SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ ધર્મતીર્થની વ્યાખ્યા આ તો In general-સામાન્યતયા વિશ્વવ્યાપી ધર્મની વ્યાખ્યા કરી. આ વ્યાખ્યા અનુસારે જીવને સંસારમાં અનુકૂળતારૂપે મળતાં જે જે સારાં ફળો છે, તે બધો ધર્મનો પ્રભાવ છે. જીવે કાંઈક સદ્વર્તન, શુભ ભાવ કર્યો, જેનાથી પુણ્ય બંધાયું અને વિપાકરૂપે અનુકૂળતા મળી, દા.ત. મચ્છરને તમને કરડવા તક મળી અને તમારા શરીરમાંથી લોહીનું ટીપું પીવા મળ્યું તે પણ તેને પુણ્યથી મળ્યું. જો પુણ્ય ન હોય તો તમે તેને તરત ઝાપટ મારીને ઉડાડી દેશો અથવા નજીક જ નહીં આવવા દો, કદાચ ખાવાના લોભે આવે તો બિચારો જાનથી મારી જાય. અનેક મચ્છરોમાંથી નસીબદાર મચ્છર જ સારું ખાવાનું મેળવી શકશે. આ સંસારમાં ગમે તે જીવને ગમે તે ગતિમાં નાની સરખી પણ અનુકૂળતા-સુખ મળે છે, તે પુણ્યરૂપી ધર્મના જ પ્રભાવે. તેથી આ સંસારમાં બધી સ–વૃત્તિ, પછી તે નાસ્તિકની હોય કે આસ્તિકની હોય, સાંસારિક હોય કે પવિત્ર કક્ષાની હોય, બધાને નિગમનયથી ધર્મ કહી શકાય. સભા : માંસાહારના દાનને ધર્મ કહેવાય ? સાહેબુજી : અનાર્યની ભૂમિકાની આ સ–વૃત્તિ છે. અશુદ્ધ નૈગમન થી કહેવાતો આ ધર્મ છે, પણ આત્માનું હિત કરે, ઉત્થાન કરે તેવો આ ધર્મ નથી, છતાં એક દૃષ્ટિકોણથી શાસ્ત્રમાં તેને ધર્મ કહ્યો છે. જૈનદર્શન એવું છે કે કોઈની પણ વાત કોઈ અપેક્ષાએ સાચી હોય તો તટસ્થતાથી સ્વીકારવા તૈયાર છે. દા.ત. બે નાસ્તિક ડૉક્ટર છે, જેમાં એક ડૉક્ટર એવો છે કે જે હંમેશાં પૈસા કેમ ખંખેરવા તેની તજવીજમાં હોય. તેના માટે દર્દી એ પૈસા ખંખેરવાનું સાધન છે, પછી તે દર્દી સાજો થાય, માંદો રહે તે બધું ગૌણ છે અપ્રામાણિક, લુચ્ચા, છેતરપિંડી કરનારા, વિશ્વાસઘાત કરનારા પણ ડૉક્ટર સમાજમાં છે. તે practiceપ્રેક્ટીસ કરે છે અને ઘણું કમાય છે. હવે બીજો ડૉક્ટર એવો છે કે જે દર્દીને ખોટી સલાહ ન આપે, દવાની જરૂર ન હોય તો દવા લેવાની પણ ના પાડે, ચિકિત્સાના પોતે પૈસા લે છે પણ તેને ગૌણ માને છે અને દર્દીના આરોગ્યને મુખ્ય માને છે. ફી લે છે, માત્ર સેવા નથી કરતો, પણ ધંધો નીતિથી કરે છે. તેનામાં પ્રામાણિકતા ગુણ છે, જેને જીવનભર ટકાવી રાખે છે. તો આ બંને ડૉક્ટરને સરખા કહું ? કે એકને બદમાશ અને એકને સારો છે તેમ કહું ? કાંઈ પૂછે કે બંને ડૉક્ટર સરખા છે કે તફાવત છે ? તો મારે કહેવું જ પડે કે બીજો પ્રામાણિક છે, પહેલો દુષ્ટ છે. લોકવ્યવહારથી અહીં એમ ન કહેવાય કે જે સદ્વર્તન છે તે અધર્મ છે, અથવા અસદ્વર્તન છે તે ધર્મ છે. કહેવું જ પડશે કે પ્રામાણિક ડૉક્ટરમાં જે સારું છે તે ધર્મ છે. ભલે નાસ્તિક હોય, પણ પ્રામાણિકતા, નીતિ એ પણ એક પ્રકારનો સગુણ જ છે; ધર્મ સામાજિક, નૈતિક, લૌકિક કે દ્રવ્યધર્મરૂપે અનેક પ્રકારના હોય. હું એવું નથી કહેતો કે આ આધ્યાત્મિક ધર્મ છે, પણ નૈગમનય બધા ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરે. એક પણ ધર્મને પોતાની વ્યાખ્યામાં સમાવેશ ન આપે તેવો નૈગમનય નથી. દા.ત. બે માંસાહાર કરનાર છે. એક ભરપેટ ખાય છે, કોઈને એક કણિયો પણ આપતો નથી, અને ભૂખ્યો આવે તો તેને તતડાવીને કાઢી મૂકે છે. જ્યારે બીજો એવો છે કે જમતી વખતે ભલે માંસાહર કરે, તો પણ ભૂખ્યાને પોતાના ભાણામાંથી નિઃસ્વાર્થભાવે દયાબુદ્ધિથી આપી દેવા તૈયાર છે. તેથી આ બંને સરખા નથી પરંતુ બંનેના વર્તન અને ભાવમાં તફાવત છે. એકમાં દયા, ઉદારતા, પરોપકાર છે; જ્યારે બીજામાં સ્વાર્થ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy