SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપાવર્ષા સંયમીને અને જૈનદર્શનને તર્ક-ન્યાય-ઊહાપોહ-ચિંતનની જરૂરીયાત છે. વિવેકી વિદ્વાન જેમ સમર્પિત હોય છે, તેમ ચિંતન-મનન-ગવેષણમાં તત્પર હોય છે. – જ્ઞાની જ્ઞાનીને સમર્પિત હોય, અજ્ઞાનીને નહીં. જ્ઞાની સંયમી હોય, વિવેકી હોય. અજ્ઞાનીઅસંયમી નહીં. – સંયમી જ્ઞાની હોય અને ક્યારેક જ્ઞાની ન હોય તો પણ જ્ઞાનીને સમર્પિત હોય. જ્ઞાનીને સમર્પિત ન હોય તો એ સંયમી ન કહેવાય. માટે આચારમાર્ગ, શ્રદ્ધામાર્ગ અને વ્યવહારમાર્ગ એ ત્રણે જ્ઞાનને બંધાયેલ છે. ' જ્ઞાનમાર્ગ વિશિષ્ટજ્ઞાનીથી પ્રવર્તનાર છે. માટે શાસન હંમેશા વિશિષ્ટજ્ઞાનીથી સંપન્ન જ હોય. : જ્ઞાનીને સમર્પિત બનનાર અને અભ્યાસ-ચિંતન-મનન-ઊહાપોહ કરનાર વિશિષ્ટજ્ઞાની બને છે અને : શાસનનો રક્ષકસ્તંભ પણ બને છે. સંયમી જ્ઞાન વગર સ્તંભ ન બને. •જ્ઞાની સંયમ વગર સ્તંભ ન બને. પ્રભુ પોતે અદ્વિતીય જ્ઞાનસંપન્ન છે અને અપૂર્વ-સર્વોત્તમ સંયમી પણ છે. પ્રભુએ જે દિવસે શાસન સ્થાપ્યું, ત્યારથી શાસનના અગ્રેસરો વિશિષ્ટ જ્ઞાન-સંયમસંપન્ન થતાં જ આવ્યા છે. જ્ઞાન વગરના સંયમીને શાસનધુરા ન અપાય. સંયમ વિના જ્ઞાનસંપન્ન પણ શાસનના અગ્રેસર ન બને. પ્રભુ જેમ બંનેથી સંપન્ન છે, અર્થાત્ જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન-સંયમસંપન્ન છે, તેમ પ્રભુનું શાસન બીજા સર્વ શાસનો કરતા વિશિષ્ટ જ્ઞાન અને સંયમ સંપન્ન છે. આજે પણ, પ્રભુશાસનનું જેમ જ્ઞાન ચડીયાતું છે, તેમ સંયમ પણ વિશેષ ચડીયાતું છે. ત્રણે : કાળમાં આ એક શાશ્વત કાયદો છે. પ્રભુશાસનથી ચડીયાતું જ્ઞાન કે સંયમ બીજા ધર્મમાં ન હોય.. ૬૪ : ઇન્દ્રો પણ પ્રભુશાસનના ત્રિકાળ દાસાનુદાસ છે. | સર્વતોમુખી જ્ઞાન પ્રભુશાસનમાં છે. પ્રભુશાસનમાં ન્યાય-તર્ક ભારોભાર ભરેલા ત્રણે કાળ માટે છે. પરંતુ જૈનેતરદર્શનોમાં હુંડાઅવસર્પિણ્યાદિના કારણે તર્કનું પ્રમાણ કુતર્કરૂપે વધ્યું ત્યારે તે તરફ મંદબુદ્ધિશાળી ખેંચાય નહીં તે માટે જૈનશાસનના ધુરંધરોએ એ દર્શનના તર્કોમાં રહેલ ભ્રામકતા અને વિષમતાને સ્પષ્ટ કરવા દર્શનગ્રંથો તૈયાર કર્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy