SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતઃ તત્ત્વાર્થખજાનાની ચાવી... (૧૩) આમ સર્વનયમય હોવાથી જ સર્વદર્શનની માન્યતાઓનો જૈનશાસનમાં સમાવેશ થાય છે. તેથી જ શ્રીસિદ્ધસેનીયાત્રિશિકામાં કહ્યું છે કે - અનેકાંતમય જિનશાસન તે સમુદ્રસમાન છે ને અન્ય દર્શનો નદીસમાન છે. સમુદ્રમાં નદીઓ સમાવેશ પામે છે. પણ નદીઓમાં સમુદ્ર દેખાતો નથી.” ' આ ઉપમાને જ આગળ વધારતા કહી શકાય કે, સમુદ્રમાં નદીઓ સમાવેશ પામતી હોવા છતાં | સમુદ્ર નદીઓના માત્ર સરવાળારૂપ નથી, પણ તેથી ઘણો ઘણો વિશિષ્ટ છે.. એમ જૈનશાસનમાં બધા જ નયો- બધા મતો સમાવેશ પામતા હોવા છતાં જૈનશાસન એમના સરવાળામાત્રરૂપ નથી, પણ ભેદાનુવિદ્ધ છે | અભેદ આદિ જાત્યંતરોનો સ્વીકાર કરતું જૈનશાસન એ બધાથી તદ્દન વિલક્ષણ અને વિશિષ્ટ છે. તે તે ઉપરાંતમાં સાગરથી વાદળા બંધાય છે, પછી પર્વતો પર વરસે છે ને પર્વતોમાંથી નદી નીકળે છે. તે છે એમ નદીઓની ઉત્પત્તિ પણ સાગરને આભારી છે, એમ જૈનદર્શનમાન્ય અનેકાંત જ તે-તે એકાંતવાદરૂપી . | નદીઓનાં ઉદ્ગમનું મૂળ કારણ છે. * અનેકાંત અને સ્યાદ્વાદ એક જ કે ભિન્ન? * , આમ તો બંને એક જ છે.. અનેકાંતવાદ કહો કે સ્યાદ્વાદ કહો, બંને એક જ છે. પણ પર્યાયવાચી છે. શબ્દોને નહીં સ્વીકારતા સમભિરૂઢ નયથી વિચારીએ, તો બંનેમાં કાંક ભેદ છે. “અનેકાંતવાદ આ શબ્દ જ અનેક અંત = અંશ અથવા નિશ્ચયને સ્વીકારતો વાદ.. એ રીતે એ સ્પષ્ટપણે અનેક ધર્મોનો - 'નયોનો સ્વીકાર કરે છે.. “સ્યાદ્વાદથી ‘સ્યાદ્ શબ્દના કારણે શબ્દથી નહીં, પણ અર્થથી અન્ય અંશો-ધર્મો-નયોનો સ્વીકાર 'થાય છે * “અનેકાંતવાદ એ સિદ્ધાંત છે.. “સ્યા એની ઓળખ છે, એનો ઘોતક છે. તેથી જ “સાદુ અવ્યય અનેકાંતનો ઘાતક છે એમ કહેવાયું છે. એટલે કે કોઈ ધર્મ-સ્વરૂપની ચર્ચા વખતે “અનેકાંત' શબ્દ નથી બોલાતો, “ચા બોલાય છે.. અને સ્થાના પ્રયોગથી આ અનેકાંતમય છે એવો બોધ થાય છે છે છે. આમ અનેકાંત એ પ્રમાણ છે ને “સ્યા એ વાક્યને પ્રમાણવાક્ય બનાવે છે.. * સ્યાદ્વાદ ને સપ્તભંગી એક ખરા? * અહીં સપ્તભંગી સ્યાદ્વાદમય છે, પણ સાદ્વાદ માત્ર સપ્તભંગીમય નથી, નય-નિક્ષેપા-વિકલ્પોથી ? ( સભર સ્યાદ્વાદ સપ્તભંગી કરતાં ઘણો વિશાળ છે.. છે સપ્તભંગી વસ્તુગત તમામ ધર્મોને બે વિરોધી જુથમાં વહેંચી લે છે ને પછી જિજ્ઞાસુની જિજ્ઞાસા છે જે સાત પ્રકારની સંભવતી હોવાથી એ રીતે સાત પ્રકારે જવાબ આપે છે.. પણ સપ્તભંગી બે વિરોધી ધર્મો છે - અંગે જ સંભવે, જેમકે સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ.. અલબત્ત આવી અનંતી સપ્તભંગીઓ સંભવે. પણ એ દરેક સપ્તભંગીઓ બે વિરોધી ધર્મોને આગળ કરીને જ સંભવેને એ સાતે ભાંગામાં સ્વાધદ તો. હોય જ.. १. उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविरक्तासु सरित्स्विव नोदधिः ।।_ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy