SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપાવપ (૩) ? જૈનશાસન આશ્રવની સામે સંવર બતાવે. નવા નવા આશ્રવો સામે નવા નવા સંવરમાર્ગો પણ ગીતાર્થોએ બતાવા પડે અને શાસનની રક્ષા કરવી પડે. માટે ન્યાયગ્રંથો જૈનેતરપ્રભાવમાં બાળકો અંજાય નહીં તેના માટે રચાયા. એ જ રીતે તે ગ્રંથોના અનુવાદ પણ સમ્યગ્દર્શનને નિર્મળ કરનાર અને મિથ્યાદર્શનના વ્યામોહને ; દૂર કરનાર છે. તેથી પૂર્વના મહાપુરુષોના તાર્કિકશિરોમણિના માર્ગે ચાલનાર આ અનુવાદ કરનાર છે. ' એમને આ કાર્ય જે ધગશથી કર્યું છે, તે ધન્યવાદપાત્ર છે. આવકાર્ય-પ્રશંસનીય છે. આવા ગ્રંથો લખનાર અને ભણનાર રત્નોના વેપારી અને ખરીદનારની જેમ થોડા જ હોય છે. ; છતાં નિરર્થક કે તુચ્છકાર્ય નથી, મહાગંભીર અને મહત્ત્વપૂર્ણ કાર્ય છે. બીજી એક વાત - અનાજ અને પાણી વગર રત્નોના ઢગલાથી માણસ જીવતો નથી, એનો : વ્યવહાર ચાલતો નથી... તેમ (૧) સર્વત્ર વ્યવહાર-ઔચિત્ય, (૨) વિવેક, (૩) સંયમ, (૪) વૈરાગ્ય ! (૫) અધ્યાત્મ, (૬) આચારગ્રંથનું જ્ઞાન, અને (૭) આચારથી શાસન ચાલે છે... જીવન, આત્માના ભાવપ્રાણ અને મોક્ષ પણ આનાથી છે. આ સાતે વાતો જૈનશાસનમાં સર્વથી ચડીયાતી છે. જૈનેતર શાસન પણ થોડુંઘણું આનાથી શોભે છે. માટે પ્રભુશાસનમાં રહેનારે અને અનુવાદ રચનારે જીવનમાં ઓતપ્રોત આ સાત વાતોને પ્રાધાન્ય : આપી જીવન સ્વ-પરને તારણહાર બનાવે અને ઉત્તમ આરાધક બને એવા અંતરના આશીર્વાદ... ! આ સાત વાત જૈનશાસનનો અને આરાધનાનો-મોક્ષમાર્ગનો ભાવપ્રાણ છે, આમાં ઘાલમેલ કે મંદતા-ઉપેક્ષા ન ચાલે 1 શિવમસ્તુ સર્વગતિ: || આચાર્યવિજય જયઘોષસૂરિ મ.સા. - INS Sws : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy