SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થનો મહિમા ૨૭ મહાત્મા, આચાર્યપદ, ઉપાધ્યાયપદ, પ્રવર્તકપદ, પંન્યાસપદ, ગણિપદ, સાધુપદ, સમ્યગ્દર્શનપદ, સમ્યજ્ઞાનપદ, સમ્યક્યારિત્રપદ આદિની પ્રાપ્તિ અને આનુષંગિકફળમાં શ્રેષ્ઠિ, પુરોહિત, મંત્રી, રાજા, મહારાજા, બળદેવ, પ્રતિવાસુદેવ, વાસુદેવ, ચક્રવર્તી, દેવપદ, ઇન્દ્ર, અહમિન્દ્ર આદિ પદોની પ્રાપ્તિ. સભા : જ્ઞાનપદ મળે એટલે ? સાહેબજી : ધર્મતીર્થની ઉપાસનાથી સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય એટલે મધ્યમ ફળ મળ્યું; કારણ કે તે જીવ જ્ઞાનીની કક્ષામાં આવ્યો. આ ધર્મતીર્થની ઉપાસનાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મોનો પણ ક્ષયોપશમ થાય. આવરણો તૂટે એટલે અંદરથી આત્માની પ્રકાશશક્તિ બહાર આવે. તેથી જગતના તત્ત્વનો યથાર્થ બોધ થાય, તે કાંઈ નાનીસૂની વાત નથી. તમારા મગજમાં બીજાં જ આનુષંગિક તુચ્છ ફળ ભમે છે, એટલે ભગવાને બતાવેલા શ્રેષ્ઠ આત્મિક ફળોના વર્ણનથી તમારા મોઢા ઉપર ઉલ્લાસ આવતો નથી. તમે તો કહો કે અબજો રૂપિયા-રાજપાટ-વૈભવ-સત્તા-સંપત્તિ ફળરૂપે મળે તો અમને ધર્મ કરવાનો ઉલ્લાસ આવે. સભા : સંસાર ચલાવવા કાંઈ તો જોઈએ ને ? સાહેબજી એમ તો રોજ ચૂલો સળગાવવા કોલસા જોઈએ છે, તો આખી જિંદગી કોલસા જ પકડવાના? ઘરમાં એકલા કોલસા જ ભરો છો ? કે જર-ઝવેરાત ભરો છો ? જોકે કબાટ ભરી ઝવેરાત હશે તો પણ ખાવામાં ઝવેરાત કામ નહીં આવે. ખાવા તો અનાજ જ જોઈશે, છતાં કિંમત કોની વધારે ? ધર્મના by-product-આનુષંગિક ફળ તરીકે જે ફળ વર્ણવ્યાં છે તે તમને main-મુખ્ય લાગે છે. તમે ધર્મના જે ફળને મહત્ત્વ આપો છો તે ફળને શાસ્ત્રમાં તુચ્છ-ગૌણ કહ્યાં છે. તેના માટે શાસ્ત્રીય શબ્દ “આનુષંગિક ફળ” છે. ઘઉં વાવો તો ઘાસ ઊગે, પણ જેમ ઘાસ વધારે ઊગે તેમ ખેડૂત નાચતો જાય એવું બનતું નથી. ઊલટું ઘાસનું તો તે નિંદામણ કરે છે, કેમ કે તેને ખબર છે કે ઘાસ વધારે વધશે તો પાક બગડશે. ખેતીમાં ઘાસ ઊગવાનું છે તે તેને પહેલેથી ખબર છે, પણ તે પાક માટે અવરોધક છે, તેથી તેને વધવા દેવા જેવું નથી. માટે ખેડૂત રખેવાળી તરીકે અવસરે અવસરે નિંદામણ કરે, ઉખેડી ઉખેડીને ફેંકી દે. ઘાસ ઊગે એટલે જોઈ જોઈને રાજી થાય કે નાચવા લાગે તેવું ન બને. તેમ તમે ડાહ્યા હો તો ધર્મનાં માત્ર આનુષંગિક ફળ જોઈ રાજી ન થાઓ, પરંતુ મુખ્ય ફળને જોઈને જ હરખાઓ. ધર્મતીર્થની જઘન્ય ઉપાસનાનું ફળ બોધિબીજની પ્રાપ્તિ ઃ “ આ ધર્મતીર્થની ભાવથી ઉપાસના કરનારને જઘન્યમાં જઘન્ય ફળ બોધિબીજની પ્રાપ્તિ છે. બોધિબીજ શબ્દમાં બોધિ એટલે સમ્યક્ત અને બીજ એટલે ઉપાદાન કારણ. સમ્યક્તનું ઉપાદાનકારણ તે બોધિબીજ. च ते गुणाश्च सर्वगुणाः। सर्वगुणानां सिद्धिर्निष्पत्तिः सर्वगुणसिद्धिः। साध्यते येन धनेन। तच्च धनमिदमेव प्रवचनम्। अत: सर्वगसिद्धिसाधनधनमर्हच्छासनं द्रव्यपर्यायनयप्रपञ्चात्मकमन्यशासनन्यग्भावेन जयति।।३१३।। (प्रशमरतिप्रकरणम् श्लोक-३१३ टीका) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy