________________
ધર્મતીર્થની વ્યાખ્યા અને મોક્ષ આ ત્રણને આપનાર હોય તે ધર્મ છે. અર્થાત્ સકલ પુરુષાર્થનું સાધન તેનું નામ ધર્મ. જીવનમાં પુરુષાર્થ દ્વારા તમારે મેળવવા લાયક અર્થ-કામ-મોક્ષ, અને એ ત્રણેનું કારણ ધર્મ છે. વ્યાખ્યાનના મંગલાચરણમાં “ૐવારવિવુ...” આ જે શ્લોક બોલું છું તેમાં “મટું મોઢું ચેવ...” એ શબ્દથી કહ્યું કે, કામને અને મોક્ષને પણ ધર્મ આપે છે. ભૌતિક જગતની રિદ્ધિ, સિદ્ધિ, ભૌતિક કામના, સુખ-સગવડતા, અનુકૂળતા પૂરી કરવાની તાકાત પણ ધર્મમાં જ છે. આત્માનું ઐશ્વર્ય, આત્માના ગુણો પ્રાપ્ત કરાવવાની તાકાત પણ ધર્મમાં જ છે, તેથી મોક્ષનું સાધન પણ ધર્મ છે. આ સંસારમાં પુરુષાર્થ કરી મેળવવા લાયક વસ્તુ, પછી તે અર્થ હોય કામ હોય કે મોક્ષ હોય, તે ત્રણેનું સાધન ધર્મ જ છે. ટૂંકમાં સર્વ પુરુષાર્થનો હેતુ ધર્મ છે.
આ વ્યાખ્યાઓમાં સંગ્રહિત થતા ધર્મોમાં તાત્ત્વિક કેટલા ? અતાત્ત્વિક કેટલા ? સારા કેટલા ? ખરાબ કેટલા ? તેનું વિવેચન આગળ આવશે. તમારે ધનસંપત્તિ જોઈતી હોય તો ગમે એટલો પુરુષાર્થ કરો પણ પુણ્ય નહીં હોય તો તે નહીં મળે, અને પુણ્ય ધર્મના પ્રભાવે જ બંધાય. આત્મકલ્યાણ કરી મોક્ષે જવું હોય તો પણ આ જગતમાં ધર્મ સિવાય બીજું કોઈ સાધન નથી. સકલ પુરુષાર્થનું સાધન, ભૌતિક ઉન્નતિ, આત્મિક ઉન્નતિનું સાધન ધર્મ છે.
સભા : આ તાત્ત્વિક વ્યાખ્યા છે ?
સાહેબજી : સંપૂર્ણ તાત્ત્વિક નથી પણ સામાન્યથી તાત્ત્વિક-અતાત્ત્વિક બંનેનો સંગ્રહ કરનારી છે. અહીં આગળ આગળ વ્યાખ્યા કરતાં અંતિમ વ્યાખ્યા શુદ્ધ હશે, જેમાં એક ટકો પણ ખામીનો સવાલ ન હોય. ત્યાં સુધી લઈ જવા માટે અત્યારે હું background-પૂર્વભૂમિકા તૈયાર કરું છું.
વળી જેટલાં અહિંસાદિ અનુષ્ઠાન કે સ્વાર્થત્યાગ અને પરોપકારકરણ તે ધર્મ :
મને ખબર છે કે તમને ધર્મ સમજાવવો અને તમારી બુદ્ધિમાં ધર્મનો સૂક્ષ્મ ચિતાર રજૂ કરવો તે બહુ
૧ ... ‘ધર્મે' સત્તપુરુષાર્થહેતાધારી ..
(पंचवस्तुक श्लोक - १७०९ टीका) २ प्रोक्तो जिनेन्द्र्रयमेव मोक्षप्रसाधको निश्चयतोऽनुपाधिः । द्रव्यात्मको नीतिकुलादिभावी, धर्मस्तु दत्वाऽभ्युदयं प्रयाति।।५५ ।।
(વરાથઋત્પન્નતા તબં% - ૧) उ धनदो धनार्थिनां धर्मः, कामिनां सर्वकामदः। धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधक।।१।। (उपमिति० प्रस्ताव- १) ★ सदनुष्ठानहेतुश्च, सर्वासामर्थसम्पदाम्। सम्पादक इति ख्यातः, सद्धर्म इव वर्तते।।७७।। (उपमिति० प्रस्ताव - ५) 3, ४ नखांशुविशदं कृत्वा, ललाटे करकुड्मलम्। जगाद भारतीमेनां, स राजा शत्रुमर्दनः ।।५१ ।। भगवन्! अत्र संसारे, नरेण सुखकामिना। किमादेयं प्रयत्नेन, सर्वसम्पत्तिकारणम्? ।।५२ ।। धर्मस्योपादेयता।। सूरिराह-आदेयोऽत्र महाराज! धर्मः सर्व-ज्ञभाषितः। स एव भगवान् सर्वपुरुषार्थप्रसाधकः ।।५३ ।। सोऽनन्तसुखसंपूर्णे, मोक्षे नयति देहिनम्। अनुषङ्गेण संसारे, स हेतुः सुखपद्धतेः।।५४ ।।
(3ઘમિતિ પ્રસ્તાવ - 3)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org