________________
૩૮
ધર્મતીર્થનો મહિમા હવે આ કેદી છૂટી રહ્યો છે, કર્મની સજા પતવાના આરે છે તેની સાયરન વાગી રહી છે. હવે આ જીવ મોક્ષે ચાલ્યો. થોડા સમયમાં નક્કી મોક્ષે પહોંચવાનો છે. આવો બોધિબીજનો મહિમા છે. આ શાસનની ભાવથી ઉપાસના કરનારને જઘન્યમાં જઘન્ય ફળ પણ આ બોધિબીજ મળે છે. આ છેલ્લું ફળ બતાવ્યું
જૈન શાસ્ત્રોમાં ઠેર ઠેર પ્રેરણા છે કે જૈનોએ ભગવાનના એવા વરઘોડા કાઢવા, ભવ્ય ઓચ્છવ-મહોત્સવ કરવા, દેવ-ગુરુની એવી અદ્ભુત ભક્તિ કરવી કે તે જોઈ જૈનેતરોને પણ શાસન પ્રત્યે ગુણાનુરાગ થઈ જાય; અને તેના સંસારનો પણ વહેલો-મોડો ત્યાં રહ્યો પણ અંત આવે. આપણા ભગવાનને, બધા મારા ભગત બને એમાં રસ નથી, પણ સંસારસાગરથી તરે તેમાં રસ છે. ભગવાન કહે છે કે, અન્ય ધર્મમાં રહેલો પણ ગુણાનુરાગથી આ શાસનની પ્રશંસા કરશે તો તે બોધિબીજ પામેલો છે, અને અહીં રહેલો જીવ પણ જો આ શાસનની પ્રશંસા ગુણાનુરાગથી ન કરતો હોય તો તે બોધિબીજ વગરનો છે. તમને ચોંટ લાગે તેવી વાત છે. Introspection-આત્મનિરીક્ષણ કરજો. હું આ ભગવાનને કેમ માનું છું ? ઘણા કહે કે મને શંખેશ્વર પાર્શ્વનાથ પર ખૂબ ભક્તિ છે. મને હસવું આવે અને પૂછવાનું મન થાય કે તમને શંખેશ્વર પાર્શ્વનાથ પર જ વધારે ભક્તિ કેમ થાય છે ? બીજા પાર્વનાથ ભગવાન અને શંખેશ્વર પાર્શ્વનાથ કે ઋષભદેવ અને મહાવીરસ્વામીમાં ગુણનો કોઈ તફાવત છે ?
સભા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવ જાગ્રત છે, પ્રભાવશાળી છે.
સાહેબજીઃ ગુણનું ધોરણ ન રહ્યું. ઘણાને ગુણ સાથે ન્હાવા નીચોવવાનો સંબંધ નથી. આખી જિંદગી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ કરે, પણ તેને અને ગુણને બારમો ચંદ્રમાં હોય. વાસ્તવમાં ઋષભદેવ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનમાં કોઈ ગુણનો તફાવત નથી. ગુણમય સ્વરૂપ બંનેનું સરખું છે.
સભા : ગુણાનુરાગથી ભક્તિ કરી હતી એટલે જ જેનધર્મ મળ્યો ને ?
સાહેબજી : જૈનધર્મ અભવ્યને પણ પુણ્યથી મળે છે, તો શું અભવ્યમાં ગુણાનુરાગ માનવો ? પુણ્ય શુભ ભાવથી બંધાય. તમે આગલા ભવોમાં અવશ્ય શુભ ભાવો કર્યા છે, જેનાથી પ્રબળ પુણ્ય બંધાયું છે. જેણે તમને આ માનવભવ, જૈનશાસન, ઉત્તમ ધર્મસાગ્રી અપાવી તે પુણ્યની ફલશ્રુતિ છે. પરંતુ ગુણાનુરાગપૂર્વકની ભક્તિના પ્રતાપે જ જૈનધર્મ મળ્યો છે તેવું એકાંતે ન કહેવાય.
ધર્મપ્રાપ્તિનો અહોભાવ:
આ ધર્મતીર્થની ભક્તિનું ફળ સમજાવ્યું. આ ભક્તિનો મહિમા ગાતાં કુમારપાળ, હેમચંદ્રાચાર્ય, હરિભદ્રસૂરિ જેવા ધુરંધરોએ લખ્યું કે : “હે પ્રભુ ! આપનું શાસન મળ્યું અને ધર્મતીર્થ પ્રત્યે અમને બહુમાન થયું એટલે १ कथञ्चित्तव शक्तिरुत्पन्ना यथा थदस्माभिः करिष्ये तत् सहिष्यत इति ? मुनि:-शक्तिमच्छासनात् सकलत्रैलोक्यसमार्गलसामर्थ्यस्य परुषविशेषस्य शिक्षणात्।
(ઉદ્દેશ૦ સ્ક્રોવર-રપ ટીશા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org