SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: માનવામાં આવે, તો તો ઘટથી જ - પુરુષની બુદ્ધિથી નિરપેક્ષ રહીને જ – “ઘ', ‘ટ’ વગેરે શબ્દોનું શ્રવણ થવા લાગશે, પણ તેવું તો દેખાતું નથી. તેથી, શબ્દ-અર્થ વચ્ચે એકે સંબંધ ઘટતાં નથી, ફલતઃ વાચ્ય-વાચકભાવ સંબંધ પણ નહીં જ ઘટે – આમ, અર્થનો વાચક શબ્દ જયારે બનતો જ નથી, ત્યારે પરમાત્મા, સદ્દભૂત વસ્તુના કથક શી રીતે બને? અને જો ન બની શકે, તો ચોથો અતિશય શી રીતે ઘટે ? સ્યાદ્વાદી ઃ પહેલા શબ્દનું સ્વરૂપ સમજો - (૧) શબ્દ તે પુદ્ગલરૂપ છે, કારણ કે શબ્દનું ઉપાદાનકારણ જે ભાષાવર્ગણાનાં પુદ્ગલો છે, તે રૂપ-રસ-ગંધ-સ્પર્શના સ્વભાવવાળા છે અને ઉપાદાનને અનુરૂપ જ કાર્ય થતું હોવાથી શબ્દ પણ પુંગલરૂપ (મૂર્ત) જ સાબિત થાય. (૨) શબ્દ તે અર્થનો વાચક છે. કારણ કે “અર્થને કહેવાનો’ શબ્દનો સ્વભાવ જ છે. તેથી ઘટ વગેરે તે તે શબ્દોથી તે તે પદાર્થનું કથન થવું શક્ય જ છે... એટલે શબ્દ બૌદ્ધની કૅલ્પનાની જેમ વસ્તુવાચકતારહિત નહીં, પણ અર્થવાચક જ છે, એમ નિશ્ચિત થયું... કારણ કે શબ્દ-અર્થ વચ્ચે કથંચિદ્ ભેદભેદ સંબંધ હોવાથી, શબ્દ દ્વારા અર્થનું કથન શક્ય જ છે. (૩) શબ્દ તે સત્યાદિ સ્વભાવવાળો છે, અર્થાત્ શબ્દના (A) સત્ય, (B) અસત્ય, (C) સત્યાસત્ય, અને (D) અસત્યામૃષા=એમ ચાર ભેદ છે. આ ચારે ભેદો, તે તે વક્તાના વ્યાપારને કારણે પડે છે. | ભાવાર્થ એ છે કે, શબ્દના ૪ ભેદ, એ શબ્દના સ્વરૂપનાં કારણે નથી, પણ વક્તાના પરિણામાદિ વ્યાપારના કારણે હોય છે. ફલિતાર્થ :- શબ્દમાં અર્થવાચકતા છે, માટે જ, યોગ્ય વ્યક્તિને “ä કુર-દ્રમાન' વગેરે શબ્દોથી વ્યવહાર કરાય છે અને તેને પ્રતિનિયત અર્થનું જ્ઞાન પણ થાય છે. એટલે શબ્દની અર્થવાચકતા અબાધિત છે. કહ્યું છે કે : - વિવરમ્ ............... न तु “वस्तु वाचामगोचर' इति वचनाद् बौद्धपरिकल्पनाया इव वस्तुवाचकस्वभावशून्य इति । तथा सत्यादिचित्रधर्मा भावप्रधानत्वान्निर्देशस्य सत्यादय: सत्या-ऽसत्य-सत्यामृषा-ऽसत्या-मृषलक्षणभाषाभेदरूपाश्चित्रा:-नानाप्रकारास्तथाविधवक्तृव्यापारपराधीनतया धर्मा:-स्वभावा यस्य स तथा । વર્ગણા એટલે પુદ્ગલોનો સમૂહ... ભાષાવર્ગણાના એવા પુદ્ગલો છે, કે જેને ગ્રહણ કરીને જીવ શબ્દરૂપે પરિણમાવે છે. ભાષાવર્ગણાની વિશેષ સમજૂતી માટે કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોનું અવલોકન કરવું. શબ્દની પુદ્ગલરૂપતા સાબિત થવાથી વૈશેષિકાદિનું કથન પરાસ્ત થાય છે... તેઓ શબ્દને આકાશનો ગુણ માને છે અને ગુણ અમૂર્ત હોવાથી, શબ્દ પુદ્ગલરૂપ ન બની શકે – એવી તેઓની દલીલ છે, પણ ઉપરોક્ત રીતે, શબ્દની પુદ્ગલરૂપતા સિદ્ધ જ હોવાથી, તેઓનું કથન નિરસ્ત થયું સમજવું. છે બોદ્ધોની એવી માન્યતા છે કે, વસ્તુ તે વાણીનો વિષય ન બને. * અહીં “ભાવપ્રધાનત્વાનિર્દેશ’નો અર્થ એ કરવો - વાસ્તવમાં સત્ય એ ધર્મ નથી, સત્યત્વ એ ધર્મ છે, એટલે સત્યત્વાદિધર્મા એમ લખવું જોઈએ. પણ નિર્દેશ ભાવપ્રધાન હોય છે. એટલે “સત્ય' શબ્દનો અર્થ સત્યત્વ કરવાનો ૨. મંત્ર તુ ‘તુ' ત L-પાઠ: શુદ્ધરૂપે પ્રતિમતિ, પૂર્વસંપાફિક્ત તુ ‘નનુ રૂત્યશુદ્ધપાઠ:. ૨. ‘ત્પના’ તિ શ-પીટ: રૂ. ‘વોપર.' તિ g-: ૪. ‘નિર્વસત્યા' રૂતિ ઘ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy