SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ધર્મતીર્થની વ્યાખ્યા આવે એટલે શુભ ભાવ આવે; અને શુભ ભાવથી અવશ્ય પુણ્ય બંધાય. આ સૃષ્ટિમાં કોઈ એવો જીવ નથી કે જેના જીવનમાં સદ્વાણી, સદ્વર્તન કે સવિચાર આવે તો અમે તેને આ અપેક્ષાએ ધર્મ તરીકે સ્વીકારવા તૈયાર ન હોઈએ. ધર્મ-અધર્મની ભેદરેખા સ્પષ્ટ જ છે. છેલ્લામાં છેલ્લી સીમા આ બાંધી છે. તેથી ખરાબ વિચાર, ખરાબ વાણી કે ખરાબ વર્તનને ધર્મ ન જ કહેવાય. જો તેને પણ ધર્મ કહીએ તો દુનિયામાં અધર્મ જેવી કોઈ વસ્તુ જ ન રહે. પછી તો ગુંડા, બદમાશ પણ ધર્મી થઈ જાય. આ વ્યાખ્યા અનુસાર જીવમાત્ર પુણ્યબંધના સ્વામી બને છે. શાસ્ત્રમાં 'શુભ પરિણામને પણ ધર્મ કહ્યો છે અથવા શુભ પરિણામથી થતા પુણ્યબંધને પણ ધર્મ કહ્યો છે અથવા ૩ જીવને શાતાદાયક તત્ત્વને ધર્મ કહ્યો છે. આ બધી નૈગમનય કે અશુદ્ધ ઉપચરિત વ્યવહારનયથી ધર્મની વ્યાખ્યાઓ છે. પણ ધર્મની વ્યાખ્યા કરતાં કરતાં જેમ જેમ ઊંડાણમાં જઈશું તેમ તેમ લાગશે કે આ વ્યાખ્યાઓ કાચી છે. ધર્મની આ બધી વ્યાખ્યા વિચારશો તો તમને લાગશે કે, ભગવાને ધર્મને સમજવા માટે ધર્મનાં અનેક પાસાં બતાવ્યાં છે. જે ધર્મને ઓળખશે તે જ તીર્થને ઓળખશે. પછી ‘ધર્મતીર્થ’ શબ્દની આખી વ્યાખ્યા કરીશ તો તેને સમજવામાં તકલીફ નહીં પડે. ધર્મની નવી નવી વ્યાખ્યાઓ આવશે, તે એક એક વિચારશો તો થશે કે ભગવાને કમાલ કરી છે. મારા અને તમારા ભેજામાંથી ન નીકળી શકે તેવી જ્ઞાની પુરુષોના જ્ઞાનમાંથી નીકળેલી વ્યાખ્યાઓ છે. પ્રામાણિકતાથી ધર્મની વ્યાખ્યા સાંભળવા-વિચારવાની તૈયારી હોય તો ભલભલા નાસ્તિક પણ આસ્તિક બની જાય. અત્યારે ધર્મની વિરુદ્ધ વાત કરનારાને કાન પકડીને કબૂલ કરવું પડે કે, ધર્મમાં એવી કોઈ વસ્તુ નથી કે જેની નિંદા-ટીકા થઈ શકે. તમારે દુનિયામાં નિંદા-ટીકા કરવી હોય તો અધર્મની કરો. ધર્મની નિંદા જે કરે તેણે નક્કી સમજવાનું કે તે પોતે જ દુર્ગુણી-દુર્જન-દુષ્ટ છે. દુર્જન-દુષ્ટને જ ધર્મ ન ગમે. જે સજ્જન-સદ્ગણી હોય, જેને સારું ગમતું હોય તે તો ધર્મની પ્રશંસા જ કરે. દુનિયાનું બધું સારું તત્ત્વ ધર્મમાં જ સમાઈ જાય છે. હવે તમારે સારાની નિંદા કરવી છે કે ખરાબની ? ટીકા તો ખરાબની જ થાય. દુર્જનતા, દુર્ગુણ, દુષ્ટતા એ અધર્મ-દોષ છે, સજ્જનતા-સદાચાર-સગુણ એ ધર્મ છે - ધર્મની એક પ્રકારે વ્યાખ્યા અને તેમાં રહેલી ખામી: “આત્માના શુભ ભાવ-પરિણામ એ જ ધર્મ છે, અથવા આત્માને જેનાથી શુભ બંધ થાય છે તે જ ધર્મ છે, પુણ્યબંધ એ જ ધર્મ.” આ સંસારમાં ગમે તે યોનિમાં તમારો આત્મા ગયો, ગમે તે અવસ્થામાં રહ્યો. પણ જ્યારે જ્યારે તમારા १ धर्मस्य कुशलात्मपरिणामविशेषस्य। (अष्टक प्रकरण अष्टक - २७, श्लोक ३ टीका) २ धर्मः शुभबन्धरूपः। (योगबिन्द० श्लोक - ३८८ टीका) 3 तथा अन्यो धर्मः, पुण्येन सातादिना कार्येण लक्ष्यत इति पुण्यलक्षण: ।२०।। (शास्त्रवार्ता समुच्चय० स्तबक - १, श्लोक २० टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy