SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ - આશીષ લોકોત્તર જિનશાસનનું ‘સર્વમત્યમુક્ત બધું જ અત્યંત અદ્ભુત છે... એમાં પણ એની તત્ત્વવિચારણા શ્રેષ્ઠકોટીની છે... મોક્ષને કેન્દ્રમાં રાખીને ચાલતી આ તત્ત્વવિચારણા બીજે ક્યાંય ? યથાર્થ સ્વરૂપે જોવા-જાણવા-માણવા ન મળે... જેમને જન્મથી જિનશાસન મળી ગયું છે અને જેમને જન્મથી જિનશાસન નથી મળ્યું એ બંને પ્રકારના જીવો માટે તત્ત્વવિચારણા અત્યંત ઉપકારક છે... એકમાં શ્રદ્ધાનું સ્થિરીકરણ થાય છે અને છે બીજામાં શ્રદ્ધાનું પ્રગટીકરણ થાય છે... નિરર્થક પ્રવૃત્તિ વાતોડમિન્વોfપન તે” અર્થાત્ બાળક પણ કરતો નથી, તો આવા મહાન ) વિદ્વાનો કેવી રીતે કરી શકે ? એમનું પણ કોઈક મહત્ત્વનું પ્રયોજન હોય જ... એમના હૈયામાં આવી છે કરુણાવૃત્તિ જન્મી ત્યારે જ આવી કૃતિઓનો જન્મ થાય છે. | સર્વજ્ઞના સિદ્ધાંતો તર્કશુદ્ધ છે એ સત્યને સ્થાપિત કરવા દ્રવ્યાનુયોગના ગ્રંથોમાં તર્કનો પ્રવેશ ૧ થયો. તર્કનુસારી બુદ્ધિવાળા જિજ્ઞાસુઓના ગળે વીતરાગની વાણી આના કારણે સોંસરી ઊતરી ) જાય... તર્કપ્રધાન તત્ત્વવિચારણા કરતા દાર્શનિકોમાં યાકિનીમહત્તરાસુનું શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મ.સા.નું ) નામ મોખરે છે... સ્વનામધન્ય આ મહાપુરુષે સર્વજ્ઞપ્રતિપાદિત અનેકાંતવાદનું અમોઘશસ્ત્ર લઈ ? એકાંતવાદીઓના તર્કોનો જાણે કચ્ચરઘાણ કાઢી નાંખવા “અનેકાંતજયપતાકા' ગ્રંથની રચના કરી છે... જૈન દાર્શનિક ગ્રંથોમાં ઉચ્ચકોટિના આ ગ્રંથના પદાર્થો અને તર્કપદ્ધતિ સ્વાભાવિક રીતે દુહ ( રહેવાના... આમ પણ તર્કપ્રધાન ગ્રંથોની શૈલી દુહ હોય અને એમાં પણ પૂજ્ય હરિભદ્રસૂરિજી | મહારાજાની પ્રાચ્ચન્યાયશૈલીથી ભરપૂર આ ગ્રંથ... એટલે ભણવામાં અઘરો પડે જ... સંસ્કૃતભાષાબદ્ધ) આ ગ્રંથનો જો અનુવાદ થાય, તો આ ગ્રંથ અભ્યાસુઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય... નવ્યન્યાય અને પ્રાચ્ચન્યાયના અધ્યયન બાદ મુનિરાજશ્રીએ જૈનદર્શનનો વિસ્તારથી અભ્યાસ રે કર્યો.. ભૂમિકા તૈયાર થયા બાદ એસિડટેસ્ટરૂપે સ્યાદ્વાદભાષા અને ન્યાયાવતારનું કાર્ય ગયા વર્ષે પૂર્ણ કર્યું... એનું પ્રકાશન પણ થઈ ગયું... એની સાથે જૈનદર્શનના ટોચના ગ્રંથોમાં જેનું નામ છે એવા ( “અનેકાંતજયપતાકા’ ગ્રંથનું ભગીરથ કાર્ય પ્રારંવ્યું... ૮ મહિનાની મહેનત રંગ લાવી. ખૂબ જ સુંદર પુરુષાર્થ કરી રહ્યા છે. તેમને અનેક ધન્યવાદ... આ રીતે શ્રુતસર્જન દ્વારા સ્વ-પરની આરાધનામાં નિમિત્ત બની જીવન ઉજવલ બનાવે અને ) છેપરંપરાને શાશ્વત સુખને પામે એવા અંતરના આશીર્વાદ... આચાર્ય વિજય ગુણરત્નસૂરિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy