________________
પ૭
ધર્મતીર્થની વ્યાખ્યા આત્મામાં શુભ પરિણામ થયો, ત્યારે ત્યારે તેટલો તમારા આત્મામાં ધર્મ પ્રગટ્યો, જેનાથી તમને પુણ્યનો બંધ થયો. દયા, સહિષ્ણુતા, ગંભીરતા, ઉદારતા, સરળતા વગેરે અનેક શુભ પરિણામો છે. તે તમારા આત્મામાં
જ્યારે જ્યારે પ્રગટ્યાં ત્યારે ત્યારે તમારો આત્મા એટલા અંશે ધર્મથી વ્યાપ્ત થયો. અનંત કાળમાં તમારા આત્માએ ધર્મ કર્યો જ નથી, ધર્મ સવ્યો જ નથી એવું નથી. આપણા આત્માએ અનંત કાળમાં અનંતી વાર ધર્મના પરિણામ-શુભ ભાવ કર્યા છે, અને તેના દ્વારા અનંતી વાર પુણ્યબંધ પણ કર્યો છે.
અહીં ધર્મ શબ્દની તેના વ્યુત્પત્તિ અર્થ સાથે સુસંગત વિચારણા કરીએ, તો આ જે કર્યો તે અર્થ અપર્યાપ્ત લાગે છે; કેમ કે ધર્મ શબ્દનો પરંપરાગત અર્થ આમાં પૂરેપૂરો બંધબેસતો થતો નથી. વળી “ જે ઉત્થાન કરે, આત્માની ઊર્ધ્વગતિ કરે, દુર્ગતિરૂપ અધઃપતનથી આત્માની અટકાયત કરે તેનું નામ ધર્મ” આ અનુસાર ધર્મની આ વ્યાખ્યા અધૂરી કહેવાય; કેમ કે નાસ્તિક પણ સદ્વિચાર, સદ્વર્તન કરે તો તેનાથી તેને પુણ્ય બંધાય, પણ તે પુણ્ય તેની દુર્ગતિ અટકાવતું નથી કે તેનાથી તેની ભવાંતરમાં સદ્ગતિ થતી નથી. માત્ર તેને આ પુણ્ય ભવાંતરમાં તુચ્છ ભૌતિક અનુકૂળતા અપાવે. તમારા આત્મામાં એટલો જ શુભ ભાવ હોય કે જે તમને પુણ્ય બંધાવે, પણ તમારા આત્માની દુર્ગતિ ન અટકાવે, તો તેને એક દૃષ્ટિકોણથી ધર્મ કહેવો વાજબી નથી. દા.ત. જે પુણ્યથી એકેન્દ્રિયમાં સુંદર શરીર મળ્યું, સુગંધી-આકર્ષક દેહ આદિ મળ્યાં; તે પુણ્ય પણ શુભ પરિણામરૂપ ધર્મથી જ બંધાયું છે, છતાં તે પુણ્ય એવું હતું કે તે જીવની દુર્ગતિ અટકાવી ન શક્યું. ટૂંકમાં જે શુભ ભાવથી તમારી સદ્ગતિ નિશ્ચિત ન થાય, દુર્ગતિ અટકે નહીં, તેવા મામૂલી શુભ ભાવને-સવ્યવહારને ધર્મની વ્યાખ્યામાં સમાવેશ કરવા આ દૃષ્ટિકોણ તૈયાર નથી.
ધર્મના અનેક પ્રકાર અનેક quality-જાત છે. જેમ બજારમાં ઘઉં, ચોખાની quality-જાત વિધવિધ હોય છે, તેમાં અનેક પ્રકારનો પરસ્પર તફાવત હોય છે, છતાં પણ ચોખા બધા ચોખા જ કહેવાય, મગ ન કહેવાય; તેમ ધર્મના અનેક પ્રકાર છે. inferior quality-હલકી જાતનો ધર્મ, તેનાથી superior quality-ઊંચી જાતનો, તેનાથી વધારે superior quality-ઊંચી જાતનો, એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ ધર્મનું વર્ણન આવશે. કેમ કે તીર્થકરોના વર્ણનમાં કોઈ કચાશ ન હોય. આ પૂર્ણ જ્ઞાનીનું શાસન છે. અહીં ફક્ત એક પાસાથી ધર્મનું વર્ણન નહીં મળે. તમારી બુદ્ધિને કસે તેવી અનેક વ્યાખ્યાઓ મળશે. ધર્મની એક વ્યાખ્યા બુદ્ધિમાં ઊતરે પછી બીજી કહીશ, નહીં તો bumper જશે-બેસશે નહીં. રસદ્વાણી, સદ્વર્તન, સવિચાર તે ધર્મ, અથવા આત્માનો
૧ ‘ધર્મ' તિ ટુતિપતન્વન્તનાતધરVIત સ્વરસુતિ થનાર્થે “ધર્મ' (થર્મવિદ્ અધ્યાય રૂક્નોવા - રૂ ટી) * तथा दुर्गती प्रपतन्तमात्मानं धारयतीति धर्मः, उक्तं च-"दुर्गतिप्रसृतान् जीवा"नित्यादि,
(કાવયનિર્યુક્તિ પર્વ માણ પત્નો ૮૦ ટકા) ★ तथा चोक्तम् - “दुर्गतिप्रसृतान् जीवान्, यस्माद्धारयते ततः। धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः।।"
(શવૈવાનિવ સૂત્ર દુપુષ્પિા અધ્યયન ફ્લો - ૨ ટી) २ पापं हि दुष्टकल्लोलैः, पुण्यं गृह्णाति सुन्दरैः। चित्तैरात्मा तथोभाभ्यामौदासीन्येन मुच्यते।।८२३ ।। स्वभाव एष जीवस्य, यत्तथापरिणामभाग्। बध्यते पुण्यपापाभ्यां, माध्यस्थात्तु विमुच्यते।।८२४ ।। ते च हिंसाद्यनुष्ठानाद्, भ्रमकालुष्यकारकात्।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org