SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्वभावत्वात् इति चेत्, अभवनस्यैवंस्वभावभवनेऽपि को दोषः ? हेत्वभावनिःस्वभावते इति चेत्, न, तद्भवनस्यैव तद्धेतुत्वात्, तद्भावभावित्वात्, भावाभवनस्याभावभवनात्, तुच्छतया तद्भावसिद्धेः, अन्यथा तन्नाशायोगात् इति ॥ वाच्यम्, समानमेतदित्यभिप्रायः । न समानमित्यावेदयति स्वहेतोरित्यादिना । स्वहेतोः सकाशात् तत्स्वभावभावात्-क्षणादूर्ध्वं नीरूपतास्वभावोत्पादात् । इति चेत्, एतदाशङ्क्याहअभवनस्यैवं स्वभावभवने-क्षणादूर्ध्वं स्वरूपतास्वभावोत्पादे को दोषः ? न कश्चिदित्यर्थः । हेत्वभावनिःस्वभावते दोषः इति चेत् ? एतदाशङ्क्याह-नेत्यादि । (न-) नैतदेवं यदुक्तं भवता । कुत इत्याह-तद्भवनस्यैव यदभवनमेतत् तस्यैवेत्यर्थः । किमित्याह-तद्धेतुत्वात्अभवनहेतुत्वात् । कुत एतदेवमित्याशङ्क्याह-तद्भावभावित्वात्-भवनभावभावित्वात् अभवनस्य । कस्तुच्छस्य भाव इत्याशङ्कापोहायाह-भावाभवनस्य-तुच्छस्य अभावभवनात्, —- અનેકાંતરશ્મિ - (૧૪૨) બૌદ્ધ : પોતાના હેતુથી, ભવનની એ રીતે જ ઉત્પત્તિ થાય છે, કે જેથી પ્રથમક્ષણે તે સરૂપ રહે અને તે પછીની ક્ષણે તેનો નીરૂપ સ્વભાવ ઉત્પન્ન થાય. સ્યાદ્વાદી: એવું તો અભવન અંગે પણ માની શકાય, કે પોતાના હેતુથી અભવનની એ રીતે જ ઉત્પત્તિ થાય છે, કે જેથી પ્રથમ ક્ષણે તે નીરૂપ રહે અને તે પછીની ક્ષણે તેનો સરૂપ સ્વભાવ ઉત્પન્ન થાય - આવું પણ માનવામાં દોષ શું? બૌદ્ધઃ બે દોષ છેઃ (૧) અભવનનો તો એવો કોઈ હેતુ જ નથી, કે જેનાથી ઉપરોક્ત સ્વભાવની ઉત્પત્તિ થાય, અને (૨) અભવન તો નિઃસ્વભાવ છે, તેથી તેમાં એક ક્ષણ નીરૂપ અને પછી સરૂપ બનવાનો સ્વભાવ રહી શકે નહીં... આમ, હેતુઅભાવ અને નિઃસ્વભાવતારૂપ બે દોષ હોવાથી, પૂર્વોક્ત કથન અસંગત છે. 2 પ્રથમ-દોષનું નિરાકરણ સ્યાદ્વાદીઃ અભવન નિહેતુક નથી, કારણ કે જેનું અભવન છે, તેનું ભવન જ તેના હેતુ તરીકે વિદ્યમાન છે. પ્રશ્ન : ભવન તે હેતુ તરીકે શી રીતે બને ? ઉત્તરઃ કારણ કે પૂર્વેક્ષણે ભવન હોય, તો જ બીજી ક્ષણે – ક્ષણિક એવા ભવનનો નાશ થતાં - અભવન થાય છે. આમ, ભવન હોય તો જ અભવન થતું હોવાથી; ભવન એ અભવનનો હેતુ છે. પ્રશ્નઃ પરંતુ અભવન તો તુચ્છ છે. તેનો ભાવ જ નથી, તે થતું જ નથી, તો પછી “ભવન હોય તો અભવન થાય' એમ શી રીતે કહેવાય? १. 'यद्भवन०' इति पूर्वमुद्रिते पाठः, अत्र तु घ-पाठस्य मुख्यत्वेन निर्देशः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy