SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા નગમનયથી કોઈપણ સદ્વર્તન-સદ્ધાણી-સર્વિચાર તે ધર્મ છે : આત્મા માટે પતન એટલે દુઃખ, સંકટ, આપત્તિ, પીડા, પ્રતિકૂળતાની પ્રાપ્તિ અને ઉત્થાન એટલે સુખ, શાંતિ, અનુકૂળતાની પ્રાપ્તિ. આવા સ્થૂલ દૃષ્ટિકોણથી બતાવ્યું કે આ દુનિયામાં જે સદ્વર્તન, સદ્ધાણી, સવિચાર છે તે બધો ધર્મ છે. આ વ્યાખ્યા અંતિમ મર્યાદાની છે. ધર્મની છેલ્લામાં છેલ્લી સીમા બાંધવી હોય તો અહીં બાંધી શકાય છે. તમને સાંસારિક પ્રવૃત્તિ કરતી વખતે પણ કોઈ સદ્વર્તન, સદ્વાણી, સદ્વિચારનો ભાવ આવ્યો, તો તેને પણ ધર્મમાં આવરી લીધો. સામાજિક સત્કૃત્યો પણ આમાં આવી ગયાં. દા.ત. કોઈ સજ્જન ગરીબની કન્યાને ઉદાર ભાવે પરણાવે તો તે પણ સદ્વર્તન છે. આ વ્યાખ્યા પ્રમાણે તેને પણ ધર્મ કહીશું; કારણ કે નિઃસ્વાર્થ ઉદારતાના પરિણામપૂર્વક આવા સામાજિક સદ્વર્તનથી પણ પુણ્ય બંધાય છે, અને પુણ્યમાત્ર દુઃખને અટકાવે છે તેમજ સુખઅનુકૂળતા આપે છે. અરે ! ભિખારી ભીખ માંગે અને મનગમતી વસ્તુ મળે તે પણ પુણ્યનો ઉદય છે. ભૂખ્યા કૂતરાને એંઠવાડ ખાવા મળે તે પણ તેના પુણ્યનો ઉદય છે. આ દુનિયામાં ચોર્યાસી લાખ જીવાયોનિમાં ચારે ગતિમાં, જીવોને નાની કે મોટી તમામ અનુકૂળતા મળે છે, તે પુણ્યના આધારે છે. ઘણા કૂતરા રખડે છે તો પણ તેમને એંઠવાડ નથી મળતો, ભૂખ્યા રખડીને પાછા આવે છે. જ્યારે પુણ્યશાળી કૂતરાને બહાર નીકળે ને તરત જ ભોજન મળી જાય છે. એનો અર્થ એ કે સંસારમાં કોઈ પણ જીવને નાની સરખીય અનુકૂળતા મળી, સંકટ દૂર થયું તો તે સઘળું પુણ્યના પ્રભાવે જ, અને પુણ્ય શુભ પરિણામથી બંધાય. સદ્વર્તન, સદ્ઘાણી, સંવિચારમાંથી જ શુભ પરિણામ પેદા થાય છે. આ સાર્વત્રિક નિયમ છે. અરે! નાસ્તિક પણ કોઈ પ્રવૃત્તિ કરે, ભાઈ પ્રત્યે ઉદાર વર્તન કરે તો તે પણ સદ્વર્તન છે, જેને નૈગમનયથી ધર્મ કહેવા શાસ્ત્ર તૈયાર છે. નેગમનય દુનિયાની બધી સત્મવૃત્તિ-સત્કાર્યને ધર્મ તરીકે આવરી લે છે. સભા : નિગમનય પરંપરાએ મોક્ષનું કારણ બને તેવા ધર્મને જ ધર્મ માને ? સાહેબજી : ના, તે તો શુદ્ધ નૈગમનય આવ્યો. નૈગમનયનાં પણ ઘણા ભેદ છે. અત્યારે general વાત ચાલે છે. સામાન્ય નૈગમનયના અભિપ્રાયે તો દુનિયાની કોઈ પણ સારી પ્રવૃત્તિ ધર્મ કહેવાશે. જેમ કે નાસ્તિક ડૉક્ટર છે, છેતરપિંડી નથી કરતો અને દર્દીને સાચી સલાહ આપે છે, વાજબી ફી લે છે, વ્યવસાયમાં નીતિ પાળે છે; તો તે નીતિ એક સસ્પ્રવૃત્તિ છે. વાસ્તવમાં તે મોક્ષનું સીધું કે પરંપરાએ કારણ નથી, છતાં પણ નૈગમનય કહેશે કે તે ધર્મ કરે છે; કેમ કે તે નિઃસ્વાર્થભાવયુક્ત નીતિના પરિણામથી પણ તેને પુણ્ય બંધાય છે. નિગમનયથી ધર્મની વ્યાખ્યા કરતાં લખ્યું કે “ પુ ન્યનક્ષUશાતાપત્નનન માત્મન:શુમપરિપામ: થર્મ:' પછી તે ગમે તેવું પુણ્ય હોય. આ વ્યાખ્યા પ્રમાણે તો ત્યાં સુધી કહી શકાય કે, કોઈ અનાર્ય દેશમાં જન્મેલ વ્યક્તિ માંસાહારનું ભોજન કરે છે તે વખતે કોઈ ભૂખ્યો દીન-ગરીબ માણસ આવ્યો, અને તેને પોતાના ભાણામાંથી નિઃસ્વાર્થભાવે દયાબુદ્ધિએ થોડું ભોજન દાનમાં આપી દે, તો તે દાનને પણ નૈગમનય એક પ્રકારનો ધર્મ કહેશે; કેમ કે તેનાથી તેને પુણ્ય બંધાય છે. પણ આ સાંભળી કાલથી તમે આવું દાન આપવાનું ચાલુ ન કરશો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy