________________
પ૧
ધર્મતીર્થની વ્યાખ્યા ધર્મતીર્થનો સાત વિભક્તિથી અર્થ :
ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ આવશ્યકસૂત્ર ઉપર નિર્યુક્તિ રચી છે. આવશ્યકસૂત્ર મૂળ પૂજ્ય સુધર્માસ્વામી ગણધર મહારાજાએ રચેલ છે; અને તેના પર ભદ્રબાહુસ્વામી, જે કલ્પસૂત્રના રચયિતા છે, તેમણે નિયુક્તિ લખી છે. તેમાં આપણે “લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિર્થીયરે જિણે” બોલીએ છીએ, ત્યાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરતાં વિશેષણ આપ્યું કે, તીર્થંકરો ધર્મતીર્થના કરનારા છે. અહીં ‘ધર્મતીર્થ’ એ શબ્દનો સામાસિક અર્થ જુદી જુદી અપેક્ષાએ કરી શકાય. (૧) ધર્મ એ જ તીર્થ, ધર્મરવરૂપ તીર્થ, ધર્મમય તીર્થ, (૨) બીજો અર્થ ધર્મવિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ, (૩) ત્રીજો અર્થ ધર્મ દ્વારા તારનારું તીર્થ, (૪) ચોથો અર્થ ધર્મ માટે સ્થપાયેલું તીર્થ, ધર્મને પ્રદાન કરનાર તીર્થ, (૫) પાંચમો અર્થ ધર્મમાંથી પ્રગટેલું તીર્થ, (૯) છઠ્ઠો અર્થ ધર્મ સંબંધી તીર્થ અને (૭) સાતમો અર્થ ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ. આ સાત અર્થોમાં સાતેય વિભક્તિથી ક્રમબદ્ધ અર્થ આવી ગયો. એક એક અર્થ વિચારશો તો તેના દ્વારા જે યોગ્ય ભાવાર્થ ફલિત થાય તેનાથી ધર્મતીર્થની થોડી થોડી ઓળખાણ થશે. અનંત કાળથી અનંત તીર્થકરોનાં અનંત ધર્મતીર્થો, પણ અર્થથી એક જ સનાતન શાશ્વત ધર્મતીર્થ :
1 ચોવીસ તીર્થંકરો વર્તમાન ચોવીસીમાં થયા, તે બધાનાં આયુષ્ય, રૂપ, દેહમાન, જીવનની ઘટનાઓ એકસરખી નહોતી, સાધનાકાળ પણ સરખો નહોતો; પણ બધા જ તીર્થકરોનું કેવલજ્ઞાન સરખું હતું, ઉપદેશ સરખા હતા, તેમણે સ્થાપેલ ધર્મતીર્થ સરખું હતું. એટલે અનંતકાળ પહેલાંના તીર્થકરનું સ્થપાયેલું ધર્મતીર્થ હોય કે અત્યારના તીર્થકરે સ્થાપેલ ધર્મતીર્થ હોય, તો પણ તે બંનેમાં તત્ત્વથી તફાવત ન આવે. અનંતકાળથી અનંતા તીર્થકરોએ અનંતાં ધર્મતીર્થો પ્રવર્તમાન કર્યા, એ વ્યવહારનયનું વાક્ય છે; કારણ કે તીર્થકરને તીર્થપ્રવર્તનની પ્રવૃત્તિ વ્યવહારનય આધારિત છે, પણ વાસ્તવમાં ધર્મતીર્થ સનાતન-શાશ્વત છે. જેમ કે અત્યારે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ તો high way, express high way, પરસ્પર સરખા હોય. રસ્તાની સફાઈ ઓછીવત્તી હોય તેની વાત નથી, પણ high wayની size અમુક જ હોય, express high wayની size નિયત જ
१ यथा विषमदेहा अपि तीर्थकृतो धृति-संहनने केवलभावे च तुल्याः तथा प्ररूपणायामपि तुल्याः। यतः 'चरमेऽपि' भगवति वर्धमानस्वामिनि तदेव केवलज्ञानं त एव च .प्रज्ञापनीया भावा ये ऋषभादीनाम, ततः कथं न तल्या प्रसा
(
વૃત્વસૂત્રશ્નો - ર૦રૂટીછા) २ व्यवहारनयमतमपि च प्रमाणं, तबलेनैव तीर्थप्रवृत्तेः, अन्यथा तदुच्छेदप्रसङ्गात्, तदुक्तम्- “जइ जिणमयं पवज्जह ता માં વવદાનજી(નય) મુદા વવદાર છે તિત્યુચ્છો નગોડવíા? ” તા. ૨૪ ||
(धर्मसंग्रहणी श्लोक - ८१४ टीका) * तीर्थप्रवृत्त्यर्थमयं फलेग्रहिस्त्रिकालविद्भिर्व्यवहार उक्तः ।... ।।८।। ___त्रिकालावद्भिः सर्वज्ञैः। अयं व्यवहार: तीर्थप्रवृत्त्यर्थं तीर्थं चातुर्वर्ण्यसङ्घश्रमणस्तस्य प्रवृत्तिस्तदर्थम्। फलेग्रहिः फलवान् ઉત્ત: 1... ||૮||
(अध्यात्मबिन्दु प्रथम द्वात्रिंशिका श्लोक ८ मूल-टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org