________________
४०
ધર્મતીર્થનો મહિમા થયું, જે બાર વર્ષ સુધી ચાલ્યું છે, અને મહાભારતના યુદ્ધ જેટલો માનવસંહાર તેમાં થયો છે. ત્યાર બાદ ઇન્દ્રો, દેવતાઓ વચ્ચે પડ્યા પછી ભરત-બાહુબલી વચ્ચે પરસ્પરનું વ્યક્તિગત યુદ્ધ થયું. બધામાં ભરત હાર્યા અને બાહુબલીની જીત થઈ છે, તેથી અકળાઈને છેલ્લે ભરતે અનીતિથી બાહુબલી ઉપર ચકરત્ન ફેંક્યું. આ જોઈ બાહુબલીને ગુસ્સો આવ્યો. તેમણે ભારતને મારવા મુઠ્ઠી ઉપાડી. પરંતુ મનમાં ભાવના આવી કે “ધિક્કાર છે આ રાજ્યને કે જેના કારણે મને મોટાભાઈને મારવાનું મન થયું.” મહાસાત્ત્વિક છે માટે વિચારે છે કે મારી મુઠ્ઠી નિષ્ફળ ન જાય, એટલે ત્યાં ને ત્યાં લોન્ચ કરી દીક્ષા લીધી. રણમેદાનમાં દીક્ષા લીધી તો વૈરાગ્ય કેવો હશે ! આવા બાહુબલીને પણ વિચાર આવ્યો કે અત્યારે ભગવાન પાસે જઈશ તો નાના અઢાણું ભાઈઓને વંદન કરવાં પડશે, તેથી કેવલજ્ઞાન મેળવીને જાઉં. આ રીતે કેવલજ્ઞાન મેળવવાની ભાવનાથી કાઉસ્સગ્નધ્યાનમાં ઊભા છે. બાર મહિના પછી બ્રાહ્મી-સુંદરી બહેન સાધ્વીજીઓ મારફત ભગવાનનો હિતશિક્ષારૂપ સંદેશો મળતાં વિશુદ્ધ ભાવથી કેવલજ્ઞાન થયું. ત્યાર બાદ બાહુબલી ઋષભદેવ પ્રભુના સમવસરણમાં આવ્યા. અહીં દિગંબરોનું કહેવું છે કે બાહુબલી કોઈને નમ્યા વગર સીધા કેવલીની પર્ષદામાં બેઠા. આ વાતનું આપણા પૂર્વાચાર્યોએ ખંડન કર્યું, અને કહ્યું કે આ ખોટું છે. કદી કેવલી તીર્થને નમસ્કાર કર્યા વિના એમ ને એમ પર્ષદામાં જઈને બેસે નહીં. માટે બાહુબલી પણ ત્રણ પ્રદક્ષિણા કરી, તીર્થ અને તીર્થકરને નમસ્કાર કરીને પર્ષદામાં બેઠા છે. નાના અઢાણું ભાઈઓને નથી નમ્યા, પણ તીર્થ અને તીર્થપતિને નમસ્કાર અવશ્ય કર્યો છે. અહીં દિગંબરમતનું ખંડન કર્યું છે, તેની સામે દલીલો પણ આપી છે. ટૂંકમાં ધર્મતીર્થનો મહિમા જેવો શ્વેતાંબરોએ માન્યો છે તેવો દિગંબરપક્ષમાં નથી. ત્યાં તીર્થ, તીર્થપતિથી સ્થાપિત થાય છે, પણ તીર્થ તીર્થપતિ કરતાં મહાન છે તેવો ધ્વનિ નથી.
ધર્મતીર્થનો
મહિમા સંપૂર્ણ
కేజం ఆు cal
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org