SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પર ધર્મતીર્થની વ્યાખ્યા હોય. તેની જેમ ગમે તે તીર્થકરો ગમે તે કાળમાં થાય, પણ બધાએ આત્મકલ્યાણનો માર્ગ એક જ બતાવ્યો, અને સૌના ઉપદેશનો માર્ગ એકસરખો જ આવવાનો, તેમાં મીનમેખ તફાવત નહીં આવે. ઘણા લોકો એવા શંકાશીલ તૈયાર થયા છે કે, જે કહે છે કે ભગવાન મહાવીરે ધર્મનો ઉપદેશ આપ્યો તે અમે સાક્ષાત્ સાંભળ્યો નથી, અને પાછળથી ગરબડ થઈ હોય તો કહેવાય નહીં; પણ જૈન ધર્મમાં તે પ્રશ્નનો અવકાશ જ નથી; કેમ કે અનંતા તીર્થકરો કહી ગયા તે જ પ્રભુ મહાવીરે કહ્યું, અને અનંત કાળ પછી જે તીર્થકર થશે તે પણ પ્રભુ મહાવીરે કહ્યું તે જ કહેશે. માટે લખ્યું કે તીર્થકરોના દેહ, રૂપ, રંગ, જીવનઘટના, સાધનાકાળમાં તફાવત છે; કોઈએ ઘણા ઉપસર્ગો સહન કર્યા, કોઈએ થોડા સહન કર્યા; કોઈના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની, કોઈના જીવનમાં ઓછી બની; કોઈને હજાર વર્ષે, કોઈને બાર વર્ષે, કોઈને મહિનાઓ પછી તો કોઈને તે જ દિવસે સંયમની સાધના કરતાં કેવલજ્ઞાન થયું; એટલે બધા ભગવાનનાં ચરિત્ર, જીવનપ્રસંગો સરખાં નથી; જીવનમાં ઘણી અસમાનતાઓ છે. પણ એ કબૂલ કરવું પડે કે બધા તીર્થકરોનું કેવલજ્ઞાન, કેવલદર્શન, ઉપદેશ, ધર્મતીર્થ સમાન જ છે, તેમાં તારતમ્ય-તફાવત નથી. સભા : અર્થથી એક હોય, શબ્દથી નહીં ને ? સાહેબજી : શબ્દ તો ખાલી રજૂઆતનો ફેર સૂચવે છે. સભા જોયું-જાણ્યું ન હોય પછી એ જ ધર્મતીર્થ છે તેની કેમ ખબર પડે ? સુધારકોએ ઘાલમેલ કરી હોય સાહેબજી ધર્મતીર્થની સ્થાપના મેં કે તમે જોઈ નથી. અરે ! ઋષભદેવ ભગવાનને પણ મેં કે તમે આંખે જોયા નથી. ન જોયા હોય તો પણ નિર્ણય કરવામાં કોઈ વાંધો નથી. ૨ પૂ. હરિભદ્રસૂરિ મહારાજા, પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કે અમે રામ, શંકર, મહાવીર, બુદ્ધ વગેરે કોઈને પ્રત્યક્ષ જોયા નથી, કોઈને અમે મળ્યા નથી, કોઈ સાથે અમારે વેરઝેર નથી, કોઈ સાથે અમારે સગપણ નથી; પણ વર્તમાનમાં મહાવીરનાં ધર્મશાસ્ત્રો હાજર છે, બુદ્ધ કે શંકરનાં ધર્મશાસ્ત્રો પણ વિદ્યમાન છે, દરેકના ઉપદેશ તેમના તેમના ધર્મશાસ્ત્રોમાં ગૂંથાયેલા પડ્યા છે; તે વાંચતાં-વિચારતાં અમને તટસ્થતાથી લાગે છે કે મહાવીર કહે છે તે જ સનાતન તત્ત્વ છે, માટે જ અમે તેને સ્વીકારીએ છીએ. १ तथा निरुक्तादीनि यथा वर्द्धमानस्वाम्याख्यातवान् तथा किमृषभादयोऽपि ? उतान्यथा ? उच्यते-तथेति, केवलज्ञानस्य तुल्यत्वात्; यथा 'वर्तनी' मार्गः सा सर्वजनपदेषु प्रमाणत एकैव भवति। (बृहत्कल्पसूत्र श्लोक - १८९ टीका) २ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम्। न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा।। (ज्ञानसार मूल - १६/७) * प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुरालोक्यते न च हरो न हिरण्यगर्भः।। तेषां स्वरूपगुणमागमसंप्रभावात्-ज्ञात्वा विचारयत कोऽत्र परापवादः।।२२।। पक्षपातो न मे वीरे, न द्वेष कपिलादिषु । युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः।।३८।। (लोकतत्त्वनिर्णय मूल) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy