તૃણ બળી જતા રવાના થઈ જાય અને પર્ણ બળી જતાં પર્ણ બાળવાનો સ્વભાવ પણ રવાના થઈ જાય.. જો ‘તૃણ કે પર્ણ”ને જણાવ્યા વિના ફક્ત દહનસ્વભાવ અને અદહનસ્વભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy